SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન. અદયવસાયરૂપ અસંખ્યાત છે. ઉત્તરોત્તર અનુક્રમે સમભાવ અધ્યવસારૂપ પગથીયાં પર ચઢતાં આગળ પાછળના રાગદ્વેષના વિચારો તરફ લક્ષ ન રાખતાં જેઓ ભયરૂપ ઝંઝાવાતને જીતીને ઠેઠ શિખર પહોંચી પરમાત્મા બન્યા એવા સિદ્ધ અચલ સમભાવપર્વતની ટોચ પર વિરાજિત તીર્થકરોની સ્તુતિ કરવાથી સમભાવરૂપ સામાયિકની પુષ્ટિ થાય છે. સમભાવની પરિપૂર્ણ દશા પ્રાપ્ત કરી છે જેઓએ એવા ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરવી. નામપૂર્વક ચવીશ તીર્થકરોનું સ્મરણ કરવું અને તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિગુણોમાં સંયમ કરી લયલીન થઈ જવું. તેનામાં પ્રગટેલી પરમાત્મતા ખરેખર સત્તાએ પિતાનામાં છે–એ ભાવ લાવીને તીર્થકરોની સાથે અભેદ ધ્યાનવડે એકરૂપ બની જવું એજ લગસ્મસૂત્રમાં કહેલ વાસ્તવિકભાવ છે. પરિપૂર્ણ કેવળજ્ઞાનાદિ ગુણો જેવા તીર્થકરોમાં છે તેવા મારામાં છે. શ્રી તીર્થકરને પિતાના હૃદયમાં દયેયરૂપ ધારણ કરવાથી પોતાનામાં પરમાત્મપણું પ્રગટે છે. પરમાત્માઓનું ધ્યાન એ ખરેખર પિતાનું પરમાત્મપણું પ્રગટાવે છે. તીર્થંકર પરમાત્માના ગુણોની મન વચન અને કાયાવડે સ્તુતિ કરવી જોઈએ. તીર્થકરોને પરિપૂર્ણ ન અને નિક્ષે પાપૂર્વક ઓળખવા. તીર્થકરોને સમભાવમાં રહીને દેખવા અને તેમનામાં પ્રગટેલી પૂર્ણ સમતા તરફ લક્ષ રાખવું એજ પરમાત્માના પગલે ચાલવાનું કૃત્ય અવબોધવું. નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાએ વીશ તીર્થકરોનું સ્વરૂપ વિચારવું. સર્વ પ્રકારના નિક્ષેપાઓથી તીર્થકરોનું સાપેક્ષ સ્વરૂપ સમજાય છે માટે કોઈ નિક્ષેપાના ખંડન તરફ દષ્ટિ ન દેવી પણ દરેક નિક્ષેપથી તીર્થકરોના સ્વરૂપને જાણી તીર્થકરોની હૃદયમાં ઉપાદેય દૃષ્ટિ રાખીને સ્તુતિ કરવી. ભાવનિપાએ ગુણ પ્રકટાવવા માટે નામાદિ ત્રણ નિક્ષેપની આવશ્યક્તા સિદ્ધ કરે છે. તીર્થકરોની વાસ્તવિક સ્તુતિ કરવાને પ્રથમ સામાયિકમાં પરિણામ પામેલે મનુષ્ય અધિકારી ગણાય છે. શ્રી તીર્થકરના દરેક ગુણનો વિચાર કરવો અને પછી તે ગુણ પિતાનામાં પ્રગટાવવા શ્રી તીર્થકરના ગુણની સાથે એક ચિત્તથી લયલીન થઈ જવું. આવી રીતે અભ્યાસ કરવાથી કાળે કાળે તીર્થ કરેના ગુણોની પેઠે પિતાના આત્મામાં સત્તામાં રહેલા ગુણ આવિર્ભાવરૂપ થાય છે. તીર્થકરોની સ્તુતિ કરીને તીર્થક જેવા ગુણો પ્રગટાવવા લક્ષ્ય રાખવું. વાસનાઓ-સ્વાર્થો અને અનેક દુનિયાના પદાર્થોની આશાઓને પરિપૂર્ણ કરવા તીર્થકરોની સ્તુતિ-પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં સુધી તીર્થકરોને પરિપૂર્ણ સ્વરૂપે જાણવામાં આવ્યા નથી. શ્રી તીર્થ". કરેની પાસે પીગલિક પદાર્થોની ભિક્ષા માગનાર પોતાની અજ્ઞતા પ્રગટ કરે છે અને તે તીર્થકરેના ગુણે તરફ લક્ષ્ય રાખી શકતો નથી. અનેક પ્રકારનાં દુઃખે પડતાં છતાં અને અનેક પ્રકારના પદાર્થોની જરૂર હોય તે પણ તે વસ્તુઓની માગણી કદિ પ્રભુની મૂત્તિ સામે ઉભા રહીને કરવી નહિ. કર્મના શુભાશુભ ફલેમાં સમભાવી બનીને તીર્થંકરનું અવલંબન કરીને પોતાનામાં તીર્થકરપણું પ્રકટાવવાનું છે. ચોવીશ તીર્થકરોના નામપૂર્વક For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy