________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધિકાર નિર્ણય.
( ૬૧ )
માનસિક-વાચિક-કાયિક-સામાજિક-નૈતિક-દૈશિક અને સંપૂર્ણ વિશ્વની દ્રવ્યભાવથી ઉન્નતિ થઈ થાય છે અને થશે કે કેમ? અમુક ધર્માનુષ્ઠાનોમાં તનમનધનના અપાતા ભેગથી પિતાને કુટુંબને ગરછને જ્ઞાતિને સંઘને અને દેશને ફાયદે પહોંચે છે કે કેમ? અમુક ઘર્માનુષ્ઠાનોમાં તનમનધનના અપાતા ભેગથી પિતાને કુટુંબને ગચ્છને જ્ઞાતિને સંઘને અને દેશને ફાયદો પહોંચ્યું છે કે કેમ? અમુક ધર્માનુષ્ઠાનોથી મારી ઉન્નતિ થાય છે કે નહિ તેનો હેતુપૂર્વક નિર્ણય કરીને પ્રવર્તવાથી તàતુ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. અમુક ક્ષેત્રકાલાનુસારે અમુક ધર્માનુષ્ઠાન કેવી રીતે કરવું જોઈએ અને તે વખતે મનવચનકાયાના એગોની કેવી પ્રવૃત્તિ ધારણ કરવી જોઈએ તેનું વાસ્તવિકસ્વરૂપ અવબેધ્યા પશ્ચાતુ તહેતુ ક્રિયા કરી શકાય છે. અનેક જ્ઞાનીઓનો ઉપદેશ અને અનેક ધાર્મિક શાસ્ત્રોનું પરિશીલન કર્યાથી તહેતુ ક્રિયા કરી શકાય છે. ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃત્ત થયા વિના કેઈન છૂટક થવાનો નથી. સંપૂર્ણ વિશ્વવર્તિમનુષ્યને અવશ્ય ધર્મક્રિયા કરવાની જરૂર છે. ધર્મકિયાઓ અનેક ભેદવાળી હોય પરંતુ અનેક ભેદવાળી ધર્મક્રિયાએના હેતુઓ શા છે અને કોને ક્યા અધિકારે ક્યી ક્રિયા કઈ વિધિથી કયા કાળે કયા ક્ષેત્રે કરવાથી આત્મોન્નતિ થવાની છે તેનો નિશ્ચય કરીને પ્રવર્તવામાં આવે તે
વચાwા વિનતિ જેવી દશા ન પ્રાપ્ત થઈ શકે અને ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ દેખાતી અનેક ધર્મક્રિયાઓનાં ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્રકાલભાવભેદે રહસ્ય અવબોધવાથી જે જે કાળે જે જે અધિકાર દશા–જે જે અવસ્થાએ-જે જે ક્ષેત્રે જે જે ધાર્મિક ક્રિયાઓને પિતાના માટે આદરવી હોય તેને નિશ્ચય થાય છે તથા તે તે તદ્ધતુકયિારૂપે પરિણમે છે. ક્ષેત્રકાળદ્રવ્યભાવભેદે ભિન્ન ભિન્ન દેશમાં ભિન્ન ભિન્ન કાળમાં જળની અનેક પ્રકારની અવસ્થા દેખાય છે પરંતુ તે જળના ક્ષેત્રકાળાનુસારે જે મનુષ્ય ભેદ જાણે છે તેઓ પિતાને પીવાયેગ્ય જળને ગમે તેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. સમુદ્રના ખારા જળની યંત્રદ્વારા ખારાશ કાઢી મિષ્ટ બનાવવાની જેઓ યુક્તિઓ જાણે છે તેઓ મિષ્ટ જળને પી શકે છે. ક્ષેત્રકાળાનસારે ભિન્ન ભિન્ન દેશના પંચ ભૂતેના સંબંધે જળની ભિન્ન ભિન્ન અવસ્થા દેખાય એ સ્વાભાવિક છે તેમ ધર્મકિયાઓની પણ ભિન્ન ભિન્ન દેશકાળમાં ભિન્ન ભિન્ન અવસ્થા થાય એ બનવા યોગ્ય છે. પિતાના અધિકારે કઈ ક્રિયા કરવાથી આત્માની ઉચ્ચદશા થાય એવું વિવેકપૂર્વક અવબોધ્યા પશ્ચાત તહેતુકાનુષ્ઠાન સ્વયેગ્ય પ્રાપ્તિ કરી શકાય છે. દ્રવ્યક્ષેત્રકાળભાવ–આજુબાજુના સાનુકૂળ પ્રતિકૂળ સંગો-અવસ્થા-શકિતજ્ઞાન–વગેરેવડે સ્વાધિકારનો નિર્ણય કરી શકાય છે. સ્વાધિકારના નિર્ણયમાં સમ્યગૂજ્ઞાન વિના અનેક મનુષ્ય મુંઝાય છે અને અનેક પ્રકારની વિપત્તિઓ વેઠીને કાયર બની જાય છે. પ્રત્યેક કાર્યમાં અધિકાર અવલકવાની આવશ્યકતા સ્વીકાર્યા વિના કેઈન છૂટકે થતું નથી. અધિકાર વિના મનુષ્યને ક્રિયા કરવાનો ઉપદેશ કરવાથી વા તે ક્યિા
For Private And Personal Use Only