________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
- - -
-
-
-
-
-
-
ધામ, ન ન. - જન
પ્રત્યાખ્યાન આવશ્યક.
(
૭ )
શ્રદ્ધા ધૈર્ય અને શુદ્ધોપગની ધારા વધે છે તથા પોતાના સ્વરૂપમાં આત્મા પરિણામ પામે છે-તેને અનુભવ પિતાને આવે છે. કાર્યોત્સર્ગમાં પરમાત્માનું વા પિતાના આત્માનું થાન ધરીને આત્માની ઉરચતામાં આગળ વધી શકાય છે. સાત નય અને ચાર નિક્ષેપાથી કાયોત્સર્ગનું સ્વરૂપ સમજવાની જરૂર છે. કાયાના નિમિત્તે થતી અનેક પ્રકારની મેહવાસનાને ત્યાગ કરવો તે કાર્યોત્સર્ગ છે. કાયાના નિમિત્ત થતા એવા અનેક વિકલ્પ અને સંકલ્પોનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ છે. આત્માના ધર્મની પ્રાપ્તિમાં દેહ એક નિમિત્ત કારણ છે પણ દેહ એજ હું આત્મા એવો દેહાધ્યાસ ત્યાગ્યા વિના આત્માના ગુણેની પ્રાપ્તિ થતી નથી. દેહાધ્યાસને ત્યાગ કરીને આત્માને આત્મરૂપ અનુભવો એજ કાત્સર્ગનું સાધ્ય લક્ષ્યબિન્દુ છે. દેહાધ્યાસ તજીને આત્મામાં શ્રદ્ધા સ્થિરતા અને લીનતા કરવારૂપ કાર્યોત્સર્ગ કરવાથી દુનિયામાં મનુષ્યના આત્માઓ ખરેખર પરમાત્મરૂપને દેખી શકે છે. શરીર-ધન-કીર્તિવાસના અને માયા વગેરેમાંથી હું અને મમ એ ભાવ કાઢી નાંખીને કાર્યોત્સર્ગમાં સ્થિર રહેવું જોઈએ. ઉપર્યુક્ત હેતુઓથી કાર્યોત્સર્ગની આવશ્યકતા દુનિયામાં સિદ્ધ થાય છે.
કાયેત્સર્ગ આવશ્યકની અમુકાશે સિદ્ધિ કરીને તેને જે અધિકારી લે છે તેનામાં પ્રત્યાખ્યાન આવશ્યકની યોગ્યતા પ્રગટે છે. પ્રત્યાખ્યાન આવશ્યક છે પિતાનામાં પ્રગટાવવું હોય તો કાત્સર્ગની સિદ્ધિ કરીને શરીરાદિકથી ભિન્ન એવા આત્માનો અનુભવ કરવો જોઈએ. શરીર અને ઇન્દ્રિય પરથી મમત્વ ઉઠતાં બાહ્ય વસ્તુઓનું ભક્ષણ કરવાનો નિષેધરૂપ સંક૯પ કરીને પ્રત્યાખ્યાન લઈ શકાય છે. હવે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને પ્રત્યાખ્યાનની આવશ્યકતા સ્વીકારવા લાગ્યા છે. અધિકારભેદે પ્રત્યાખ્યાનના અનેક ભેદ પડે છે પણ તે સર્વ પ્રત્યાખ્યાનને સાર એ છે કે-અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારની મૂછ–ઈરછાને રેધ કરે અને નિયમસર અમુક આહાર ત્યાગપૂર્વક અમુક આહારનું ગ્રહણ કરવું વા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી અશનાદિનો ત્યાગ કરે. અધ્યાત્મજ્ઞાની પ્રત્યાખ્યાન તપશ્ચરણ કરવા સમર્થ હોય છે કારણ કે તેને દેહનું મમત્વ હોતું નથી અને તેથી તે ઇન્દ્રિયોને વશ કરવા અધિકારી બને છે. દ્રવ્ય પ્રત્યાખ્યાન કરીને અનેક પ્રકારની પીગલિક વસ્તુઓનું મમત્વ ઈચ્છા વગેરેના રોધરૂપ ભાવ પ્રત્યાખ્યાન કરવાની અત્યંત જરૂર છે. ભવ્યપુરુષોએ ભાવ પ્રત્યાખ્યાનપૂર્વક દ્રવ્ય પ્રત્યાખ્યાન તરફ લક્ષ દેવું જોઈએ. અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરવાની જરૂર છે. દુનિયાના જડ પદાર્થોના અણુઅણુમાં પણ મમત્વ-ઈચ્છા ન રહે અને કઈ પણ જડ પદાર્થની વાસના ન રહે ત્યારે સમજવું કે પ્રત્યાખ્યાનની ઉરચ કોટીમાં આત્માને પ્રવેશ થયે છે. કષાયને ત્યાગ કરે એ ભાવ પ્રત્યાખ્યાન છે. દ્રવ્ય પ્રત્યાખ્યાનીને ભાવ પ્રત્યાખ્યાન વિના ક્રોધરૂપ અજીર્ણ ખરેખર ૧૩
For Private And Personal Use Only