SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને કર્મયોગના માર્ગની ભિન્નતા. ( ૨૧ ). પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગ, ચિરંજીવી થઈ શકે છે તેનું સૂમરહસ્ય અનુભવવાની જરૂર છે. અકર્મભૂમિમાં કર્મમાર્ગ ન હોવાથી ત્યાં તીર્થકરો વગેરે થઈ શકતા નથી અને ત્યાંના મનુને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઉપર્યુક્ત રહસ્યથી અનુભવી શકાશે કે જ્યાં અસિ-મષી-કૃષ્ણાદિક કર્મમાર્ગની પ્રવૃત્તિ હોય છે ત્યાં કર્મપ્રવૃત્તિની સાથે ધર્મ પ્રવૃત્તિ અને ધર્મની નિવૃત્તિ હોય છે. વ્યાવહારિક કર્મ પ્રવૃત્તિનું કાલે કાલે ક્ષેત્રે ક્ષેત્રે અનેક રૂપે પરાવર્તન થાય છે. વ્યાવહારિક રૌઢિકપ્રવૃત્તિ અને વ્યાવહારિક યૌગિક પ્રવૃત્તિ એ બનેનું મૂલ તપાસવામાં આવે તો બન્નેમાં ભૂલ સ્વરૂપે એક સરખી પ્રજનતા અને ઉદ્દેશતા અવબોધાય છે પરંતુ ક્ષેત્રકાલાનુસારે યૌગિક પ્રવૃત્તિ જ રોઢિપ્રવૃત્તિનું સ્વરૂપ ખરેખર સંસ્કારબલાદિ અનેકકારણેએ ગ્રહે છે. પ્રવૃત્તિને નિલેષપણે કરવી એજ સર્વ જીવોને પ્રવૃત્તિમાર્ગ છે એમ કથીને વાસ્તવિકકર્મગદૃષ્ટિએ જણાવવાનું એ છે કે જે જે કર્મયુગની પ્રવૃત્તિો જે જે દ્રવ્યે ક્ષેત્રે કાલે અને ભાવે પ્રવૃત્ત થઈ હોય છે તેઓને મુખ્ય ઉદ્દેશ તો અમુક જેના અમુકાધિકાર દશા સ્થિતિ આશ્રયીને સરસ હોય છે અને તે તે કાલે તે તે ક્ષેત્રે અમુક જીને ઉદ્દેશીને થએલી તે તે કર્મ પ્રવૃત્તિ તો ગ્ય હોય છે પણ પશ્ચાત્ તેઓનું યૌગિકપ્રવૃત્તિસ્વરૂપ પરાવર્તાને જ્યારે રૌઢિકસ્વરૂપ ગ્રહે છે અને અધિકાર પરના ક્રિયમાણપ્રવૃત્તિનાં રહસ્ય-પ્રયોજનોના જ્ઞાનનો અભાવ થાય છે ત્યારે તેમાં અધિકાર વા અનધિકારનો કશો નિયમ રહેતો નથી તેથી તેમાં અસ્તવ્યસ્ત ક્રમ પ્રવર્તે છે; અત એવ કર્મ અને ધર્મમાર્ગની પ્રવૃત્તિનું ઉચ્ચ સ્વરૂપ અવબોધાવીને તેમાં દિવ્ય જીવનતા આવી. ધર્મ અને કર્મયોગના પ્રવૃત્તિમાર્ગો અનેક જીના અનેક પ્રકારના અધિકારની અપેક્ષાએ વ્યક્તિગત કેચિહ્ન ભિન્નભિન્ન હોય છે, તેથી ધર્મકર્મ પ્રવૃત્તિદર્શકે એ ભિન્નભિન્નપણે ભિન્નાધિકારપેક્ષાએ પ્રબેધ્યા છે તેથી ભિન્નભિન્નજીવના ભિન્નભિન્નાધિકાને દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી અવગત કરવામાં ન આવે તો તે સંબંધી શંકાનો ગેટાળ પ્રગટે છે અને તેથી કર્મમાર્ગમાં આશંકા રહેવાથી જીવોની સ્વાધિકાર યોગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્તિ થતી નથી, માટે જે જે કર્મ પ્રવૃત્તિયો વિશ્વમાં દેખાતી હોય–શાસ્ત્રોમાં જે જે દર્શાવી હોય તે તે કર્મ પ્રવૃત્તિયોના દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવે ભિન્ન ભિન્ન અધિકારી છો છે એવું અવબોધીને સ્વયોગ્ય કર્મપ્રવૃત્તિને આદરવી એજ શ્રેયસ્કર છે. બ્રાહ્મણને બ્રાહ્મણ ગ્ય ધર્મકર્મની પ્રવૃત્તિ આદરવી ઘટે છે અને જે ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિય છે તેને ક્ષાત્ર ધર્મકર્મની પ્રવૃત્તિ આદેય છે. રાજપુત્ર યુવરાજ હોય તે સમયે તેની કર્મ પ્રવૃત્તિયો તેના અધિકાર પ્રમાણે ભિન્ન છે અને તે સમયે યુવરાજ ધર્મકર્મયોગ્ય પ્રવૃત્તિ આદરવાની છે અને જ્યારે તે રાજા થાય ત્યારે તે સમયે તેને રાજયોગ્યકર્મ પ્રવૃત્તિયો આદરવાની હોય છે. સેવકને સેવાના અધિકારે જે જે કર્મપ્રવૃત્તિ આદરવાની હોય છે તેને ત્યાગ કરીને નૃપતિશક્તિના અભાવે નૃપતિકાર્ય કરવા જતાં તે સહસમુખવિનિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy