SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UR સમભાવનું મહત્વ. (૮૩ ) દુનિયામાં કોઈ પણ પદાર્થ પર રાગ વા Àષની વૃત્તિ ધારણ કરવી નહિ. આત્માની મૂળ શુદ્ધદષ્ટિથી સર્વ દેખવું. આત્મદૃષ્ટિથી સર્વ જીવોના મૂળ ધર્મને દેખ. જેની સાથે લાગેલાં કર્મ અને તેથી થએલી બાહ્ય શરીરાદિ સ્થિતિ તે ઉપર લક્ષ્ય દેવું નહિ. જીવને જીવના મૂળ શુદ્ધ ધર્મો દેખ અને પુદ્ગલને પુદ્ગલ રૂપે દેખવું. કેઈ દ્રવ્યો કે દ્રવ્યમાં આરેપ કર્યા વિના વસ્તુને વસ્તુ રૂપે અવલોકને આત્માના સમભાવ ધર્મથી એક ક્ષણ માત્ર પણ દૂર થવું નહિ. આવું સમભાવરૂપ આત્માનું સ્વરૂપ તેજ સામાયિક છે. અન્તમું પગથી આત્માના સમભાવ પરિણામમાં રમવું તેજ ઉત્તમ સામાયક છે. તેના સમાન અન્ય સામાયિકો કે જે વ્યવહારથી ગણાય છે તે નથી. વ્યવહાર કરણીરૂપ પર વસ્તુમાં સામાયિકના આરોપવડે નૈગમનને આશ્રય કરીને સર્વ નયસાપેક્ષતાને સામાયિકમાં ચૂકવી નહિ. જે જે વખતે વ્યવહારથી સામાયિક કરવામાં આવે તે તે વખતે ક્રોધ માન માયા લેભ અને પરવસ્તુમમત્વ વગેરે દેને ટાળવા અને વૈરાગ્યવડે આત્માને ભાવવા પ્રયત્ન કરવો. નિમિત્ત કારણોનું અવલંબન કરીને આત્મામાં સામાયિક જવું. આત્મારૂપ સામાયિકમાં લક્ષ પ્રેમ રાખીને લયલીન થઈ જવું. રાગદ્વેષાદિ પરિણતિથી રહિત એવું મારું શુદ્ધ સ્વરૂપ તે જ હું છું એવા શુદ્ધોપગ વડે સામાયિકને કાલ સફલ કરો. સામાયિક તો દરરોજ ગૃહસ્થોએ કરવું અને સાથોપગવડે આત્માને ભાવો કે જેથી દરરોજ રાગદ્વેષની પરિણતિ ટળે અને તેથી પિતાનો આત્મા સર્વ બાબતમાં સાક્ષીરૂપ બની શકે. તે સમો સમૂહુ, થાણુ ય તરત સામાયં દોz, ફુ સ્ટમાં I 2 જે સર્વભૂત ત્રસસ્થાવર જીવોમાં રાગ દ્વેષ વિના સમભાવે વર્તે છે તેને સામાયિક છે એ પ્રમાણે કેવલિભાષિત છે. રાગી અને દ્વેષી સર્વ જીવોમાં સમભાવ વતે ત્યારે સામાયિકદશા આવી એમ અવધવું. સમભાવપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાથી વિશ્વવર્તી સર્વજીનું શ્રેયઃ સાધી શકાય છે. સર્વ જીવોમાં અને અજીમાં જેને સમભાવ પ્રગટ હોય છે તે અષિ મહાત્મા સાધુ આદિ પદને અધિકારી બની શકે છે. સમભાવથી ઉચ્ચ પદ મળી શકે છે. સમભાવ વિનાના મનુષ્ય ઉચ્ચ પદે કદાપિ વ્યવહારથી ચઢે છે જ્હોયે તેઓ ત્યાંથી પતિત થાય છે. જેમ જેમ અધિકાર ઉરચ તેમ તેમ સમભાવરૂપ યોગ પણ ઉચ્ચ હોય છે તેજ વિશ્વનું શ્રેય સાધી શકાય છે. ભગવગીતાના ષષ્ટાધ્યાયમાં નીચે પ્રમાણે આ સંબંધી લખવામાં આવ્યું છે. સમૂતરથમામાનં સર્વભૂતાન રામના રેંતે રોજयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ २९॥ यो मां पश्यति सर्वत्र सर्व च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥३०॥ सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः। सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥ ३१॥ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । વા કિ ઘા સુદ ૪ થો vમ મત: || ૩૨ આત્માને ઐક્ય સત્તાએ સર્વ ભૂતસ્થ દેખે અને સત્તાના એયે સર્વ ભૂતોને આત્મામાં દેખે-એવા ગવડે યુક્તાત્મા સર્વત્ર સમદર્શની કથી શકાય અર્થાત એવી દશાએ સત્તાના એયે અને સમભાવે સમભાવમાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy