SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UF પરિણમતાં સમદર્શનરૂપ સામાયિક કથી શકાય. જે મને સત્તાના ઐકયે અને સમભાવે સર્વત્ર દેખે છે અને સર્વ મારા વિષે અર્થાત્ આત્મામાં-બ્રહ્મમાં દેખે છે તેને હું નાશ કરી શકતો નથી અને તે મારો નાશ કરી શકતો નથી–એમ જૈન આધ્યાત્મિક દૃષ્ટિએ અવબોધવું. સર્વભૂતસ્થિત એવા મને જે એકવમાં આસ્થિત થઈને ભજે છે તે ગી સર્વથા વર્તમાન મારામાં પણ છે એવું સમભાવની અભેદભાવનાએ અવધવું. સ્વાત્માવત સર્વત્ર સર્વ જીવોને સમપણે દેખે છે તથા સુખ દુઃખમાં પણ જે સમપણે વર્તે છે એવા સમભાવરૂપ સામાયિકને પ્રાપ્ત કરનાર પરમયોગી જાણો. સમભાવરૂપ સામાયક એવું છે કે જેમાં જન્મ જરા અને મરણનાં દુઃખને અવકાશ નથી. સમભાવ એજ મુક્તિની સાચામાં સાચી નિઃસરણિ છે. સમભાવનાં પરિણામ પામેલો આત્મા તેજ ઉત્તમોત્તમ સામાયિક છે. જે જે અંશે સમભાવ આવે છે તે તે અંશે સામાયિક છે એમ નયેની અપેક્ષાએ અવધવું. કોઈ પર રાગ વા કેઈ પર દ્વેષ વિચાર થાય નહિ એવું સમભાવ સામાયિક અડતાલીશ મીનીટ પર્યત સતત સમભાવના વિચારોથી કરાય તે ઉત્તમ અવબોધવું. સામાયિક રૂપ આત્માને પ્રાપ્ત કરે અર્થાત સમભાવપરિણામમાં રહેવું એજ સામાયિક છે. આવું સામાયિક કર્યા વિના સંસારને અત આવતું નથી. ગમે તે વિચારો ! ! ! ગમે ત્યાં જાઓ ! ! ! પણ સમભાવપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના આત્માને આનન્દ પ્રાપ્ત થનાર નથી. સમભાવની ખુમારી જ્યાં ન હોય તે સામાયિક વસ્તુતઃ નથી. આખી દુનિયાના મનુષ્યોને સમભાવરૂપ સામાયિકની આવશ્યકતા છે; માટે સમતાને સામાયિક આવશ્યક કહેવામાં આવે છે. જ્ઞાનયોગીને સામાયિક પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગીની નિશ્રાએ કર્મયોગીને સામાયિક પ્રાપ્ત થાય છે. સમભાવ પ્રાપ્ત કરવાની ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. અધ્યામશૈલીની પરિભાષાએ સમભાવ જેથી પ્રાપ્ત થાય એવી ક્રિયાઓ જે જે હોય તે તે નિરવદ્યકર્મવેગ અવબોધ. બે ઘડીના સામાયિકમાં સમભાવરૂપ પરિણામની ખુમારી પામેલો મનુષ્ય અન્ય કાર્યો કરતી વખતે પણ નિર્લેપ રહેવા સમર્થ થાય છે અને તે ગમે તે વખતે પણ સમભાવને ભૂલતું નથી. આવી સમભાવની દશામાં આવ્યાથી વાસનાઓને સ્વયમેવ વિલય થાય છે અને તરવારના મ્યાનની પેઠે સર્વકાલમાં શરીરાદિથી ભિન્નપણે આત્માનું ભાન થાય છે. સમભાવ સામાયિક એ પોતાના આત્મામાં છે માટે અન્તર્દષ્ટિથી અન્તરમાં જોવું. આત્માના સમભાવ ધર્મને પ્રાપ્ત કર્યા પછી અન્ય આવશ્યકેને મનુષ્ય અધિકારી બને છે. સમભાવમાં પરિણામ પામેલે આત્મા ખરેખરી પ્રભુની પ્રભુતાને અનુભવ કરવા સમર્થ થાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણમી જવું એજ પરમાત્માનો અનુભવ કરવાનો મુખ્ય ઉપાય છે. સર્વ જીની તથા પિતાની સિદ્ધસમાન સત્તાનું ધ્યાન ધરવું અને ઔદયિકભાવ પર દૃષ્ટિ મૂકવી નહિ એ જ સામાયિકરૂપ પિતાના આત્માને અનુભવવાને મૂળમંત્ર છે. સમભાવરૂપ સામાયિક કરનારા ગમે તે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy