SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૧૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. માન્યતા વગેરેમાંથી સંપૂર્ણરીત્યા અહેમમત્વ ટાળ્યા વિના કદાપિ ભયવાસનાને સર્વથા જય કરી શકાતો નથી. બાહ્યથી શારીરિકાદિનું અનેક ઉપાએ સંરક્ષણ કરવું અને અન્તરમાં ભયના પરિણામને અંશમાત્ર સ્થાન ન આપવું એજ નિર્ભયતાનું ખરૂં લક્ષણ છે. અનેક રોગો આદિનાશકારકહેતુઓથી શરીરાદિનું સંરક્ષણ કરવાથી કંઈ ભય ગણાતો નથી. ખરેખર ભય તે અન્તરમાં ઉત્પન્ન થાય છે. મનમાં ભયના પરિણામને ઉત્પન્ન થતા જ વારવાથી કાર્ય કરવાની યોગ્યતા સંપ્રાપ્ત કરી શકાય છે. કાર્યની સિદ્ધિમાં કદાપિ આત્મસ્વાર્પણ કરતાં ભય ન પામ જોઈએ. સ્વફરજ અદા કરવામાં જે મનુષ્ય નિર્ભય છે તેજ સત્ય કર્મયોગી છે. જે મનુષ્ય હૃદયમાં કોઈ પણ પ્રકારના ભયને ધારણ કરતો નથી તે “ઢે વાતયામિ વા સાર્થ સાધવામ”ની દશાની ચિતા પામીને કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારના આવશ્યક કાર્યની પ્રવૃત્તિમાં ભયને ઉત્પન્ન થવા દે એ આત્મપુરુષાર્થના ક્ષયપ્રતિ મહાકાલને ઉત્પન્ન થવા દેવા બરાબર છે. જે મનુષ્ય કઈ પણ જાતના ભયને સેવતો નથી અને ફક્ત સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજમાં આત્માવિના અન્યને દેખતો નથી તે ખરેખર કાર્યગી થાય છે. અનેક દુશમને સ્વામા આવતા હોય, અનેક સંકટ પ્રાપ્ત થએલ હોય અને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ આવેલી હોય તો પણ સ્વાત્માને નિર્ભય ધારી મૃત્યુ આદિથી જે ભય ન પામતાં સ્વફરજને સમભાવે અદા કરે છે તે કર્મવીરગીના ચરણકમલને દેવતાઓ પૂજે છે. વિકમ રાજાએ યદિ સ્વકાર્યપ્રવૃત્તિમાં ભય ધારણ કર્યો હોત તે તે સ્વનામને વિશ્વમાં સંવત ચલાવી શકત નહિ. ઈશુ કઈસ્ટે યદિ શૂલી પર આરેહણ થતાં ભયને ધારણ કર્યો હત અને દીનતા દાખવી હોત તે પિતાના નામને સન ચલાવી શકત નહિ. શ્રીમહાવીર પ્રભુએ દેવતા મનુષ્ય અને તિર્યંચથી અનેક ઉપસર્ગોને સહન કર્યા અને આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પામી તીર્થંકર પદથી વિભૂષિત થઈ પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તેમાં તેમની નિર્ભયતા એજ વસ્તુતઃ સેવવા યોગ્ય છે. નિર્ભય બન્યા વિના દેવતાઈ સાહાય મળતી નથી. નિર્ભય મનુષ્યનું મરણ શ્રેયસ્કર છે. પરંતુ ભયભીત મનુષ્યનું સ્વકાર્ય કરતાં જીવવું પણ અશ્રેયસ્કર છે. જે મનુષ્ય કઈ પણ કાર્ય કરતાં મૃત્યુ, પ્રાણ અને કીર્તિ વગેરેની પૃહા રાખતા નથી અને સ્વીકાર્ય પ્રવૃત્તિ ફરજમાં વહ્યા કરે છે તેનું જીવવું વસ્તુતઃ ઉપયોગી છે. આત્મા વિનાની પરવસ્તુમાં યદિ અહેમમત્વની વાસના હોય છે તેજ ભય સંજ્ઞાને આધીન થવાય છે, પરંતુ જે કર્મગીઓએ પરવસ્તુવડે જીવવું તે ભ્રાન્તિ છે એવું માનીને ગબળે અને જ્ઞાનબળે ભયની વાસનાને સર્વથા ક્ષય કર્યો છે તે જ વાસ્તવિક નિર્ભયદશાને સંપ્રાપ્ત કરી શકે છે અને કર્મગના અતિમહતુપદમાં પ્રવેશ કરી નિર્લેપગ્યતાને પ્રાપ્ત કરી શકે છે. જે જે અંશે આત્મજ્ઞાની વીર મનુષ્ય નિર્ભય થાય છે તે તે અંશે તે કાર્યકરણશક્તિને પ્રાપ્ત કરી સ્વાધિકારમાં યુગ્ય થતું જાય છે. જેને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy