________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંવૃત્તિ સંબંધી વિવેચન.
( ૧૫ ).
મનુષ્ય કાર્ય કરવામાં નિર્ભય થાય છે તે સ્વાધિકાર પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા હૈષને પણ ત્યાજ્ય કરવા શક્તિમાન થાય છે. જેને કેઈનાથી ભય નથી તેને કેઈન પર દ્વેષ કરવાનું કારણ રહેતું નથી. ભય-દ્વેષને પરસ્પર નિકટ સંબંધ છે. જ્યારે પરવસ્તુઓ દ્વારા આત્માને ભય રહેતો નથી ત્યારે તે સમયે પરસ્પર દ્વેષ કરવાનું કારણ રહેતું નથી. જ્યારે પોતાનું અહિત કરવા અન્ય મનુ સમર્થ નથી એમ ઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે અન્ય જીવોપર દ્વેષ થતો નથી. બેદ-ભય અને દ્વેષથી આત્માનું વીર્ય ટળી જાય છે અને પ્રારંભિત કાર્યમાં યથાયોગ્ય પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. આત્માની શકિતને પ્રકટ થતાંજ ક્ષય કરનાર ભય - ખેદ અને દ્વેષ છે. શ્રેષના પરિણામથી ગમે તે કર્મચગીવીર પણ સહસમુખવિનિપાતદશાને પામી સ્વકર્તવ્ય કાર્ય ફરજથી ભ્રષ્ટ થઈ અવનતિ માર્ગમાં પ્રવેશ કરે છે. ભય ખેદ અને દ્વેષ વિના હારા સ્વાધિકાર હે મનુષ્ય ! ! કર્મવેગની ચેગ્યતા પ્રાપ્ત કર. હે સુજ્ઞ માનવ ! હારી કર્તવ્ય કાર્ય ફરજ બજાવતાં બાહ્ય પ્રાણદિને નાશ કદાપિ થાય તથાપિ તું મરણ પામીને ઉરચદશામાં પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ બધી ભય ખેદ અને દ્વેષાદિકથી વર્જિત થઈ કર્મવેગનો અધિકારી થા. જે મનુષ્ય અહંવૃત્યાદિનિમુક્ત હોય છે તેજ ખેદાદિદેવર્જિત થઈ કાર્ય કરવાને લાયક ઠરે છે. અએવ અÉ
નિકુંજ એવા વિશેષણની ઉપગિતા સિદ્ધ કરે છે. અહંવૃત્તિ, મમત્વવૃત્તિ, અને કામવૃત્તિ આદિ અનેક પ્રકારની વૃત્તિને જેણે ઉપશમાવી છે તે સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિ ફરજને અધિકારી બને છે. વૃત્તિષ્ટિએ કથીએ તો વૃત્તિ એજ સંસાર છે. જ્યાં અહંમમત્વાદિવૃત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યાં સંસાર સામ્રાજ્ય પ્રવર્તે છે એવું અવબોધીને વૃત્તિથી નિમુક્ત થવા પ્રયત્ન કરવો જોઈએ. જે આત્મજ્ઞાની છે તે અહંવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિયોનો નાશ કરવા પ્રયત્ન કરી શકે છે. અહંમમત્વવૃત્તિ સેવક મનુષ્ય વાસ્તવિક કાર્ય કરવાના અધિકારને પ્રાપ્ત કરી શકતા નથી. અહં અને મમત્વવૃત્તિધારક
સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક મનુષ્યની સાથે ક્લેશ કરે છે અને તે જ્યાં નિર્લેપ રહેવાનું હોય છે ત્યાંજ તે બંધાય છે. અએવ સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજ અદા કરતાં અહંભાવવૃત્તિને ધારણ કરવાની કોઈ પણ રીતે આવશ્યકતા સિદ્ધ કરતી નથી. જ્યાં સુધી અજ્ઞાન મેહ છે તાવત્ અહંમમત્વવૃત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે, પરન્તુ આત્મજ્ઞાન થતાં પરવસ્તુઓમાં અહમમત્વ પરિણામને ધારણ કરવો એ ભ્રાન્તિરૂપ લાગે છે અને તેથી તેને સ્વયમેવ ત્યાગ થઈ શકે છે. આત્મપ્રકાશ ગ્રન્થમાં અહંવૃત્તિ સંબંધી વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે તેથી વિસ્તારાથીંએ અહંવૃત્તિ સંબંધી વિશેષ વિવેચન શ્રી આત્મપ્રકાશ ગ્રંથમાં અવલોકવું. અહંવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિથી નિમુક્ત મનુષ્ય કઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરતાં બંધાતું નથી. તે મનુષ્ય જીવન્મુક્તદશાને
૧૪
For Private And Personal Use Only