________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- -
SિF
કર્તવ્ય કર્મ માં પ્રવૃત્તિ સંબંધી.
( ૪૩ )
જ્યમાં રાજ્ય કરવા સમર્થ થઈ શકે છે અને સત્વગુણી મનુષ્ય પ્રાયઃ રજોગુણી અને તમગુણી મનુષ્યોથી સંરક્ષી શકાય છે. બાહ્ય વિશ્વના ધર્મ સામ્રાજ્યમાં એકલા સત્વગુણી આદિ મનુષ્યનું આધિપત્ય હોઈ શકે. બાહ્ય સમષ્ટિમાં રજોગુણને બ્રહ્મા કહેવામાં આવે છે; તમગુણને મહાદેવ કહેવામાં આવે છે અને સત્વગુણને વિષ્ણુ તરીકે કથવામાં આવે છે. કોઈ પણ ધર્મના આરાધક મનુષ્યો રજોગુણીભેદે ત્રિધા હોય છે. એકેન્દ્રિયાદિ સર્વમાં રજોગુણી આદિ ત્રણ પ્રકારના જીવો સત્તામાં હોય છે. રજોગુણની તમગુણની અને સત્વગુણની પ્રવૃત્તિ સ્વાધિકાર સર્વ જીવોને હોય છે. રજોગુણ અને તમોગુણ મનુષ્યની લૌકિકન્નતિ વિશ્વમાં સત્વગુણવિના નભી શકતી નથી. રજોગુણ અને તમે ગુણી મનુષ્ય કોઈ પણ દેશમાં કોઈ પણ કાલમાં ઉન્નતિના શિખરે સર્વથા પહોંચી શકતા નથી. સત્વગુણી મનુષ્યો લકિકોન્નતિનું નીતિવડે પાલન કરી શકે છે. વિશ્વમાં તમગુણ ગુણ અને સત્વગુણ સદા પ્રવત્ય કરે છે. કોઈ દેશમાં કેઈ કાલમાં તમોગુણની પ્રધાનતા હોય છે તો કોઈ દેશમાં કઈ કાલમાં સત્વગુણનું પ્રાધાન્ય અને રજોગુણાદિનું પ્રાધાન્ય ગણત્વે પ્રવર્તે છે. જ્યાં સુધી સત્વગુણી રજોગુણી અને તમોગુણી કર્મોમાં ઈટાનિષ્ટત્વના અને આદેય હેયના વિવેકને સંપ્રાપ્ત કરવામાં નથી આવ્યું ત્યાં સુધી કદાપિ કયું કર્મ કર્તવ્ય છે અને કહ્યું કર્મ સ્વાધિકારભિન્નતાએ અકર્તવ્ય છે તેને નિર્ણય થવાને નથી અને તેના નિર્ણયજ્ઞાનના અભાવે સ્વાધિકાર સ્વષ્ટકર્મમાં વસ્તુતઃ પ્રવૃત્તિ થવાની નથી; અત એવ રજોગુણ તોગુણી અને સાત્વિક કર્મોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ અને દ્રવ્યક્ષેત્રકાલાદિક યુગે પરિત પરિસ્થિતિઓનો સંપૂર્ણ વિવેક કરી હે મનુષ્ય ! તું સ્વાધિકારે જ્ઞાનોપગે નિર્લેપતાપૂર્વક સ્વક્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. લૈકિકદષ્ટિએ હારા કર્તવ્ય કર્માધિકારનો નિર્ણય કર. રજોગુણ અને તમોગુણની બુદ્ધિવિના સ્વાધિકારે બાહ્ય લૈકિક કર્મોને સ્વાધિકાર સાત્વિકવૃત્તિઓ કરી શકાય અને તેવી અમુકાપેક્ષાએ દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ તો તેનાથી પણ આગળની સ્થિતિને પ્રાપ્ત કરીને સ્વાધિકાર બાહ્યકર્મ પ્રવૃત્તિને અદા કરે છે અને તે પ્રવૃત્તિને તેઓ રાગદ્વેષથી મંગાયા વિના આદરે છે. રજોગુણ અને તમોગુણની વૃત્તિવિના બાહ્યકર્મોને બાઘસ્થિતિએ રાજસિક આદિ કર્મો તરીકે મનાતાં હોય તો પણ અન્તરથી રજોગુણ તમોગુણવૃત્તિ વિના નિલેષપણે ફક્ત અમુક પ્રવૃત્તિને સ્વાધિકારે ફરજતરીકે માનીને કરવાની છે એવું માની આત્મજ્ઞાનીઓ તે કમેને આચરે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિવાળા મનુષ્ય અને લોકિક પ્રગતિ માર્ગમાંથી ભ્રષ્ટ થઈને સત્વગુણવૃત્તિથી પરાક્ષુખ રહે છે. લોકિકષ્ટિએ સ્વાત્મરક્ષણાદિ નિમિત્તયેગે રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિ કરતાં સત્ત્વગુણવૃત્તિથી વિશેષ પ્રાબલ્ય પ્રાપ્ત કરી શકાય છે. કોઈ વખત સત્ત્વગુણવૃત્તિધારક મનુષ્યોને રજોગુણ અને તમોગુણ કર્મો કારણવશાત્ નિર્લેપ પણ કરવો પડે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિવાળા
For Private And Personal Use Only