________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
-
-
---
-
--
--
-
-
-
--
-
-
--
-
(૪૮)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
પરંતુ તે વસ્તુતઃ મહવૃત્તિના ગુલામ હોય છે અને તેથી તેઓ આત્માની શક્તિની વૃદ્ધિ કરવા સમર્થ થતા નથી. ભારત અને યુરોપની યાદવાસ્થલીની પેઠે રજોગુણી અને તમગુણ મનુષ્યો પરસ્પર પોતપોતાને નાશ કરે છે તેમાં રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિને હાનિકર સ્વભાવ છે એમ અવબોધવું. રજોગુણ અને તમોગુણી મનુષ્ય અપ્રશસ્યકષાયની સેવના કરીને કષાયના વશમાં ફસાઈ જાય છે. જે મનુષ્યો મન ઉપર કાબૂ મેળવવા માટે શક્તિમાન થાય છે અને પિતાની ઇન્દ્રિયે પર કાબૂ મેળવવા શક્તિમાન થાય છે તે મનુષ્ય સાત્વિક ગુણના અધિકારી થાય છે. જે મનુષ્ય પોતાના મન-વાણી અને કાયાના કેગને પિતાના વશમાં રાખી શકતો નથી અને મન-વાણું–કાયાની શક્તિનો લૌકિક વ્યવહારમાં સમ્યમ્ ઉપયોગ કરી જાણતો નથી તે મનુષ્ય સાત્વિકશકિતની ઝાંખીનો અનુભવ કરી શક્તિ નથી. અતએ રજોગુણ અને તમે ગુણવૃત્તિના ત્યાગપૂર્વક સાત્વિકવૃત્તિ સંસેવક બનીને લૌકિકવ્યાવહારિકકને સ્વાધિકારપૂર્વક દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વફરજને જ ફકત અગ્રગણ્ય ગણી વિવેકપૂર્વક કરવા જોઈએ. સાત્વિજ્ઞાનીઓ કેવી સ્થિતિથી સાત્વિકર્તવ્યકર્મોને કરે છે તે નીચે મુજબ જણાવે છે. સાવિકજ્ઞાનીઓનું રાગદ્વેષનિર્મત અને ફલેચ્છાવર્જિત લૌકિકકર્મ હોય છે. રાગદ્વેષવૃત્તિરહિતપણે જે લૌકિકકર્મ કરવામાં આવે છે તે કર્મમાં રાગદ્વેષાહિત્યનો ઉપચાર કરીને તેને રાગદ્વેષવિનિમુક્ત એવા વિશેષણથી કથવામાં આવે છે. આત્મજ્ઞાનીઓ કઈ લૌકિકર્તવ્યકર્મમાં રાગને પણ ધારણ કરતા નથી અને તેમજ ટ્રેષને પણ ધારતા નથી. લૌકિકકર્તવ્યકર્મોને ફક્ત સ્વફરજથી કરવાની જરૂર છે તેમાં રાગ ધારણ કરવાથી અને દ્વેષ ધારણ કરવાથી ઉલટું સંસારમાં બંધાવાનું થાય છે, અને સ્વફરજ દષ્ટિથી જે કંઈ કરાય છે તેના કરતાં વિશેષ કાર્યસિદ્ધિ કંઈ કરી શકાતી નથી. લૌકિકકર્તવ્ય કર્મોને કરતાં તેનાથી થતા ફલની ઈચ્છાને જ્ઞાનીઓ ધારણ કરતા લોકિકકર્તવ્યકર્મદષ્ટિએ જે લૌકિકક કરવાનાં હોય છે તે લૌકિકર્તવ્ય કર્મ દષ્ટિએ ફલેચ્છાસંગરહિતપણે કરવાં જોઈએ. લૌકિકકાર્યો કરવાને માટે લૌકિકકર્તવ્ય કર્મ દષ્ટિએ પ્રવર્તવાની જરૂર છે. જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં ફલની ઈચ્છા રાખવાની કંઈ જરૂર નથી. શુભાશુભ પરિણામે શુભાશુભ ફલની ઈચ્છા ધારણ કરતાં જે જે ફલે ઈછવામાં આવે છે તેના પર રાગ અને જે અનિષ્ટ ફલો થવાના હોય તેના પર દ્વેષ પ્રકટે છે અને તેથી શુભાશુભ પરિણામ અને કર્તવ્ય કર્મફળની પ્રાપ્તિ થતાં હર્ષ અને અપ્રાપ્તિએ ખેદ-શોક વગેરે પરિણામેથી આત્માને ભવબંધનમાં ફસાવું પડે છે. શુભાશુભ પરિણામવડે શુભાશુભ ફલની કલ્પના ચાવતું છે–તાવત્ સંસાર છે અને લૌકિકકર્તવ્યકર્મમાં વિવેકજ્ઞાને શુભાશુભફલ પરિણામ વિના પ્રવર્તવાથી સંસારનો સંબંધ નથી એમ શુભાશુભ પરિણુમરહિતનિર્લે પષ્ટિએ અવબોધવું. ફલની ઈચ્છા રાખ્યા વિના લૌકિકકર્તવ્યકર્મોથી–એક તે ફલેચ્છાથી નિઃસંગ નિર્લેપ રહેવાય છે અને બીજું કર્તવ્યકર્મની સિદ્ધિમાં
For Private And Personal Use Only