SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra L www.kobatirth.org תב પ્રવૃત્તિ વર્તુલામાં કેમ વર્તવું ? (૨૩ ) આત્માની શુદ્ધતા થાય છે એવુ પ્રત્યેક વર્ણાધિકારમાં રહેલા મનુષ્યે અવધીને સ્વાધિકારે તરતમયાગે સોષપ્રવૃત્તિ છતાં અન્તરથી શુદ્ધોપયોગે નિર્દોષ રહેવા લક્ષ્ય દેવુ અને સ્વાધિકારક થી ભ્રષ્ટ ન થવું. વસ્તુતઃ આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક સર્વ વિરતિચારિત્રરૂપ નિવૃત્તિમાર્ગના જે પરિપૂર્ણ અધિકારી ન થયા હોય તેઓએ પ્રવૃત્તિમાર્ગમાં ધર્મ અને કર્મથી પ્રવૃત્ત રહેવુ જોઇએ. સર્વવિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરનારાઆને પણ ધર્માં યથાયોગ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિયો કરવી પડે છે. જેઓ અપ્રમત્ત ચારિત્રભાવમાં રહે છે તેને પણ આન્તરધ્યાનરૂપ પ્રવૃત્તિ સેવવી પડે છે. ધર્મની રક્ષાથે ધર્મની પ્રાર્થે અને ધર્મના પ્રચારાર્થે અનેક પ્રકારની આવશ્યક સેવારૂપ પ્રવૃત્તિયે સેવવી પડે છે; તે પશ્ચાત્ જે ગૃહાવાસમાં રહ્યા હોય અને જેઓના માથે ગૃહાવાસ સબધી અનેક ફરજો અદા કરવાની છે તેને તે પ્રવૃત્તિમાર્ગનું અવલંબન હોય એમાં શું આશ્ચર્ય ? અલબત તેમાં કોઇપણ પ્રકારનું આશ્ચર્ય નથી. પ્રવૃત્તિનાં વર્તુલા સ્વવૃત્તિના અનુસારે પ્રત્યેક જીવને લઘુ લઘુતર લઘુતમ અને મહત્ મહત્તર મહતમ હોય છે. કોઇને સંકીણું દૃષ્ટિથી પ્રવૃત્તિવર્તુલમાં રહેવુ પડે છે અને કોઇને ઉદારષ્ટિથી મહત્તમપ્રવૃત્તિવતુંલમાં રહી પ્રવર્તવું પડે છે. કોઈનું અનન્તવર્તુલ સાધ્યરૂપે પ્રવર્તે છે અને કોઇને ભાવનામાં અમુક વૃત્તિભેદે અમુક પ્રકારનું પ્રવૃત્તિવનુંલ કલ્પવુ પડે છે. જ્ઞાનભેદે, દેશભેદે કાલભેદે ભાવભેદે ધર્મભેદે અને સમાજભેદે અનેક પ્રકારનાં લઘુમહત્તમપ્રવૃત્તિવતુલા હોય છે; તેમાંથી કોઇમાં કોઈ વર્તે છે અને કોઈમાં કોઈ. વર્તે છે. હારિક અને નૈઋયિકષ્ટિએ અસંખ્ય અને અનન્તભેદવાળાં પ્રવૃત્તિવતુલા થાય છે. પ્રવૃત્તિમાર્ગનાં પરિવર્તુલા દેશ કાલ દ્રવ્ય અને ભાવભેદે સર્વ જીવે આશ્રયી અનેક પ્રકારનાં અવલાકાય છે અને તેમાં સર્વ જીવા વૃત્તિદ્વારા પ્રવૃત્તિમાં ગુંથાયલા દેખવામાં આવે છે. સર્વ પ્રકારની પ્રવૃત્તિયોનુ અધિકારભેદે લાભાલાભ સ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ સ્વયાખ્યાધિકારભેદે જે કઇ લોકિકાજીવિકાથે અને ધર્માર્થે આજુબાજુના સચે તપાસી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં હાનિ કરતાં વિશેષતઃ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રવૃત્તિ કર્યા વિના રહેવાતુ નથી તેથી જ્યાંસુધી પરિપૂર્ણ નિવૃત્તિ થઇ નથી ત્યાંસુધી વ્યવહારનયાનુસાર પ્રવૃત્તિ કરવી એ ઉચિત આવશ્યક અને લાભપ્રદ અખાધાય છે. સત્ય ચેાગ્યપ્રવૃત્તિ અધિકારે અવધવી અને સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારે પ્રવૃત્તિ દશામાં નિર્લેપ રહેવું એ પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓને સારરૂપ અવબોધાવવાનુ છે. એકજ બાબતમાં અનેક મનુષ્યોના અનેક પ્રવૃત્તિ માર્ગો ભિન્ન પડતા હોય અને અનેક પ્રવૃત્તિયાના વિચારાનુ મત સંઘર્ષણુ પરસ્પર થતું હોય તેમાં કઇ પ્રવૃત્તિયેા પરસ્પર સાપેક્ષતાએ ફલસાધન્યે એકતાને ભજે છે તેનો નિર્ણય કરવા એ કઇ પ્રવૃત્તિયાના પરિપૂર્ણ સમ્યજ્ઞાન વિના બની શકે તેમ નથી. પૂર્વકાલમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં વ્યાવ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy