________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ ).
શ્રી કર્મળ ગ્રંથ-વિવેચન.
આવે તે તે અનિષ્ટ કર્મો જાણવાં. જે સમયે મનુષ્ય જે અવસ્થામાં મૂકી હોય અને તે સમયે તેની ફરજ તરીકે જે જે કર્મો કરવાનો સ્વઅધિકાર હોય તે ન સાચવે અને તે અધિકાર ફરજનો ત્યાગ કરીને અન્ય પ્રવૃત્તિ કરે તો તેને માટે તે અનિષ્ટકર્મો જાણવાં. પ્રથમ સ્વવ્યકિત પશ્ચાત્ ગૃહજન પશ્ચાત્ કુટુંબજન પશ્ચાત્ પિળ પશ્ચાતું ગામ પશ્ચાત્ જીલે પશ્ચાતું પ્રાંત પશ્ચાત્ દેશ સમાજ વગેરે પ્રતિ જે જે લોકિકસ્વાવશ્યક ફરજે બજાવવાની હોય તેનો ત્યાગ કરીને જે મનુષ્ય અન્યથા પ્રવૃત્તિ કરે તો તે અન્યથા પ્રવૃત્તિરૂપ કર્મોને અનિષ્ટકર્મો તરીકે જાણવાં. સર્વ પ્રકારના બળનું જે હરણ કરે એવાં જે જે કર્મો હોય તેઓને અનિષ્ટકર્મો તરીકે જાણવાં. અ૯૫ લાભ અને મહાહાનિકારક જે જે કર્મો કરવામાં આવે છે તે અનિષ્ટકર્મો જાણીને તેઓને લૌકિકવિવેક દષ્ટિએ ત્યાગ કરે. લૌકિક ઈટ વિચારોવડે અને લૌકિક અનિષ્ટવિચારેવડે લૌકિકઈટાચાર અને અનિષ્ટાચારનો પ્રવાહ પડે છે. લૌકિક ઈષ્ટ વિચારોનું દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવ સ્વરૂપ અવધવામાં આવે છે તેજ લૌકિક ઈષ્ટકર્મને કવ્યક્ષેત્રકાલ અને ભાવે આચરી શકાય છે. લોકિક ઈટ વિચારોને જે મનુષ્ય સ્વ અને પર પ્રતિ અધિકારભેદે આજીવિકાદિ હિતુભૂત તરીકે અવબોધે છે તેજ મનુષ્ય લોકિક ઈષ્ટ કર્મોને સ્વ અને પર પ્રતિ અધિકાર પરત્વે આવશ્યક આજીવિકાદિ નિમિત્ત અવબોધીને કરવા અને કરાવવા સમર્થ થાય છે; અને તેમાં તરતમાગે યતના સેવનાને શક્તિમાન થાય છે. લૌકિક જે જે ઈષ્ટ કર્મો હોય છે તે અધિકાર અને અવસ્થાભેદે અનિષ્ટતાને ભજે છે અને લોકિક જે જે અનિષ્ટ કર્મો હોય છે તેજ કર્મો અધિકાર અને અવસ્થાભેદે ઈષ્ટતાને ભજે છે. કઈ પણ કાલમાં અને કોઈ પણ દેશમાં સ્થાનમાં કોઈ પણ કાર્યમાં કોઈ પણ વિધિથી કોઈ પણ અધિકારી-કઈ પણ અવસ્થાથી અને પ્રાપ્ત થએલ સાનુકૂલાદિ સંગથી જે જે કર્મો કરવામાં આવે તેમાં સ્વાર્થે ઇષ્ટત્વ અને પરાર્થે ઈટત્વ-કુટુંબાર્થે ઈટત્વ-સમાજ અને દેશાર્થે ઈષ્ટત્વ આદિ જે જે ઈટત્વ જે જે દૃષ્ટિએ અવબોધાતું હોય તે અવલેકવું અને જે જે દૃષ્ટિએ જે કર્મોમાં અનિષ્ટત્વ અવબોધાતું હોય તે નિરીક્ષવું અને પશ્ચાત્ ઈષ્ટત્વયુકત કર્મોને યથાશકિત આદરવાં અને અનિષ્ટકર્મોનો ત્યાગ કરવો. ઈટાનિષ્ટ કર્મોનો ચારે બાજુએથી વિવેક કર્યા પશ્ચાત ઇષ્ટકર્મોની સ્વાત્મવિવેકથી કરેલી નિશ્ચયતા સત્યસુખ સમર્પવા શકિતમાન થાય છે. વિવેકપૂર્વક ઈટાનિકને વિવેક કર્યા પશ્ચાત્ વિવેકાને જે જે કર્મો કરવામાં આવે છે તેમાં પશ્ચાત્તાપાત્રભૂત થવાનો પ્રાયઃ પ્રસંગ પ્રાપ્ત થતો નથી અને પ્રાયઃ લાભાર્થે સ્વકર્મ પ્રવૃત્તિરૂપ ફરજને સમ્યપણે અદા કરી શકાય છે. અમુક કાર્ય જે કરવા માટે પ્રવૃત્તિ થાય છે તે ઈષ્ટ છે વા અનિષ્ટ છે તેને પરિપૂર્ણ વિવેક કરવો જોઈએ. ઈટાનિષ્ટ કર્મને પરિપૂર્ણ વિવેક કર્યા વિનાની પ્રવૃત્તિ ખરેખર અન્ય પ્રવૃત્તિ વા સમૃમિની પ્રવૃત્તિ ગણાય છે અને એવી વિવેકવિનાની
For Private And Personal Use Only