________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬ ).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
રજોગુણ અને તમોગુણી મનુષ્યોનાપર દાબ રાખી શકાય એવી દેશકાલાનુસાર પ્રવૃત્તિ પ્રત્યેક મનુષ્યથી અને મનુષ્યસમાજથી સેવી શકાય છે. અએવ સત્વગુણવૃત્તિને પ્રાપ્ત કરી દેશરક્ષા વિશ્વરક્ષા વિદ્યારક્ષા પ્રવૃદ્ધિ વ્યાપારરક્ષાદિ કાર્યો કરવામાં લૌકિક દૃષ્ટિએ પ્રવર્તવું એ વિશેષતઃ લોકોને હિતકર અવધવું. લૌકિક દષ્ટિએ સ્વાત્માની પ્રગતિ કરવી એ મુખ્ય વિષયને હૃદયમાં ધારણ કરી ક્રોધ માન માયા અને લેભના અપ્રશસ્યત્વને ટાળી પ્રશસ્યત્વને આદરી નીતિસૂત્રથી સ્વજીવન ઉચ્ચ કરવું એ ખાસ હૃદયમાં ધારવા યોગ્ય છે. રજોગુણ અને તમોગુણથી કાયિક વાચિક માનસિક અને આત્મશક્તિોને પરિપૂર્ણ વિકાસ થતો નથી; અને રજોગુણ તમગુણવૃત્તિથી અન્ય મનુષ્યની કાયિક, વાચિક, માનસિક અને આત્મશક્તિને વિકાસ કરી શકાતું નથી. રજોગુણી અને તમગુણી મનુષ્ય સત્ત્વગુણના અનુભવને યદિ પ્રાપ્ત કરે તે સત્ત્વગુણની પ્રવૃત્તિના તેઓ રાગી બની શકે; રગુણી અને તમે ગુણી મનુષ્ય સસમાગમ અને સબોધથી ગુણવૃત્તિ અને તમગુણવૃત્તિને અશે અશે ત્યાગ કરતા કરતા સાત્વિકગુણવૃત્તિના અન્ત અધિકારી બને છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિને એકદમ નાશ થઈ શકતો નથી. અનાદિકાલથી કર્મના ગે રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિને આત્માની સાથે સંબંધ થયું છે. જે મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જડ અને ચેતનનો ભેદ અવધે છે અને નામરૂપ મોહના ગે થતી રજોગુણી અને તમે ગુણવૃત્તિને ત્યાજ્ય તરીકે જાણી તેઓને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય છે; લૌકિજીવન પ્રગતિદષ્ટિએ રાજસિક અને તામસિક વિચાર કરવાની કંઈ પણ આવશ્યકતા અવધાતી નથી. અપ્રશસ્ય કાંધ માન માયા અને લોભની વૃત્તિ જેમ જેમ ઉપશાંત થાય છે અને સ્વાધિકારે લૌકિકષ્ટિએ સ્વક્તવ્યરૂપ ફરજને અદા કરવાની સાત્વિકવૃત્તિઓ ઉપગિતા અવબોધાય છે ત્યારે સુતાં ઊઠતા બેસતાં અને કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરતાં આત્માનું સાધ્યબિન્દુ ખરેખર લક્ષ્ય બહાર રહેતું નથી. લૌકિકષ્ટિએ જે સ્વફરજે ગૃહાવાસમાં સર્વ મનુષ્યને અદા કરવાની હોય છે તેમાં પ્રવર્તતાં રજોગુણ અને તમોગુણવૃત્તિનો પરિહાર કરતાં નિર્બળતા પ્રાપ્ત થવાની અને અન્ય રજોગુણી તમે ગુણ મનુષ્યોથી પરાજિત થવાની શંકા કદી કરવી નહિ. લૌકિકટટિએ સ્વકર્તવ્યફરને અદા કરવામાં જે જે અંશે સાત્વિક્તાને ભજવામાં આવે છે અને રજોગુણ તમગુણવૃત્તિને જે જે અંશે પરિહરવામાં આવે છે તે તે અંશે આત્માની શક્તિની વૃદ્ધિ થાય છે અને સ્વસમાજ દેશ ધર્મ અને સંઘ વગેરેનું વાસ્તવિક શ્રેયઃ સાધી શકાય છે એમ અનુભવપૂર્વક અવધવાની આવશ્યકતા છે. રજોગુણ અને તમોગુણના આસેવનથી વિષયો અને મેહવૃત્તિના દાસ બની શકાય છે. જે મનુષ્ય દેહવૃત્તિદ્વારા વિષયોના દાસ બનીને આત્માને પરતંત્ર કરે છે તેઓ વિશ્વમાં સ્વાતંત્ર્યનું
For Private And Personal Use Only