________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને સ્વભાવ.
(૫૫)
છે. વિશ્વવર્તિ સર્વ મનુષ્યોને ભિન્નભિન્ન સ્વાધિકાર પ્રમાણે જે ધર્મનાં અનુષ્ઠાને પ્રત્યેક મનુષ્યને અનુકૂળ ન આવતાં હોય, સ્વાછવિકાદિ હેતુઓની સાથે જે ધર્મની આરાધના ન થઈ શકતી હોય, જે ધર્મ ભિન્નભિન્ન દેશકાલના ભિન્નભિન્ન મનુષ્યને આચરવામાં સંકુચિતપણું ધારણ કરતો હોય, જે ધર્મના સેવવાથી અન્ય મનુષ્યની પરતંત્રતા તળે દબાવવાનું થતું હોય અને જે ધર્મના સેવવાથી બાહ્યલૌકિક આજીવિકાદિપ્રગતિના માર્ગ સાંકડા થતા હોય તે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વ મનુષ્યનું શ્રેય તથા પ્રગતિ કરવા સમર્થ થતો નથી અને તે ધર્મ અંતે સંકોચાઈને નષ્ટતાને પામે છે. સ્વાસ્વાધિકારે ધર્માના જે જે કાર્યોને સેવી શકાય અને તેનાથી સ્વામશક્તિની પ્રગતિ થાય એવું સમ્યગ અવધી વ્યક્ષેત્રકાલભાવાનુસારે ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. લોકોત્તર વ્યાવહારિકધર્મી દૃષ્ટિએ અને લોકોત્તર નિશ્ચયિક ધર્મ દષ્ટિએ ધર્મકાર્યોની પ્રવૃત્તિનાં સ્વાધિકાર રહસ્ય અવબોધવાની અને પશ્ચાત્ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે ધર્મથી સ્વવ્યક્તિ પરવ્યક્તિ કુટુંબજ્ઞાતિ–દેશ-સંઘ અને સર્વ વિશ્વજીવોનું ઉન્નતિજીવન થયા કરે છે તે તે ધર્મને દેશકાલ ભેદે આચરવાની જરૂર છે. જે ધર્મ સ્વકીદાર વર્તુલને સંકેલી સંકીર્ણ લઘુ વર્તુલના રૂપમાં પરિણમે છે તે ધર્મમાંથી અનેક પ્રકારનાં પ્રગતિકારક શુભ તને નાશ થાય છે. ધર્મના નામે વિશ્વવર્તિમનુષ્યની સમૂહકારણુતા સંરક્ષી શકાય છે તે જ ધર્મની જે સંકુચિત દષ્ટિ થાય છે તે સમૂડીભૂત થએલી અનેક શકિતની પૃથકકરણતા થતી જાય છે અને પરિણામે તે ધર્મનું વિશ્વમાં નામાવશેષ રહે છે. જે ધર્મનાં તો સત્ય અને વિશ્વવ્યાપક સેવાધર્મથી રચાયેલાં છે તે ધર્મ ખરેખર મનુષ્યનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે ધર્મ ખરેખર સાયન્સ વિદ્યાની સાથે પિતાને બચાવ કરીને વિશ્વવર્તિસાક્ષરોના હૃદયમાં વ્યાપે છે તેને સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર થાય છે. જેનાથી વિધવર્તિસર્વજીવ પર ઉપકાર થાય છે તે ધર્મને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા પ્રચાર થાય છે. જે મનુષ્ય સ્વાધિકાર સન્નતિકારક ધર્મને આચરે છે તે અન્ય પ્રકારની પ્રગતિને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા પર ધર્મને પાયો રચાયેલો છે; જે મનુષ્ય મન વાણી અને કાયાથી આત્માના ગુણોને પરિપૂર્ણ પ્રકાશ થાય એવાં ધર્મકૃત્યને કરે છે તે પરમાત્માની સાથે સ્વાત્માની એકતા કરીને સિદ્ધબુદ્ધ પરમાત્મારૂપ બને છે. આત્મા સત્તાએ અજ અવિનાશી અખંડ નિર્મલ ચિદાનન્દ શુદ્ધ બુદ્ધ ત્રિગુણાતીત જ્ઞાનદર્શનચારિત્રરૂપ અનાદિ અનન્ત અનન્તધર્મરૂપ અને અરૂપી છે. આત્માનો સ્વભાવ તેજ આત્માને ધર્મ છે. આત્માને ધર્મ પ્રાપ્ત કરવાને જે જે નિમિત્તે કારણે ધર્મરૂપ ગણાય છે તે બાહ્ય ધર્મ જાણવો. ધર્મનાં નિમિત્ત કારણોના અનેક ભેદ હોવાથી લોકોત્તર નિમિત્તધર્મના અનેક ભેદ પડે છે. જે મનુષ્ય ધર્મને સેવે છે તે મનુષ્યભવના સારને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ધર્મસેવાથી વિમુખ રહે છે તેઓ આત્મન્નિતિના સત્ય
For Private And Personal Use Only