SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - .wriા કેમ મા જ કામ ન છ પ્રકારના આવશ્યક કમેં. ( ૭૧ ). ધર્મક હોય તેમાં મનને નિયુક્ત કરવાથી તે તે કાર્યોની સત્વર સિદ્ધિ થાય છે અને ધર્મકાર્યના પ્રવૃત્તિમાર્ગમાં વિદ્યવેગે આગળ વધી શકાય છે. ધર્મના જે જે નિવૃત્તિ માર્ગો હોય તે તે માર્ગોનું સંરક્ષણ કરવા માટે વર્તમાનકાલદેશાદિકને અનુસરી આવશ્યક જે જે ધર્મક જણાતાં હોય તેમાં ધાર્મિકજનોએ પ્રાણુહુતિપૂર્વક પ્રવૃતિ કરવી જોઈએ. શ્રી ગુરુ આદિ જેઓ ધર્મના પ્રગતિકારક હોય તેઓનું પ્રતિપક્ષદુષ્ટજનથી રક્ષણ કરવું એ એક જાતની ભકિતરૂપ આવશ્યક ધર્મકર્મ છે; તેને સેવકેએ આદરવું જોઈએ. અકસ્માતું રાત્રી ના દિવસમાં જે ધર્મકાર્ય કરવાની દેવગુરુ અને ધર્મપ્રતિ આવશ્યકતા ઊભી થાય તે તે ધર્મકર્મની આવશ્યકતાને સ્વફરજરૂપ લેખવી–તેમાં પ્રવૃત્તિ કરવી એ ધર્મવીરપુરૂષનું લક્ષણ છે. ધર્મનાં સર્વાગો, ધર્મનાં સર્વ સાહિત્ય અને ધર્મપ્રચારક સર્વ સામગ્રીઓની રક્ષા વૃદ્ધિ અને પ્રગતિ કરવી એ ધર્મનાં આવશ્યક કર્મો છે. ધર્મ અને ધર્મીઓની પ્રગતિમાં જે જે આસુરી મનુષ્ય તરફથી વિદને થાય તો તે વિઘોને નાશ કરવા દૈવિકશક્તિને પ્રકટાવવી અને દોષભેગે ધાર્મિકજનોને અનન્તગુણ લાભ થાય એવી પ્રવૃત્તિ પ્રારંભવી અને તેમાં યહોમ કરીને જીવન સમર્પવું એ નિષ્કામ ધર્મકર્મગીઓની આવશ્યક ધર્મકર્મ ફરજ છે. આત્મસમર્પણ કર્યા વિના કદાપિ કઈ કાર્ય કરી શકાતું નથી. વિશ્વમાં જેણે આત્મસમર્પણ કરવામાં દેહાદિકની મમતા ત્યજી દીધી છે અને સ્વફરજમાં જેણે લક્ષ્ય દીધું છે તે મનુષ્ય ખરેખર કઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થઈને આત્મિક પ્રગતિ કરી શકે છે. નિષ્કામબુદ્ધિએ મરજીવા થઈને ધર્મકાર્યો કરવાં જોઈએ. સ્વાર્થે–પરાર્થે અને સંઘાર્થે જે જે ધર્મકામે કરવામાં સ્વાધિકાર મેગ્યતા અવબોધાતી હોય તો તેવા આવશ્યક ધર્મકાર્યો કરવામાં ડરવાના કરતાં મરવું એ છેરૂપ છે એમ માનીને તેઓમાં માન અપમાનની વા કઈ પણ ક્ષણિક લાલસા રાખ્યા વિના પ્રવૃત્ત થવું એજ ધર્મકર્મગીઓની મુખ્ય કર્તવ્ય ફરજ છે અને તે અદા કરવીજ જોઈએ; જે જે ધર્મકર્મ કરવાથી જે જે ફલ પ્રાપ્ત થવાનું છે તે થયા વિના રહેતું નથી. તેના ફલની ઈચ્છા રાખતાં કદાપિ તે ફલ ન પ્રાપ્ત થયું તો છેક ચિન્તા અને પાછા હઠવાનું થાય છે અને કદાપિ ઇચ્છાપૂર્વક ફલ પ્રાપ્ત થયું તે હર્ષ અને પુલાવવાનું થાય છે. હર્ષ કુલાવું શક ચિન્તા વગેરેથી આત્મા સમભાવ ત્યાગીને વિષમરાગાદિક ભાવમાં ઉતરી જાય છે અને તેથી સમભાવે સ્વફરજ અદા કરતાં જે આત્માની ઉચ્ચતા-શુદ્ધતા રહે છે તે રહેતી નથી અને રાગાદિનું સત્વ પ્રાપ્ત થાય છે. અતઓવ ધર્મકર્મચગી એ ધર્મકર્મથી જે થવાનું હોય છે તે થાય છે એ નિશ્ચય કરી સ્વયેગ્ય ધર્મકર્મની ફરજ અદા કરવા સદા અપ્રમત્તભાવે વર્તવું જોઈએ. ધર્મકર્મીઓની નિલેષપણે સ્વધર્મકર્મ ફરજ બજાવવાની દશા માટે તે સ્થિતિની પ્રાપ્તિના ઉપાયો લેવા અને યાવતું એ સ્થિતિ પ્રાપ્ત ન થાય તાવત્ આત્માની શુદ્ધતા પ્રતિ લક્ષ્ય દઈ પ્રીતિ અને ભક્તિવડે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy