________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨ )
શ્રી કર્મોગ ગ્રંથ-સચિન,
સત્વગુણ બુદ્ધિવડે જે જે કર્મો કરાય છે તેને સાત્વિક જાણવાં. જેનાથી રજોગુણની વૃદ્ધિ થાય છે વા જે કર્મો રજોગુણની બુદ્ધિથી કરાતાં હોય તેઓને રાજસિકર્મો જાણવાં. જેનાથી તમોગુણની વૃદ્ધિ થાય વા જે તમોગુણવૃત્તિથી કર્મ કરાય છે તેને તામસિકક અવધવાં. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય લૌકિક રજોગુણકર્મમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. તમે ગુણ બુદ્ધિધારક મનુ તમગુણ પ્રવૃત્તિમાં મુખ્યતાઓ પ્રવર્તે છે અને સાત્વિકબુદ્ધિધારક મનુષ્ય સાત્વિક ગુણયુક્ત લૌકિકકર્મોમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય સ્વયોગ્ય ઈજી તરીકે રજોગુણકર્મોને માને છે. તમોગુણબુદ્ધિધારક મનુષ્યો મુખ્યતાએ સ્વયોગ્ય ઈટ તરીકે તમગુણ વિશિષ્ટકને માને છે અને તમોગુણ કર્મોમાં પ્રવૃત્તિ કરે છે. સત્વગુણબુદ્ધિધારક મનુષ્ય મુખ્યતાએ સ્વયોગ્ય સત્વગુણવિશિષ્ટ કર્મોને માની તેમાં પ્રવૃત્તિ કરે છે. રજોગુણી મનુષ્યોને રજોગુણ પ્રવૃત્તિમાં રજોગુણ વૃત્તિયોગે રસ પડે છે. તમે ગુણી મનુષ્યોને તમે ગુણ પ્રવૃત્તિયોગ્ય તમગુણ વૃત્તિમાં રસ પડે છે અને સત્વગુણી મનુષ્યોને સત્ત્વગુણવિશિષ્ટ પ્રવૃત્તિમાં રસ પડે છે. રજોગુણ તમોગુણ અને સત્વગુણની વૃત્તિથી વ્યાપક જીવલોક છે. લોકિકકર્મોમાં પ્રાયઃ જીવોની રજોગુણ તમગુણ અને સર્વગુણયુક્ત વૃત્તિથી પ્રવૃત્તિ થયા કરે છે. રજોગુણી મનુ રજોગુણ સંપાદકર્મફલ પ્રાપ્ત કરી શકે છે. તમોગુણી મનુષ્ય તમોગુણ સંપાઘલૌકિકકર્મ ફલને પ્રાપ્ત કરી શકે છે અને સત્વગુણી મનુષ્યો સત્વગુણ સંપાદ્યકર્મફલને સંપ્રાપ્ત કરી શકે છે. રજોગુણી મનુ રાજસિકકર્મોને ષ્ટકર્તવ્ય તરીકે અવબોધે છે. તમોગુણી મનુષ્યો તામસિકકર્મોને કર્મો તરીકે અવબોધે છે અને સત્ત્વગુણી મનુષ્યો સાત્વિકકર્મોને કર્મો તરીકે અવબોધે છે. તથા ઉત્સર્ગ અપવાદ માર્ગથી લેકિક તથા લેકર વ્યવહારમાં નાનાત્વ-ભિન્નત્વ આદિ પણ મનુષ્યને હોય છે. રજોગુણી તમગુણ અને સત્વગુણી મનુષ્ય સ્વરકૃત્યાદિ યુક્તકર્મોથી ભિન્ન કર્મોને પરસ્પર અનિષ્ટ તરીકે અવબોધે છે. આવી વૃતિભેદે માન્યતા લાકિક વ્યવહારમાં સર્વત્ર અવેલેકાય છે. અનાદિકાલથી રવૃત્તિ તમેવૃત્તિ અને સરવવૃત્તિની પ્રવૃત્તિ પ્રવર્તી કરે છે અને અનન્તકાલ પર્યન્ત વિશ્વમાં પ્રવર્તશે. ધાર્મિક કર્મોના પણ રજસ્તમસ અને સર્વબુદ્ધયા ત્રણ ભેદ પડે છે તથા રાજસાદિકર્મો વડે પણ ત્રણ ભેદ અવબોધવા. રજોગુણ અને તમોગુણની વૃત્તિને હેય તરીકે સત્વગુણવૃત્તિથી અવબોધવી. રજોગુણ અને તમોગુણી કર્મો એ ક્ષત્રિયોદ્ધાઓ સમાન છે અને સાત્વિકગુણકર્મો તે બ્રાહ્મણ સમાન છે. બ્રાહ્મણની સંરક્ષા યથા ક્ષત્રિય યોદ્ધાઓની આવશ્યકતા છે તદ્વત સત્વગુણ કર્મોનું તમે ગુણ કર્મોથી સંરક્ષણ થાય છે. સવગુણબુદ્ધિ અને કર્મો એ ક્ષેત્ર સમાન છે અને તમગુણ કર્મો એ વાડના સમાન લેખાય છે. યુદ્ધકર્માદિયુક્ત તમગુણ મનુષ્ય વિના સત્વગુણી મનુષ્યનું સંરક્ષણ થઈ શકતું નથી; વિશ્વમાં પ્રાયઃ એ નિયમ પ્રવદાય છે કે રજોગુણી અને તમગુણી મનુષ્ય બાહ્ય સામ્રા
For Private And Personal Use Only