SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લૌકિક ક્રિયાઓ શી રીતે કરવી? ( ૩૧ ) ઔપચારિક શુભાશુભક્રિયાઓનું નૈઋયિક દષ્ટિએ શુભાશુભત્વ પણ ઉપચારતઃ અવધવું. ઔપચારિક શુભાશુભકિયાઓનું દેશકાલ અને અધિકારિપરત્વે ધ્યત્વ અને અગ્રત્વ પણ નેયિક શિતઃ ઉપચારરૂપ જાણવું અને વ્યવહારદષ્ટિએ શુભાશુભત્વ ઉપર્યુક્તભાવે અવધવું. લૌકિકકિયાઓ અર્થાત્ પ્રવૃત્તિમાં શુભાશુભત્વને તરતમયેગ અવધવો. દ્રવ્યક્ષેત્રકાલભાવભેદે અધિકારીની ભિન્ન ભિન્ન અવસ્થાએ યોગ્ય ક્રિયાઓ તે અગ્યતાને ભજે છે અને અયોગ્ય ક્રિયાઓ તે યોગ્યતાને ભજે છે. બાલ્યાવસ્થામાં કેટલીક ક્રિયાઓ કરવી યોગ્ય હોય તે તેજ ક્રિયાઓ પૈકી કેટલીક યુવાવસ્થાગે અગ્રતા અને અકરણીયતા ભજે છે. બાલ્યાવસ્થામાં જે ક્રિયાઓ કરવી પ્રશસ્ય અને રુચિકર લાગે છે તેજ ક્રિયાઓ વૃદ્ધાવસ્થામાં અપ્રશસ્ય લાગે છે ઈત્યાદિ સર્વ પ્રકારે દષ્ટાંતપૂર્વક અવબોધવું. અવતરણ-પૂર્વોક્તાિઓને સ્વસ્વકર્મવિભેદે કરવાનું પ્રતિપાદન કરવામાં આવે છે. હેય ઉપાદેયના વિવેકવડે લૌકિક ક્રિયાઓ શી રીતે કરવી? ક, स्वस्वकर्मविभेदेन लौकिकाः स्युर्महीतले । हेयादेयविवेकेन कर्तव्या लौकिकाः क्रियाः ॥ ८॥ શબ્દાર્થ–સ્વસ્વકર્મ વિભેદે લૌકિક સર્વ પ્રકારની ક્રિયાઓ હોય છે તે હેય અને આદેયના વિવેકવડે લૌકિક યિાઓ કરવા ગ્ય છે. વિવેચન–જે જે મનુષ્યોનું વર્ણકર્માનુસારે જે જે કર્મ સ્વકર્તવ્યભૂત ગણાય છે અથવા જે જે મનુષ્ય પરિત: જીવનાદિ સંગોની પરિસ્થિતિએ બદ્ધ થઈને જે જે ક્રિયાઓને યોગ્ય ગણે છે જે જે કર્મોને લૌકિક દૃષ્ટિએ સ્વયેગ્ય કરણયભૂત માને છે તે તે કર્મો અને ક્રિયાઓ સ્વયંગ્ય ગણાય છે અને તેથી તે કર્મોને લૌકિક દૃષ્ટિએ સ્વસ્વકર્મ તરીકે અવબોધવાં. પરસ્પર સ્વસ્વકર્મને મનુષ્યોને ભેદ હોય છે તેથી સ્વસ્વકર્મના ભેદવડે લૌકિક ક્રિયાઓ કરવાની હોય છે એમ વિદિત કર્યું છે. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી હેય અને આદેયના વિવેકપૂર્વક લૌકિક ક્રિયાઓ કરવા યોગ્ય છે. હેયાદેયના વિવેક વિનાની ક્રિયાઓથી યથાર્થ ફલની સિદ્ધિ થતી નથી. અમુક ક્રિયાઓ મારે કરવા યોગ્ય છે વા ત્યાગ કરવા યોગ્ય છે તેનો પરિપૂર્ણ વિવેક કર્યા વિના જેઓ અધિકારાદિની અનભિજ્ઞતાએ પ્રવૃત્તિ કરે છે. તેઓ અને કાર્યની સિદ્ધિથી વિમુખ રહે છે. અમુક દ્રવ્યક્ષેત્રકલભાવથી જે ક્રિયાઓ કરવા ચાય છે તેજ ક્રિયાઓ અમક દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કરવા ચોગ્ય થતી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy