SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૨ ) શ્રી ક્રમ'યોગ ગ્રંથ-વિવેચન. કહેવાય છે. નૈગમ સંગ્રહ વ્યવહાર ઋનુસૂત્ર શબ્દનય સમભિરૂઢ અને એવભૂતનય એ સાત નયથી પ્રતિક્રમણ કરવું જોઇએ. આત્માથી પ્રતિક્રમણ ભિન્ન છે કે અભિન્ન છે તેને નાવડે સાપેક્ષ વિચાર કરીને શુદ્ધ પ્રતિક્રમણુની આરાધના કરવી. જે જે શબ્દોવડે પ્રતિક્રમણ કરવું તે તે શબ્દોના સાત નયાવડે સમ્યગ્ અર્થના વિચાર કરવા જોઇએ. ગાડરીયા પ્રવાહ રીતિએ પ્રતિક્રમણ કરવામાં સુધારો કરીને દરરાજ દુર્ગુણામાંથી મુક્ત થવાય અને સદ્ગુણ્ણાની વૃદ્ધિ થાય એવા દરરોજ પ્રયત્ન કરવા જોઇએ. પાપોના પશ્ચાત્તાપથી અન્તઃકરણ ધણુ કુમળુ થવુ જોઇએ અને આત્માની શુદ્ધતાના ઉપયોગ પ્રગટવા જોઇએ. આત્માની નિર્મલતા કરવા માટે પ્રતિક્રમણ એ ગંગાના સમાન છે. આખી દુનિયાના મનુષ્યા પાપોથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણુ કરે તે આ દુનિયા દિવ્ય દુનિયા બની શકે. જે જે દોષો ઉત્પન્ન થાય તેનાથી પાછા ફરવામાં ન આવે તે પ્રતિક્રમણ કર્યું” એમ કહેવાય નિહ એમ ખાસ લક્ષ્યમાં રાખીને પ્રતિક્રમણ કરવું જોઇએ. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ કર્મ ના પ્રદેશમાંથી પાછા ફરીને આત્મપ્રદેશમાં આવવા માટે પ્રતિક્રમણ કરવું જોઇએ. ચારી-ત્ર્યભિચાર-હિંસા-જાડ-લાભ-ખોટી સાક્ષી-ચાડી-ચુગલી—વિશ્વાસઘાતક્રોધ-ફ્લેશ-ઝઘડા-ટટા–વૈર-અહંકાર-કપટ અને નિન્દા વગેરે દોષોથી પાછા ફરાય અને અસ્તેય-બ્રહ્મચર્ય -સત્ય-નિલેૉંભતા-વિશ્વાસ-મૈથ્યાદિ ભાવના–પ્રમાણિકતા—સ ૨ લ તા-ક્ષ માલઘુતા-ક્ષમાપના અને આત્મભાવના વગેરે ગુણામાં આગળ દરરોજ વધાય તે અવમેધવું કે પ્રતિક્રમણ ખરેખરૂ થાય છે. દુર્ગુણોથી અર્થાત્ પાપથી પાછા ફરવાના પિરણામ ન હોય ત્યાં પ્રતિક્રમણ નથી, રાત્રિ અને દિવસમાં કયા ક્યા અનીતિોષા કરાયા તેની જેઆને યાદી ન હેાય અને જે ક્યાંથી પાછા ફરીને કયાં આવવાનુ છે તે જાણુતા ન હેાય તેઆ પ્રતિક્રમણના અધિકારી થયા નથી એમ અવબોધવું. ગૃહસ્થો અગર ત્યાગીઓમાં પાપથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ પરિણામ થાય અને તે પ્રમાણે વર્તાય તે તેની છાપ જેએ પ્રતિક્રમણુ ન કરતા હોય તેના ઉપર પડે છે અને તેથી તેઓ પ્રતિક્રમણ આવશ્યક સ્વીકાર કરે છે. પાપ અર્થાત દુર્ગુણા-અનીતિ અને અપ્રમાણિકતાથી પાછા કનાર મનુષ્ય ખરેખર પ્રતિક્રમણુ શબ્દની અને તેના રહસ્યની છાપ મેલ્યા વિના અન્ય મનુષ્યો પર પાડી શકે છે. આખી દુનિયામાં પ્રતિક્રમણ અથવા પાપથી પાછા ફરવાનું આવશ્યક મહત્વ ફેલાવવામાં આવે તે! દુનિયાના મનુષ્યામાંથી પાપા ટળી જાય, શ્રી સર્વજ્ઞ વીરપ્રભુએ પ્રતિક્રમણને આવશ્યકકા તરીકે ઉપદેશ્ય છે તે ખરેખર યથાર્થ છે. પ્રતિક્રમણના અધ્યવસાય ઉત્પન્ન થવાથી દુરાચારી પાપી મનુષ્યા સદાચારી ધમી બન્યા છે અને છે અને બનશે. ભૂતકાળમાં અનન્ત જીવે પ્રતિક્રમણ કરીને મુક્તિ પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે, દરેક મનુષ્ય રાત્રિ અને દિવસમાં જે જે પાપે કર્યાં હાય તેને આલાચવાં જોઈએ અને મન તથા ઇન્દ્રિયાને દુર્ગુણાથી પાછી હુડાવવી જોઇએ, For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy