________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
UR
શકાય છે. સમભાવરૂપ સામાયિક એક દરિયા સમાન છે, તેમાં અહંવૃત્તિને ભાવ ભૂલીને ડુબકી મારી દેવાથી પિતાના અનન્તાનન્દ જીવનને સાક્ષાત્કાર થાય છે એમ જ્ઞાનીઓને સમભાવ પરિણામના ઉપગમાં સત્યાનુભવ પ્રગટે છે. સમભાવ સામાયિકથી સમુદ્રમાં જન્મમરણ એ કચરા જેવા લાગે છે તેમજ શરીરાદિ તૃણ સમાન લાગે છે. આવી સામાયિકની દશામાં આનન્દઘન પ્રગટે છે.
સામાયિકકિયાના વિધિમતભેદની ચર્ચાના ફ્લેશમાં ચિત્ત વાણી અને કાયાનો વ્યાપાર કરીને સમભાવરૂપ સામાયિકના પ્રદેશથી વિરૂદ્ધપત્થમાં ગમન કરવાથી ખેદ–અરુચિ પ્રગટે છે અને આત્માના અશુભ પરિણામ થવાથી કર્મબન્ધ થાય છે. સામાયિકનો સાપગ રહે અને ક્ષણે ક્ષણે આત્માની શુદ્ધિના અધ્યવસાયે પ્રગટે એક ખાસ વિચારવા
ગ્ય છે. આત્માના શુદ્ધધર્મને ઉપગ ધારણ કરીને આત્માના એક ગુણધ્યાનમાં ઘણું વખત સુધી લયલીન થઈ જવું. ખાતાં પીતાં, ઉઠતા બેસતાં, ફરતાં અને બોલતાં સમભાવરૂપ સામાયિકનો પરિણામ રહે અને વિષમભાવના હેતુઓ પ્રાપ્ત થયા છતાં સમભાવના બળથી તેને હઠાવી શકાય એજ નિવૃત્તિને માર્ગ છે. અનાદિકાલથી મનવૃત્તિથી કલ્પાયલા શત્રુઓમાંથી શત્રુબુદ્ધિને ત્યાગ કરવો જોઈએ અને અનાદિકાલથી મનવૃત્તિથી કલ્પાયેલી ઈષ્ટ વસ્તુઓમાંથી રાગ પરિણામનો ત્યાગ કરવો જોઈએ. જગતને તટસ્થ રહીને દેખવાની શક્તિ પ્રાપ્ત કરવી. જગમાં સાક્ષીભૂત રહીને અધિકાર પરત્વે કાર્યો કરવાની નિર્લેપજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવી એજ સમભાવરૂપ સામાયિકના આનન્દદેશમાં ગમન કરવાનો અનુભવ છે. દુનિયામાં પ્રવર્તતા અનેક મતભેદોમાં સમપરિણામની દષ્ટિએ દેખવું અને તેમાં થતા રાગદ્વેષ પરિણામને ત્યાગ કરીને સત્યદૃષ્ટિએ સાપેક્ષ સત્યત્વ વિચારવું એ જ સમભાવરૂપ સામાયિકમાં સ્થિર થવાનો મુખ્ય ઉપાય છે. સમભાવમાં પરિણામ પામેલા જ્ઞાનથી સામાયિકરૂપ આત્મામાં રમણુતા કરવી અને અનેક અપેક્ષાએ સમભાવના હેતુઓને દ્રવ્ય. ક્ષેત્ર કાલભેદે વિચાર કરીને વ્યવહાર સામાયિકાદિમાં સાપેક્ષપણે વર્તવું-એ વિશાળ જ્ઞાનક્ષેત્રની ઉત્તમતા છે. ત્રસ અને સ્થાવર જીવો પર જેને સમભાવ છે તેને સામાયિક છે. જડવતુથી આત્માને ભિન્ન કરીને આત્માના ગુણોમાં લયલીન થઈ જવાથી આત્માનું વાસ્તવિક સામાયિક પ્રગટે છે. ક્રોધ માન માયા લેભ ઈષ્ય કલહ હિંસાવૃત્તિ પરિગ્રહ અને વિષયવાસનાને સમાવવાથી ખરેખરૂં આત્મામાં સામાયિક પ્રગટે છે. નિવૃત્તિમાર્ગમાં રહીને સામાયિકની સિદ્ધિ કરવાની છે અને તેની ઉપસર્ગરૂપ કસોટીએ કસીને પરીક્ષા કરવાની હોય છે. રાગદ્વેષના વિષમભાવમાં ન પડતાં આત્માને સમભાવમાં રહેવું એવું સામાયિક આવશ્યક એ મોક્ષમાર્ગ છે. દુનિયાના જીવોની સાથે અનાદિકાલથી રાગદ્વેષ કરીને વિષમભાવ ધારણ કર્યો હોય તેનાથી દૂર રહીને સમભાવ વિચારશ્રેણિ પર આરહણ કરવુંએજ સામાયિકની શુદ્ધતા તરફ ગમન કરવાને વાસ્તવિકમાર્ગ છે. ઇન્દ્રિયનો વિષય
For Private And Personal Use Only