________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shn Kailassagarsun Gyanmandir
( ૧૦૮ )
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
રૂઢ થએલ સંકુચિત માર્ગોની વિસ્તારતા કરે છે તથા કર્મચારીઓને તેમાં પ્રવર્તતાં અંદાર્યદષ્ટિગે ઔદાર્યને શિખવે છે. ઔદાર્યગુણયુક્ત મનુષ્ય ઉદારભાવનાથી વિશ્વવ્યાપકશ્રેયઃ કર્મને પ્રાપ્ત કરી શકે છે અને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કર્મ યોગને પ્રાપ્ત સર્વત્ર પ્રવર્તાવી શકે છે. તે અન્ય જીવોને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કર્મવેગનું ઔદાર્ય પ્રકટાવવાનું રહસ્ય સમજાવવા શક્તિમાન થાય છે. અતએ ઉદાર મનુષ્ય, સ્વાધિકાગ્ય પ્રત્યેક કર્મપ્રવૃત્તિને સેવવાનો અધિકારી બની શકે છે એમ માનવામાં અનુભવ જ્ઞાનની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ઉદારત્વ અને સદાશયત્વ એ બને પરમાત્માનાં શુભ વ્યાપક લક્ષણ છે. ઉદારત્વ અને સદાશયત્વમાં જેમ જેમ આત્મા વૃદ્ધિ પામે છે તેમ તેમ તે પરમાત્માણનાં મહાવ્યાપક રૂપને પ્રાપ્ત કરતો જાય છે. જેનામાં ઉદારત્વ હોય છે તેનામાં સદાશયત્વ હોય છે. સદાશયની વૃદ્ધિથી મનુષ્ય પરમેશ્વરના મહાવ્યાપક રૂપમાં લીન થઈને અનન્તતામાં સમાઈ જાય છે. અતએ સદાશયી મનુષ્ય વસ્તુતઃ પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિ કરવાને ચગ્ય ઠરે છે. સદાશયી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવર્તે છે તેમાં તેના સારા આશયથી આન્તરદષ્ટિએ પ્રગતિમાર્ગમાંજ વહે છે. ગમે તેવો વિશ્વમાં મહાન મનુષ્ય ગણાતે હાય તથાપિ તેના હદયમાં યદિ રૂડા આશયે નથી હોતા તો તે આન્તરિકદષ્ટિએ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકતો નથી. ગમે તેવો વિશ્વમાં લઘુ મનુષ્ય ગણતા હોય અને નીચપદ પર નિયુક્ત થએલો હોય તથા અન્ય જાદિ વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કાર્ય કરનાર હોય પરંતુ અન્તરમાં યદિ તે રૂડા આશયોની ભાવનાઓથી પરિપૂર્ણ ખેલત હોય તે તે ખરેખર આતરિકષ્ટિએ પ્રભુપદ પ્રાપ્ત કરવામાં મહાન છે એમ અવધવું. સદાશય વિના આત્માની આન્તરપ્રગતિ તે થઈ શકતી નથી અને કદાપિ માને કે બાદ્યની પ્રગતિમાં મનુષ્ય સદાશયી સામાન્યતઃ હીન હોય તો પણ આન્તરપ્રગતિથી તે બાહ્યકર્મમાં અલિપ્ત રહેવાથી વસ્તુતઃ તેની ઉચતા-મહત્તા છેજ. મનુષ્ય બાહ્યપ્રગતિમાં ઉચ્ચ હોય તે પણ સદાશય વિના વસ્તુતઃ તે ઉચ્ચ નથી; કારણકે સદાશય વિનાની કાર્ય પ્રવૃત્તિથી ઉરચતાને પ્રાસાદ ક્ષણમાત્ર સ્થાયી રહી શકે છે. સદાશયી મનુષ્ય ખરેખર આન્તરિક ઉચ્ચ શુદ્ધ વ્યાપકભાવનાથી બાહ્ય સ્થિતિના સ્વાધિકારે ગમે તે કાર્યની પ્રવૃત્તિ કરતો હોય તથાપિ તે સ્વફરજની કર્તવ્ય દિશામાં અધિકારી ઠરી શકે છે. બાહ્યકર્તવ્યકર્મોમાં આન્તરિકસદાશય વિના એક ક્ષણમાત્ર પણ ધર્મજીવનથી જીવી શકાય નહિ. અતએ સુજ્ઞ મનુષ્યએ આવશ્યક પ્રત્યેક કાર્ય કરતાં સદાશયત્વને ધારી કર્મયોગની યોગ્યતાને સંપ્રાપ્ત કરવી જોઈએ. સદાશયત્વ એ ઈશ્વરની શક્તિ છે. સદાશય એ સ્વર્ગની સીડી અને દરવાજો છે. સદાશયત્વ એ પ્રભુને પ્રાપ્ત કરવાની કુંચી છે. સદાશયત્વવડે વિશ્વમાં સર્વત્ર સગુણોનાં દ્વાર ખુલ્લાં થાય છે. સદાશયની ભાવનાવડે યુકત થઈને કઈ પણ કાર્ય કરતાં પ્રગતિ માર્ગમાં વિરોધ આવતો નથી. સદાશયથી કરેલું કાર્ય સ્વફરજે
For Private And Personal Use Only