SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. મુક્ત થવાને માટે કરવા જોઈએ એવો હૃદયમાં સાથે પગ રાખવાથી અન્ય વસ્તુઓની કામના પ્રગટતી નથી અને તેથી સાપેક્ષિક નિષ્કામતાએ આવશ્યક ધર્મકર્મો કરી શકાય છે એવું કથતાં કોઈપણ જાતનો વિરોધ પ્રાપ્ત થતો નથી. ધર્માવશ્યક કર્મોની પ્રથમ રુચિ થાય છે અને પશ્ચાતું તેની ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે. ઉત્સર્ગ માગે અને અપવાદ માર્ગે ધર્માવશ્યક કર્તવ્ય કાર્યોને દ્રવ્યક્ષેત્રકાલભાવે અવધવાથી પશ્ચાત્ જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે વિધિથી જે ધર્માવશ્યક કર્મ કરવાનું હોય છે તે કરવાની માન્યતા અને પ્રવૃત્તિમાં સાનુકૂલ સંગો મેળવી શકાય છે અને સંકુચિતતાને ત્યાગ કરી શકાય છે. ધર્માવશ્યકકાર્યોનું ચારે તરફથી પરિપૂર્ણ જ્ઞાન થાય છે અને તે કરવાનાં પ્રયોજનો અવબોધાય છે ત્યારે આત્માની તે તે ધર્મકાર્યો કરવા માટે ઉદારભાવના પ્રકટે છે અને તેમજ વિશાલ સાપેક્ષદષ્ટિથી પ્રવૃત્તિમાં પ્રવર્તી શકાય છે. વોરાના નાડાની પેઠે અજ્ઞ મનુ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેઓ ધર્મકાર્યોના મુખ્ય સાધ્યોપગથી બહુ દૂર જતા રહી વિનાયf ar: raaમાર વાનર ની સ્થિતિને સંપ્રાપ્ત કરી શકે છે; અતએ તે તે ધર્મકાર્યોની જ્ઞાનપૂર્વક પ્રીતિભક્તિની ધૂનમાં અર્થાત્ પ્રીતિભક્તિના અત્યંત આવેશપૂર્વક તથા અન્ય કામનાઓથી નિઃસંગપણુએ આવશ્યક સર્વ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. પ્રથમાવસ્થામાં કર્મયોગીઓએ પ્રીતિભક્તિના આવેશપૂર્વક ધર્મકાર્યોમાં પ્રવર્તવું જોઈએ. પ્રેમભક્તિવિનાની ધર્મકર્મની પ્રવૃત્તિ લુખી હોય છે અને તેથી આત્માના ઉપર કેઈપણ જાતની ઉત્તમ અસર થતી નથી. ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિથી આત્માના સદગુણોની ખીલવણીમાં દિવ્યરસ રેડાવો જોઈએ અને આત્માની શુદ્ધતાની ઝાંખી પ્રકટ થવી જોઈએ. ધર્માવશ્યક કાર્યોથી વિષય કષાય નિન્દા અને વિકથા વગેરે દુર્ગા પર જય મેળવાતે હોય તે હૃદયમાં અવબોધવું કે ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિમાં દિવ્ય ભાવના પ્રગટી છે. આવશ્યક ધર્મકાર્યોમાં લક્ષ્ય આપ્યા વિના સ્વને તથા ધર્મસમાજને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે અન્ય મનુષ્ય પણ સ્વદષ્ટાન્તને અનુસરી આવશ્યક ધર્મકાર્યોમાં પ્રમત્ત બની અવનતિપ્રતિ ગમન કરે છે. આવશ્યક ધર્મકર્મોને સર્વ મનુષ્યએ સમજપૂર્વક કરવાથી સમાજની શક્તિમાં વૃદ્ધિ થાય છે અને તેથી સંઘબલની એક્તાની સાથે સમગ્ર વિશ્વની પરમાર્થ પ્રવૃત્તિમાં સહાધ્ય આપી શકાય છે. આવશ્યક ધર્મકર્મો અનેક પ્રકારનાં છે. જે કાલે જે ક્ષેત્રે જે ધર્મકર્મની અત્યંત આવશ્યકતા જણાતી હોય તેમાં સર્વની પૂર્વે લક્ષ્ય દઈ પ્રવૃત્ત થવું જોઈએ. વ્યક્તિસંરક્ષા ગુરુસંરક્ષા ધર્મસંરક્ષા ચાતુર્વિધર્મસંરક્ષા અને યુદ્ધદુર્ભિક્ષાદિ વિપત્તિ પ્રસંગે આવશ્યક ઉપયોગી ધર્માની અપવાદિકમાર્ગે સંરક્ષા આદિ સર્વ પ્રકારની અસ્તિત્વકાકવર્ધકપ્રગતિકારક સંરક્ષાઓના સાધનભૂત જે જે આવશ્યક ધર્મકર્મો હોય તે તે કરવામાં મુખ્ય તા અને ગૌણુતાનો વિવેક સંપ્રાપ્ત કરી પ્રવૃત્ત થવું જોઈએ. ધર્માર્થે આવશ્યક છે જે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy