SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકોત્તર કમ કેને કહેવાય ? ( ૫૩ ) લાક નાલીએર પર ઘા કરવામાં આવે તો ટપકું અને કાચલું જૂ ૬ પડે છે; તત્ સાત્વિકજ્ઞાનીકર્મયોગીઓ અન્તરથી અને બાહ્યથી નિલેપ હોવાથી તેઓને બાહ્ય ક્રિયાઓ તે બાહ્યરૂપે જ હોય છે અને અન્તરથી નિઃસંગ હોવાથી અન્તરથી બાહ્યમાં રાગદ્વેષે ન પરિણમવાથી આત્માના શુદ્ધ ધર્મરૂપે અન્તરથી જુદા હોય છે. સાત્વિકજ્ઞાની કર્મગીઓ રાગદ્વેષરહિતપણે બાહ્ય કાર્ય ફલેચ્છારહિતપણે અને વિવેક જ્ઞાનપૂર્વક લૌકિક કાર્યોને કરે છે તેથી તેઓ સર્વ કર્મગીઓમાં ઉરચ શુદ્ધ કર્મયોગીઓના અધિકારમાં પ્રવેશ કરે છે; અતએ રજોગુણી કર્મગીઓ અને તમે ગુણ કર્મયેગીઓ કરતાં લૌકિક વ્યવહાર અને લોકોત્તર ધર્મવ્યવહારમાં પણ તેઓ શ્રેષ્ઠ બને છે. લૌકિક આવશ્યક કર્તવ્ય કર્મોના કર્તાઓના ભેદો અવબોધાવ્યા બાદ લકત્તર કર્મોનો સ્વાધિકારે કર્તવ્ય નિર્દેશ કથવામાં આવે છે. લોકોત્તર કમ કોને કહેવાય ? लोकोत्तराणि कर्माणि निमित्तसव्यपेक्षया । स्वस्वाधिकारभेदेन भिन्नानि वेदसाधक ॥१४॥ શબ્દાર્થ_નિમિત્ત કારણોની સાપેક્ષતાએ સ્વાધિકાર ભેદે ભિન્ન ભિન્ન લેકત્તર કર્યો છે એમ સાધક તું વેદ. વિવેચન—નિમિત્ત કારણોની અપેક્ષાએ લોકોત્તરધર્મકર્મોને સ્વસ્વાધિકાર ભેદવડે ભિન્ન ભિન્ન એવાં છે સાધક અવધ !! અને અવધવાના કથનવડે ઉપલક્ષણાએ સ્વાધિકારે લોકોત્તર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કર ! નિમિત્ત કારણોની અપેક્ષાએ લોકોત્તર ધર્મકાર્યોના અનેક પ્રકારના ભેદ પડે છે, ક્ષેત્રભેદે કાલભેદે દ્રવ્યભેદે ભાવભેદે અને અધિકારભેદે ધર્મકાર્યોના ભેદે અવધવા. ધર્મકાર્યોના અનેક ભેદ છે. કેઈ જીવ કેઈ ધર્મકાર્યને સ્વાધિકાર કરી શકે છે. અને કેઈ જીવ કેઈ ધર્મકાર્યને પરાધિકાને કરી શકે છે. કેટલાંક ધર્મનાં કાર્યો સર્વ મનુષ્યોને પરોપકારાદિ સાપેક્ષે એક સરખી રીતે કરવાનાં હોય છે તે પણ તેના દ્રવ્ય ક્ષેત્રકાલભાવાધિકારભેદે અનેક ભેદ પડે છે. અમુક મનુષ્ય સ્વાધિકારે જે ધર્મ પ્રવૃત્તિ સેવી શકે છે તે જ ધર્મપ્રવૃત્તિને તેનાથી ભિન્નાધિકારી સેવી શકતો નથી. ગૃહસ્થ મનુષ્યો અને ત્યાગી મુનિરાજ એ બન્ને વર્ગ ધર્મનાં કર્તવ્ય કાર્યોને સેવી શકે છે. ગૃહસ્થ મનુષ્ય દેશથી ધર્મની આરાધના કરી શકે છે અને ત્યાગીઓ સર્વથી ઉત્સર્ગાદિ અપેક્ષાએ નિરવદ્ય ધર્મકર્તવ્યકર્મોની આરાધના કરી શકે છે. શ્રતધર્મ અને ચારિત્ર ધર્મની આરાધનામાં ગૃહસ્થ ગૃહસ્થદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy