SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ પ્રકારના આવશ્યક કમે. षड्धावश्यककर्माणि सामायिकादिभेदतः। स्वाधिकारादिभेदेन सेव्यानि मनुजैः सदा ॥ २१ ॥ શબ્દાર્થ–ધમવશ્યક ગવડ પૂર્વકૃતકર્મને નાશ થાય છે. ફલેરછાત્યાગપૂર્વક ધર્માવશ્યક ક્રિયા કરવામાં ત્યારે અધિકાર છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સાધ્યદષ્ટિથી પ્રીતિભક્તિપ્રવેગવડે ધર્માવશ્યક કર્મોમાં પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ ધર્માવશ્યક કર્મોને કરવાં જોઈએ. ધર્માનુષ્ઠાનકારક ગૃહસ્થ અને સાધુઓ સત્વરજસ અને તમે બુદ્ધિવડે ભિન્નવૃત્તિવાળા હોય છે. મનુષ્યએ-સામાયિકાદિભેદતઃ ષડધા આવશ્યક કમેને સ્વાધિકારાદિભેદે સેવવાં જોઈએ. વિવેચન-ધાર્મિક આવશ્યક ગવડે પૂર્વભવકૃત અનેક કર્મોને નાશ થાય છે. ધર્મના પ્રતિકારક જે જે આવશ્યક યોગો હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. પ્રમદનાં સ્થાનકનો પરિહાર કરીને ધર્માવશ્યક વેગ આદરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા થાય છે અને સંવરત્વની પ્રાપ્તિ થાય છે. ધર્માવશ્યક યોગેનું મહત્ત્વ અને ઉપશિત્વ જેટલું વર્ણવીએ તેટલું ન્યૂન અવધવું. ધમવશ્યક યોગો દ્વારા અનન્ત સુખમય મુક્તિપદ પ્રાપ્તવ્ય છે એમ આનુભવિક નિશ્ચય કરીને અન્ય સકામ ફલેચ્છાને ત્યાગ કરીને ધર્માવશ્યક ક્રિયામાં પ્રવર્તવાન હે આત્મન ! ત્યારે અધિકાર અવધ ! અને આવશ્યક ધર્મકર્મોમાં પ્રવૃત્તિ કર !!! એક્ષપ્રાપ્તિ માટે ધર્માવશ્યક કર્મકરણરૂપ હારી ફરજને અદા કરવી તે હારા આત્મપુરુષાર્થ પર આધાર રાખે છે. નિર્દિષ્ટ ધર્મકર્મ સાધ્ય વાસ્તવિક ફલ જે થવાનું છે તે વિના અન્ય ફલની ઈચ્છાનો ત્યાગ કરે એમ લેખકની અભિપ્રાય શૈલીને હૃદયમાં સર્વત્ર એવા સ્થળે એ પ્રમાણે મન એ અવધવી. ધર્માવશ્યક કર્મોને પ્રીતિભક્તિની પ્રખરભાવનાપૂર્વક કરવાં જોઈએ. જે પ્રમાણમાં જેની ભાવના છે તે તે પ્રમાણમાં તેના કાર્યની સિદ્ધિ થાય છે. આવશ્યક કર્તવ્ય ધર્મકાર્યો કરવાનો પ્રસંગ કદિ ન ગુમાવવો જોઈએ. ધર્માવશ્યક કમેને કરવામાં પ્રથમ પ્રીતિની જરૂર છે. જ્યાં સુધી જે કાર્ય કરવાનું છે તેમાં રુચિ-પ્રીતિ ઉદ્ભવી નથી ત્યાં સુધી તે ધર્મકાર્યમાં આત્માના સર્વ બલપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેમાં પ્રીતિ થાય છે તેમાં પ્રવૃત્તિ થાય છે એવું સર્વત્ર વિશ્વમાં સર્વ મનુષ્યના અનુભવવામાં આવે છે; અતએ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રીતિ થાય એવા ઉપાયે ગ્રહવાની આવશ્યકતા છે ધર્માવશ્યક કર્તવ્ય કર્મોની મહત્તા અને ઉપયોગિતાનું દ્રવ્યક્ષેત્રકાલભાવે યદા સર્વનય અપેક્ષાપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે ધર્માવશ્યક કાર્યો પર પ્રેમ ઉદ્ભવે છે અને પશ્ચાત્ તેમાં શુદ્ધ પ્રીતિ પ્રગટે છે. ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિયેગે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy