________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BE
સમભાવરૂપ સામાયિક.
( ૮૫ )
ધર્મના હોય તો પણ તેની મુક્તિ થાય છે. ચંદન લગાસંઘો ઘા શુદ્ધ ઘા ઝવ કન્નો વ. સમભાવમથી ૩
મુd સં ? તાંબર હોય, વા દિગંબર હોય, બૌદ્ધ હોય અથવા અન્ય વેદાંતી આર્યસમાજી હિંદુ ખ્રિસ્તી અને મુસલમાન વગેરે ગમે તે હોય પરંતુ સર્વ દર્શનના આચારવિચારોમાં જેને સમભાવ થયો છે તે મુક્તિ પામે એમાં જરામાત્ર પણ સંદેહ નથી. સર્વ ભવ અને સર્વ પાપોથી મૂકાવનાર સમભાવ છે. સમભાવપ્રાપ્તિ માટે જે જે સાધન અવલંખ્યાં હોય પરંતુ સમભાવની પ્રાપ્તિ ન થઈ તો તે સાધનની નિષ્ફળતા જાણવી. સમભાવ એ પરમાત્માનું હૃદય છે. સમભાવને પામનાર પરમાત્મા બને છે. સમભાવી આત્મા કર્તવ્યકરણી કરતો છતે સદા મુક્ત છે. સમભાવી આત્મા આ વિશ્વમાં સર્વ મનુષ્યને રાજાઓને અને ઈન્દ્રોને માન્ય-પૂજ્ય છે. સમભાવરૂપ સામાયિકમાં રહેનારને ઉરચ સત્ય તની પ્રાપ્તિ થાય છે અને તે વિશ્વમાં સંપૂર્ણ સત્યને દેખી શકે છે. આત્માના જ્ઞાનાદિગુણોને ખીલવવાનો મૂળ સમભાવરૂપ સામાયિક જ ઉપાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણામ પામીને પશ્ચાત્ જોવામાં આવે તે જ્ઞાનાદિગુણની શુદ્ધિ થયેલી અનુભવવામાં આવે છે. ગૃહસ્થાએ દરરોજ સામાયિક કરવું જોઈએ અને સામાયિકરૂપ આત્માને પ્રાપ્ત કરવા દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. ભરનિદ્રામાં જેમ દશ્ય દુનિયાનું ભાન રહેતું નથી તેવી રીતે સત્ય સામાયિકમાં રાગદ્વેષાત્મકવૃત્તિનું ભાન રહેતું નથી. ભરનિદ્રાની પેઠે રાગદ્વેષના વિચારોને ઉપશમ થવો જોઈએ. સમભાવરૂપ સામાયિકમાં પરભાવનો વિચાર ન હોવો જોઈએ. શુદ્ધોપયોગથી સ્વસમયમાં રમણતા કરવાથી આત્માની ખરી દશાને ખ્યાલ આવે છે. જગતના દૃશ્યને પાંચ ઈન્દ્રિયો અને મનથી બિલકૂલ સંબંધ ન રહે અને આત્મગુણોમાં મનની એવી રમણતા થાય કે જાણે હું આત્મા વિના અન્યનો સંબંધી નથી, આવી દશામાં સમભાવરૂપ સામાયિકનો અનુભવ આવે છે અને તેથી આત્માનો સહજાનન્દ અનુભવાય છે. સમભાવરૂપ સામાયિકમાં નિવૃત્તિ સુખને પ્રકાશ ખીલે છે. શરીરના અણુઅણુમાંથી મમત્વ–રાગભાવ દૂર થાય અને ગમે તેવા ભયમાં છાતી ધડકે નહિ અને આત્મા ચંચલ થાય નહિ, એવો ભાવ આવ્યાથી આત્માનું સામાયિક ખરેખર આત્મામાંજ બને છે. સમભાવરૂપ સામાયિકને હું કતભક્તા છું એવું ભાન પ્રગટ થાય છે ત્યારે “ આત્મવત્ સર્વભૂતેષુ : પતિ પરાતિ” એવી આત્મદષ્ટિ પ્રગટે છે. અને આત્માનું વીર્ય સ્થિર થાય છે. સમભાવરૂપ પરિણામ પ્રગટ થતાં સામાયિકરૂપ આત્મા દેખાય છે, અને એવો આત્મા કર્મયોગમાં પ્રવૃત્ત થઈને મગજની સમતોલ દશા સંરક્ષી શકે છે. આત્મામાં પરિણામ પામતો એવો જ્ઞાની કાચલી અને ટોપરાની પેઠે રાગાદિ કર્મભાવથી ભિન્ન પડે છે અને શુષ્ક નાલીએરની પેઠે તે શરીરકર્મથી જુદા પડી પિતાનું આનન્દરૂપે પ્રકાશિત કરે છે. સમભાવ સામાયિકમાં પરિણામ પામ્યાથી ગજસુકુમાલની પેઠે વા સ્કંધક મુનિના પાંચસે શિવેની પેઠે અનેક ઉપસર્ગો પડતાં છતાં પરમાત્મદશા પ્રગટાવી
For Private And Personal Use Only