________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિક્રમણ આવશ્યક.
( ૯૩ )
રાગદ્વેષ પરિણામ પામેલા મનને રાગદ્વેષરહિત કરવું તે પ્રતિક્રમણ છે. સંસાર સમ્મુખ થનાર મનને આત્મ સન્મુખ કરવું તે પ્રતિક્રમણ છે. મેહથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. જે જે અંશે દેથી પાછા ફરવાને પરિણામ તથા તેવી પ્રવૃત્તિ થાય તે પ્રતિક્રમણ છે. ગૃહસ્થો અગર ત્યાગીઓએ વ્રતમાં લાગેલા અતિચારેને આલેચવા તે પ્રતિક્રમણ છે. દોષથી પાછા ફરવાનો પરિણામ તથા આચાર સેવનારા ગૃહસ્થ તથા ત્યાગીઓમાં પ્રતિકમણ ગુણ વધે છે.
પાપથી પાછા ફરવારૂપ વિચારોવડે કાયા ઉપર અસર થાય છે અને તેથી કાયાવડે થતા દો અટકે છે. મનની અસર કાયા પર તથા વાણી પર થાય છે. મન-વાણી અને કાયાના દોષોને ટાળવા માટે થતા પરિણામ તથા કાયવ્યાપારને પ્રતિક્રમણ કહેવામાં આવે છે એમ અન્તરમાં ઊંડા ઉતરી વિચાર કરતાં સમ્યગ રીતે બોધાશે. હેને અને પુરૂષોમાંથી દરરોજ પ્રતિક્રમણથી દુર્ગણે ન્યૂન થવા જોઈએ. ગૃહસ્થમાં નીતિ–પ્રમાણિકપણું વધે અને અન્યાય-અનીતિ વગેરે દેશે ટળે તે સમજવું કે તેનામાં પ્રતિકમણની શક્તિ ગમે તે રૂપે જાગ્રત થઈ છે અને તેઓને પ્રતિક્રમણને લાભ સમજાવે છે. સજજનપણને ઉત્પન્ન કરનાર પ્રતિક્રમણ છે. દુનિયામાં જન્મથી કઈ સદગુણી હોતો નથી. પ્રતિક્રમણથી સર્વે મનુષ્યો ગુણ થાય છે. વ્રતમાં લાગેલા મેલને પ્રતિકમણ રૂપ સાબુથી ધોઈને વ્રતની નિર્મલતા કરી શકાય છે. ભૂતકાળના અનન્ત ભવનાં કર્મને ક્ષય કરનાર પ્રતિક્રમણ છે. જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર અને વીર્યાચારો સેવતાં જે કંઈ ભૂલ થઈ હોય તેને પશ્ચાત્તાપ નિંદા અને ગહરૂપ પ્રતિક્રમણ છે. મગજની સમાનતા રાખીને સેવા આદિ કર્મવેગનાં કાર્યો કરતાં સમભાવ ન રહ્યો હોય અને વિષમભાવ થયે હોય તે ત્યાંથી પાછા ફરીને સમભાવમાં ગમન કરવું તે પ્રતિકમણ છે. અસત્ય વિચારોમાંથી સત્ય વિચારોમાં આવવા પ્રયત્ન કરે; પક્ષપાત દૃષ્ટિમાંથી અપક્ષપાત દૃષ્ટિમાં આવવા પ્રયત્ન કરે; દષ્ઠિરાગમાંથી નીકળી મધ્યસ્થભાવમાં આવવા પ્રયત્ન કરે; એકાન્તવાદમાંથી અનેકાન્ત વાદમાં ગમન કરવું; નિરપેક્ષ વ્યવહારમાંથી સાપેક્ષ વ્યવહાર માનવા પ્રયત્ન કરવો. અશુભ વ્યવહારથી શુભ વ્યવહારમાં પાછા ફરવું અને અસભ્ય વર્તનથી પાછા ફરીને સભ્ય વર્તન નમાં આવવા પ્રયત્ન કરે -ઈત્યાદિ પ્રતિક્રમણ અવબોધવું. અનન્તાનુબંધી કષાયના પરિણામથી પાછા હઠવું, અપ્રત્યાખ્યાન કષાયથી પાછા હઠવું પ્રત્યાખ્યાની કવાયના પરિણામ થી પાછા હઠવું અને સંજ્વલન-ધ-માન-માયા-લોભ કષાયથી પાછું ફરવું તે પ્રતિકમણ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દયાનમાં પ્રતિક્રમણ કરી ક્ષપકશ્રેણિ ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અસંતેષપણુના વિચારોને આલેચી સંતોષના વિચારો તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિ
For Private And Personal Use Only