SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. S કરી શકે છે. દેવગુરુ અને આત્મામાં શુદ્ધ ધર્મમાં જેમ જેમ મન મસ્ત થતું જાય છે અને પ્રેમેન્મત્તની દશા જેવું બનીને આનન્દમાં લીન થતું જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનના પરિણામમાં સંખ્યાત અસંખ્યાત અને અનંતગુણી વૃદ્ધિ થતી જાય છે. આત્મામાં શબ્દ પ્રેમલક્ષણાભક્તિને જેમ જેમ વેગ વધતો જાય છે અને જેમ જેમ દેવગુરુમાં અભેદતા એકતા લીનતા અનુભવાતી જાય છે તેમ તેમ અમૃત ક્રિયાનો રસ ઉદ્દભવતું જાય છે. પરમાત્મા અને પિતાનામાં અભેદતા એકતા લીનતાને અનુભવ થતાં આત્માના સહજાનન્દરૂપ અમૃતરસને ઓઘ સ્કુરાયમાન થાય છે. જેમ જેમ આત્મજ્ઞાની ભક્ત મનુષ્યને આસ્તિકભાવે અભેદવ્યાપક પ્રેમલક્ષણાની ફુરણારૂપ અમૃત ક્રિયા સર્વત્ર વિશ્વમાં આમેએમાં પરમાત્મતાના અનુભવ સંમુખ થાય છે તેમ તેમ મનુષ્ય અન્તરમાં અમૃતાનન્દ ફુરણાઓમાં આગળ વધીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સર્વત્ર સર્વ વિશ્વવર્તિ સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મત્વ વ્યાપી રહ્યું છે તેથી આત્મધ્યાનમાં સર્વ જીવોનું પરમાત્મત્વ યદા અનુભવાય છે ત્યારે સત્તાએ સર્વજીની પરમાત્મતાની સાથે અભેદરૂપે પરિણમતાં આનંદરસનો સાગર ઉછળી રહે છે એ અમૃતક્રિયાને સ્વાનુભવ પ્રગટ્યા ! રહેતા નથી. પ્રેમલક્ષણાભક્તિયેગે જેઓ પરમાત્માના ખરેખર સેવક બનીને પરમાત્માની સાથે અભેદતા અનુભવે છે અને જેઓ આત્મારૂપ પરમાત્માનું ધ્યાન ધરીને અન્તરસમાધિમાં સર્વત્ર પરમાત્માની અભેદતાનો અનુભવ કરે છે તેઓને અમૃતાનુષ્ઠાન હોય છેજ, અમૃતાનુષ્ઠાનના સહજાનન્દરસને આસ્વાઘા પશ્ચાત્ સાંસારિક પગલિકસુખ પર સુખની બુદ્ધિ રહેતી નથી. સાંસારિકશાસ્થ જ્ઞાનીઓએ અને ભકતોએ અમૃતાનુષ્ઠાનસુખરસને અનુભવ ગ્રહ્યા પશ્ચાત્ અન્ય ધાર્મિક ક્રિયાઓને કે જે અવશ્ય કરવા વેગે છે તેનો ત્યાગ ન કરવો જોઈએ. આત્મજ્ઞાનના પરિપકવાનુભવીઓને તે જે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તે તે સર્વ ક્રિયાઓમાં સહજાન્દરસ પ્રગટ્યા કરે છે. બાહ્યક્રિયાઓમાં આનન્દ નથી પરન્તુ બાહ્ય ક્રિયાઓ કરતી વખતે આત્માનન્દને સાગર ખરેખર જ્ઞાનીઓને અન્તરમાં પ્રકટ્યા કરે છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર નિઃસંગતિને દેખે છે અને અન્તરમાં શુદ્ધ પ્રેમે અને શુદ્ધોપગે પરમાત્માનુભવ–પરમાત્માની સાથે એકતા લીનતા ઈત્યાદિ ધ્યાનરૂપ અમૃતકિયાને કરી આનન્દરસસાગરમાં ઝીલ્યા કરે છે. પંચ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ કચ્યા પશ્ચાત્ લકત્તર અનિક અને રાત્રિકધર્મકર્મોનું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે. ગૃહસ્થાઓ અને સાધુજનોએ આવશ્યક કર્મમાં જાગૃત રહેવું જોઈએ. , लोकोत्तरश्च सत्कर्म-कर्तव्यं विधिवत्सदा! आह्निकं रात्रिक कर्म-गृहस्थैर्यातभिर्बुवम् ॥ १७ ॥ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy