________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રી કર્મળ ગ્રંથ–સવિવેચન.
UF
થાય છે તેમાં અહંકાર કરવાની કંઈ આવશ્યકતા નથી. મારો આત્મા નિરંજન નિરાકાર છે. સ્ફટિક રત્નવતુ અન્તરમાં રહેલ આત્માની નિર્મલતા છે. તે કોઈ બાહ્ય વસ્તુનો ખરેખર કર્તા પણ નથી તેમજ બાહ્ય જડ વસ્તુઓને ભક્તા પણ નથી. કર્મપ્રવેગે આત્માએ શરીર ધારણ કરી પંચેન્દ્રિયની પ્રાપ્તિ કરી છે. મન-વાણું વગેરે શક્તિ મેળવી છે તે શક્તિ દ્વારા આત્માની ઉન્નતિ કરવાની છે. ઈન્દ્રિવડે બાહ્ય વસ્તુઓને આત્માની પ્રગતિ થાય એવી રીતે ઉપયોગમાં લેવાની છે પરન્તુ નામરૂપના યોગે બાહ્યવસ્તુઓ અહંમમત્વાદિ પરિણામથી બંધાઈને આત્માની મધ્યસ્થતા ચૂકવાની નથી એમ ખાસ ઉપગ રાખવાની જરૂર છે. મન-વાણી અને કાયા દ્વારા કઈ પણ લૌકિક કર્તવ્ય કર્મો કરતાં મગજની સમતોલના રાખવાની ખાસ જરૂર છે. બાહ્યકર્તવ્ય કર્મ સામગ્રીઓના અનેક સંગમાં આવીને બાહ્ય ફરજ અદા કરવી એટલું જ માત્ર લક્ષ્યમાં રાખી અન્તરથી નિર્લેપ રહી આત્મશક્તિને જાગ્રત્ કરવી એવા આત્મપ્રગતિમાર્ગને શુદ્ધોપગમાં સ્થાપન કરવો જોઈએ. બાહ્યવસ્તુઓને લૌકિકષ્ટિએ બાહ્યજીવનાદિકારણેએ ઉપગમાં લઈ શકું અને તે માટે કર્તવ્યકર્મોને કરી શકું; પરન્તુ બાહ્યવસ્તુઓમાં હું તું અહંમમત્વ આદિ પરિણામથી બંધાઉં નહિ એજ આત્માની તટસ્થતા ક્ષણ માત્ર પણ વિચારવા ગ્ય નથી. બાહ્યલોકિકકર્તવ્યકર્માધિકારે સ્વફરજ પ્રમાણે બાહ્યલૌકિક કર્તવ્યકર્મોને વિવેકદ્રષ્ટિથી કરતાં ચેડા મહારાજની પેઠે આવશ્યક કર્તવ્ય રણસંગ્રામથી બાહ્યપ્રાણુને નાશ થાય તો ભલે થાઓ પરન્ત પાછો ન હડી શકું એમ નિર્ભયષ્ટિ ધારણ કરીને લૌકિકકર્તવ્યકર્મમાં પ્રવર્તવાની જરૂર છે. સાત પ્રકારના ભયમાંથી કોઈ પણ ભયથી લૌકિકકર્તવ્ય કર્મો કરતાં ગૃહાવાસસ્થિતિના અધિકારને બજાવતાં પાછો ન હઠી શકું અને અન્તરમાં બાહ્યકર્મો સંબંધી વિકલ્પ સંકલ્પ ખેદને ન ધારણ કરી શકું એ મારે બાહ્ય વ્યાવહારિક કર્તવ્ય ધર્મ છે. બાહ્યલૌકિકકર્તવ્યકર્મોને બાહ્યાધિકાર પ્રમાણે કરવાની જરૂર છે પરન્તુ આત્માના શુદ્ધોપયોગ આત્માની તટસ્થતા અને સાક્ષીપણું અન્તરમાં ખાસ રાખવાનું છે. કુમારપાળરાજાએ હાથીની અંબાડી પર પડાવશ્યક ક્રિયાને કરીને બાહ્ય ક્ષાત્રકર્મની ફરજને અદા કરી હતી. સ્વાધિકાર ફરજ અદા કરતાં શરીર વગેરેના મમત્વનો ત્યાગ કરવો જોઈએ. જે જે અંશે શરીર મમત્વ અને કાર્યમમત્વનો ત્યાગ થતો જાય છે અને સ્વફરજ અદા કરવામાં લૌકિકકર્મપ્રવૃત્તિ થયા કરે છે તે તે અંશે અન્તરમાં ત્યાગ નિસંગ અને નિરહંભાવ વૃદ્ધિ પામતો જાય છે. અમુક કાર્યને અમુક લૌકિક પ્રજનથી કરવાનું છે અને તેથી અમુક જાતની લૌકિક જીવનપ્રગતિ થવાની છે અને તે કર્મ કરવાની બાહ્યથી મારી પર ફરજ આવી પડેલી છે તે બજાવવી જ જોઈએ એમ અનુભવ કરીને લૌકિકકર્તવ્યકર્મોમાં પ્રવર્તતાં અન્તરથી નિર્લેપ રહેવું જોઈએ. આર્થિકાદિ સ્થિતિ સુધારવા, શારીરિકાદિ સ્થિતિ સુધારવા, આજીવિકાદિના જે જે હેત હોય તેમાં પ્રવૃત્ત થવા મારા અધિ
For Private And Personal Use Only