SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પ્રકાશથી વિમુખ રહી અજ્ઞાનરૂપ અન્ધકારમાં ભટક્યા કરે છે; અએવ ધર્મસાધનોથી ધર્મસંમુખ થવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે. અનેક પ્રકારના દુર્ગણો કે જે આત્મપ્રગતિ માર્ગમાં કંટકરૂપ-વિદ્યરૂપ થએલા છે તેઓને જે સર્વથા નાશ કરીને સ્વનું તથા જગનું શ્રેય કરે છે એવા લકત્તર ધર્મને તે સાધક! તું ધર્મ તરીકે જાણ અને એવા ધર્મને સ્વાધિકાર અંગીકાર કર ! ! ! ધર્મના અનેક ધર્માનુષ્ઠાનના ભિન્નભિન્નાધિકારી કણ કણ છે તેનું જે મનુષ્ય વાસ્તવિકદષ્ટિએ સૂમસ્વરૂપ અવબોધે છે તે ધર્મનાં કયાં ક્યાં અનુષ્ઠાને પિતાને કરવા ગ્ય છે તેને નિર્ણય કરવાને શક્તિમાન થાય છે. ગરિકપ્રવાહપ્રવહિત મનુ સ્વાધિકારે કર્તવ્યરૂપ ધર્મકર્મને અવધી શકતા નથી અને વાસ્તવિક બેધના અભાવે વાસ્તવિક ધર્મ પ્રગતિમાં આગળ વધી શકતા નથી. ધર્મના વિચારો અને આચારાનું તથા ધર્મના આરાધકોના અધિકારીનું પરિપૂર્ણ દ્રવ્ય ક્ષેત્રકાલભાવે સૂફમસ્વરૂપ અવબોધવામાં આવે છે ત્યારે હૃદયમાં સ્વાધિકારે કર્તવ્ય ધર્માનુષ્ઠાનનું ભાન થાય છે અને પશ્ચાત્ એ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવાથી કર્તવ્ય કર્મને સમ્યગ રીતે સાબી આત્માના ગુણોનો પ્રકાશ કરી શકાય છે. સ્વાધિકારથી ભિન્ન જે ધર્મના અનુષ્ઠાન હોય છે તેમાં પ્રવૃત્ત થવાથી પશ્ચાત પતન થાય છે અને જે કમ ધર્મમાં સ્વાધિકાર હોય છે ત્યાંજ પુનઃ સ્થિરતા થાય છે; અએવ સુજ્ઞ મનુષ્યએ ધર્મકર્માનુષ્ઠાનના પરિપકવાનુભાવે સ્વયેગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. એક વર્ષના બાળકને સમલની માત્રા ખવરાવવાથી જેવી ભયંકર હાનિ થાય છે તેમ જેની જે અનુષ્ઠાન કરવામાં અશક્તિયોગે અનધિકારિતા છે તેને તે અનુષ્ઠાન સેવવાથી કદાપિ આત્મપ્રગતિને લાભ પ્રાપ્ત થઈ શકતું નથી. બાલક યુવા અને વૃદ્ધને દેશ-કાલ અને હવાનો નિર્ણય કરી તેની સ્થિતિના અધિકારે અષધ આપવામાં આવે છે તે તેથી જેમ ગુણ થાય છે તેમ ધર્મની આરાધનામાં પણ બાલજ્ઞાની વગેરે જેને અમુક દેશ અમુક કાલ અને અમુક સંગેની પરિસ્થિતિને વિવેક કરીને તેના સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મને ઉપદેશવામાં આવે છે તથા કરવામાં આવે છે તે સ્વપરની પ્રગતિ થાય છે. સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મોને જે મનુષ્ય અનુભવે છે તે ભય દ્વેષ અને ખેદના પરિણામને પરિહરીને ધર્મસાધક વીરત્વને પ્રકટાવી શકે છે. જે ધર્મકર્મ પ્રવૃત્તિમાં પ્રથમ તો તેનું જ્ઞાન ન હોય તે પશ્ચાત્ તે પ્રવૃત્તિથી લાભ પણ પરિપૂર્ણ ન થાય એ બનવા યુગ્ય છે. જ્ઞાનપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ જે જે કરાય છે તેમાં ઉદારભાવનાનું દિવ્યજીવન ઉદ્ભવે છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિકાનુષ્ઠાનોથી આત્માની મુક્તતા સંપ્રાપ્ત થાય છે. આનાથામ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયા એ બેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે; જ્ઞાનવિનાની કિયા અંધ સમાન છે અને ક્રિયાવિનાનું જ્ઞાન ખરેખર પાંગળું છે. જ્ઞાન છે તે આત્માનો ગુણ છે અને ક્રિયા છે તે શરીરાદિ જન્ય હોવાથી વસ્તુતઃ જડ ધર્માત્મક છે; તથાપિ ધાર્મિક કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ વિના માત્ર આત્મજ્ઞાનથી આત્માની મુક્તિને સંભવ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy