________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકનું મહત્વ.
( ૧૧૭ )
અને સ્વનું રક્ષણ આદિ અનેક પ્રકારની રક્ષણપ્રવૃત્તિને વીરપુરુષ સેવી શકે છે. ધર્મની આરાધના કરવી, ધર્મની સ્થાપના કરવી, અધમીઓથી ધર્મનું રક્ષણ કરવું, નાસ્તિકોના વિચારે સામે ધર્મની રક્ષા કરવી અને સ્વગુરુઆદિની સેવાભક્તિ કરવી-ઇત્યાદિ ધર્મકર્મ પ્રવૃત્તિમાં વીરતાવિના કંઈપણ શ્રેયઃ પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં. નિર્વીર્યમનુષ્ય સંસારમાં અને ધર્મમાં કંઈપણ ઉત્તમ કાર્યપ્રવૃત્તિને સેવવા સમર્થ થઈ શકતું નથી. નિર્વીર્યમનુષ્યની મૈત્રીથી કંઈનું કલ્યાણ થઈ શકતું નથી; ઊલટું પ્રાણનો નાશ થવાને સમય પ્રાપ્ત થાય છે. જે મનુષ્યમાં વીરતા છે તે શક્તિ ફેરવીને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિજ્ઞસંતોષીઓ સામે ઊભા રહી સ્વકાર્યપ્રવૃત્તિનું સંરક્ષણ કરે છે અને તે કર્તવ્યકર્મપ્રવૃત્તિક્ષેત્રમાં ઊભા રહી અનેક તાપ સહી સ્વકાર્યની પૂર્ણતા કરે છે. આર્યાવર્તના વીરમનુષ્યના ચરિત્ર અવલોકવાથી સ્પષ્ટ બોધ થાય છે કે તેઓએ જે કાર્યો કર્યા છે તે સર્વે વીરતાથી કર્યા છે. પાશ્ચાત્ય દેશના ઈતિહાસ અવલકશે તે તે તે દેશની ઉન્નતિમાં વીરમનુષ્યની વીરતા જ કારણભૂત સમજાય છે. કોઈ પણ ધર્મના સંસ્થાપકનું ચરિત્ર અવેલેકશે તે તેમાં વીરતા તે તેના સર્વ ગુણોના શીર્ષે વિરાજમાન થએલી દેખાશે. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં જે વીર છે તે યોગ્ય અધિકારી છે એમ અનેક દષ્ટાન્તો અને સિદ્ધાંતથી સિદ્ધ થાય છે. અએવ કર્તવ્યકર્મ પ્રવૃત્તિમાં વરતાયુક્ત વિરમનુષ્યની આવશ્યકતા સિદ્ધ કરે છે. ધૈર્ય અને વીરતાનુણની સાથે વિવેકગુણની કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં અત્યંત જરૂર છે. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં વિવેકવિના એક ક્ષણમાત્ર પણ ચાલી શકે તેમ નથી. વિવેક એ દશમનિધિ છે. ધૈર્ચ વીરતા આદિ અનેક ગુણવડે મનુષ્ય, કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ કરે તો પણ લૂણ વિનાનું એવું ભેજન, નાસિકા વિનાનું મુખ અને વાસ વિનાનું જેવું પુષ્પ તેવી વિવેક વિના સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિવેક વિના વિશ્વમાં કેઈપણ કાર્ય કરવામાં આવે તે પણ તેની સફલતા થતી નથી. વિવેકપૂર્વક જે કર્મપ્રવૃત્તિ થાય છે તે વિશ્વમાં સફલ અને ઉપયોગી બની શકે છે. વિવેક વિનાની સર્વ કાર્યપ્રવૃત્તિ ખરેખર મયૂરપૃષ્ઠભાગવત્ શોભા પામી શકે છે. વિવેકવિનાને મનુષ્ય પશુ સમાન ગણાય છે અને તે વિશ્વમાં શેકી શકતો નથી તે તેની લૌકિકકાર્ય પ્રવૃત્તિ અને લોકોત્તર કાર્ય પ્રવૃત્તિ કેવી રીતે શોભાને પામે વારુ? અલબત્ત, ન પામી શકે. જે મનુષ્યમાં વિવેક પ્રાપ્ત થયા હોય છે તે આત્મન્નતિના શિખરે જ્યારે ત્યારે પણ વિરાજ્યા વિના રહેતો નથી. આ વિશ્વમાં સૂક્ષ્મનિરીક્ષણ કરી વિલોકવામાં આવશે તો આત્મોન્નતિનું મૂળ વિવેક છે એમ નિશ્ચય થયા વિના રહેનાર નથી. દુઃખસાગરને પાર પામવા માટે વિવેક એ માટી સ્ટીમર છે. આ વિશ્વમાં સત્ય સુખના માર્ગમાં વિહરતાં વિવેક એ મહાલાઈટની ગરજ સારે છે. વિવેકપૂર્વક જે જે કાર્ય પ્રવૃત્તિ કરાય છે તેમાં અવશ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વિવેકપૂર્વક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ કરતાં આન્નતિક્રમમાં વિદ્યવેગે ગમન કરી શકાય છે. વિશેષ લાભ અને કર્તવ્યની
For Private And Personal Use Only