________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
---
-----------
-----
-
-
અમૃતાનુષ્ઠાન કોને કહેવાય ?
-
~
કરી શકાય છે. તદધેતુકાનુષ્ઠાનના ઉચ્ચશુભ વિચારે ભાવના કરતાં અમૃતાનુwાનના અનન્તઉત્તમ શુભ વિચારો–ભાવનાઓ વર્તે છે. જ્યારે કોઈ પણ ધાર્મિકાનુકાનમાં ધ્યાતા ધ્યેય અને ધ્યેયની એકતા સ્થિરતા લીનતા અને તન્મયતા થઈ જાય છે અને જ્યારે અન્ય બાબતના વિક૯૫ સંકઃ ટળી જાય છે તેમજ મનની સ્થિરતા તેમાં થવાથી આનન્દરસની ઝાંખી પ્રકટે છે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ કથી શકાય છે. જે ધાર્મિકનુષ્ઠાનની પ્રવૃત્તિ કરતાં આત્મા પોતાના સહજાનદગુણના ઘેનમાં રહે અને નિઃસંગતાને અનુભવ લહી શકે તેને અમૃતાનુષ્ઠાન કથવામાં આવે છે. જ્યારે દેવગુરુ અને ધર્મની આરાધના સેવાભક્તિ કરતાં વિશુદ્ધ પ્રેમે અલૌકિક રસને અનુભવ થાય છે. ભય-ખેદ–ષ–અહંતા અને મમતાનું
જ્યાં કિચિત્ પણ જોર ન હોય અને અલૌકિક દિવ્ય જીવનવડે આત્મા જીવતો હોય એવો અનુભવ આવે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવધવું. આત્માના આનન્દરસની ઉત્પત્તિ ખરેખર આત્મામાં હોય છે પરંતુ તેના બાહ્યાનુષ્ઠાનમાં આરેપ કરીને બાહ્યાનુકાનને પણ શકત્તાનપ્રાન થવામાં આવે છે. આત્મામાં આનન્દને આધ પ્રકટી શકે અને તે જાણે ત્રણ ભુવનમાં ન સમાઈ શકતો અનુભવાતો હોય એવી દશામાં અમૃતાનુષ્ઠાન થયું એમ અનુભવી શકાય છે. જ્યારે જે ક્રિયા કરતાં એકદમ બાહ્યશાતા વેદનીયના નિમિત્તો વિના ઈન્દ્રિયોના વિષયાદિ વ્યાપારવિના એકદમ આત્મામાં આનરસની ઘેન છવાઈ ગએલી લાગે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવધવું. અમૃતાનુષ્ઠાનના પરિણામ વખતે આત્માની અનન્તગુણી વિશુદ્ધતા અને ઉચતા થાય છે. અમૃતાનુષ્ઠાનબળે આત્માની પરમાત્મારૂપે પ્રગટ થવામાં વાર લાગતી નથી. ભક્તિ-સ્તુતિ–સેવા-પૂજા-જ્ઞાન અને ધ્યાન ક્રિયા વડે આત્માને સ્વાભાવિક ભાવ પ્રકટવાથી પુનઃ જન્મ જરા અને મૃત્યુથી આત્માને મરવું પડતું નથી અને અનન્તદિવ્યજીવને સાદિ અનન્તમા ભંગે જીવી શકાય છે. આત્માના ઉપશમાદિભાવે અમૃતપરિણામ રસની ઝાંખી થાય છે. આત્માને આનન્દરૂપ અમૃતરસને જે ક્રિયાપ્રસંગે અનુભવવામાં આવે છે તેને અમૃતાનુષ્ઠાન કથવામાં આવે છે. અમૃતાનુષ્ઠાનકારકે આત્માની અમરતાને અને આત્માના સુખનો અનુભવ કરી સિદ્ધસુખના અનુભવી થાય છે. એક વાર જેણે અમૃતાનુષ્ઠાનરસને અનુભવ્યો તેણે સંસાર સમુદ્રને તર્યો એમ પ્રબોધવું. એક વાર જેણે અમૃતાનુષ્ઠાનરસ અનુભવ્યું તેને અન્ય રસમાં ચેન પડતું નથી. આત્માની વાસ્તવિક જીવન્મુક્તતા અનુભવવી હોય તે અમૃતાનુષ્ઠાન રસને પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારીને પ્રયત્ન કરવાની જરૂર છે. બાહ્યાનુષ્ઠાન કરતી વખતે આત્માનો અનુભવ સુખ રસ વેદી શકાય અને અન્તરથી નિઃસંગતા નિલેપતા અને સમતા વેદાય ત્યારે અમૃતાનુષ્ઠાન થાય છે એમ પ્રબધવું. અધ્યાત્મજ્ઞાનીઓ-દેવગુરુ અને ધર્મના શદ્ધપ્રેમથી અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. દેવગુરુ અને ધર્મ પર જેમ જેમ શુદ્ધ પ્રેમ વધતો જાય છે અને આત્મજ્ઞાનને ઉચ્ચાધિકાર જેમ જેમ પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનની એગ્યતામાં વૃદ્ધિ થતી જાય છે. આત્મજ્ઞાનીઓ સેવા-ભકિતમાં પ્રેમ રસમાં લદબદ બનીને અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત
For Private And Personal Use Only