SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૬ ) www.kotbatirth.org શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન, સંસારી જીવા ત્રણે કાળમાં પ્રવૃત્તિવાળા હાય છે. ૉજ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only U प्रवृत्तिः सर्वजीवानां स्वस्वज्ञानानुसारतः । त्रैकालिकी भवत्येव यथायोगं प्रतिक्षणम् ॥ ५ ॥ શબ્દાર્થ ---સ્વસ્વજ્ઞાનાનુસારથી સર્વ જીવાની વૈકાલિકી પ્રવૃત્તિયથાયોગ પ્રતિક્ષણે હોય છે. વિવેચન—પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવા સ્વસ્વ જ્ઞાનાનુસારે ( આહારસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, ભયસંજ્ઞા અને પરિગ્રહસ’જ્ઞાઐ ) પ્રવૃત્તિ કરે છે. કદષ્ટિએ આહારાદિસંજ્ઞાદ્વારા થતી પ્રવૃત્તિ જે છે તે નૈસર્ગિક પ્રવૃત્તિ જેવી હોય છે અને બાહ્ય નિમિત્ત પામીને જે પ્રવૃત્તિ થાય છે તે મનુષ્યો વગેરેને નૈમિત્તિકકર્મ પ્રવૃત્તિ તરીકે પણ હોય છે. સર્વ જીવોને આહારાદિસંજ્ઞાએ ભૂતકાળમાં યથાયોગ આહારાદિ પ્રાપ્ત્ય પ્રવૃત્તિ થઈ; વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે; અતએવ તે વૈકાલિકી પ્રવૃત્તિ ગણાય છે. નૈસર્ગિક પ્રવૃત્તિરૂપ કર્મયોગ, સર્વ જીવોને આહાસિત સંજ્ઞાદ્વારા આહારદિને થયા કરે છે. કમે પાધિવિશિષ્ઠ આહારાદિ સંજ્ઞાજન્ય આહારાદિ કર્મ પ્રવૃત્તિયે સર્વ જીવોને પ્રતિક્ષણે થાય છે એમાં કશુ' કઈ આશ્ચર્ય નથી. પ્રવૃત્તિરૂપકચાગને વાર્યાં પણ ન વરાય એવા અવોધવા. આહારગ્રહણ, જલગ્રહણું, વસ્રગ્રહણપ્રવૃત્તિ, શરીરસ’રક્ષાપ્રવૃત્તિ, અને સ્વાવિકાપ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિયે તે ત્યાગી થએલા મુનિવરને પણ કર્યા વિના છૂટકા થતા નથી. હેતુવાદેદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવાને સ્વજ્ઞાનાનુસારે વ્યાવહારિક જીવન પ્રવૃત્તિ કરવી પડે છે. આ વિશ્વમાં બાહ્ય અને આન્ત પ્રવૃત્તિ એ બે પ્રવૃત્તિરૂપ ક્રિયા વિનાના કોઇ જીવ દેખાતો નથી. મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ પૈકી કોઇને કોઈ પ્રવૃત્તિ તા હોય છે જ એમ અનુભવ કરતાં વિરત અવમેધાશે. શ્રીવીરપ્રભુએ બાર વર્ષે પર્યન્ત ધ્યાન કર્યું તે વખતે પણ આત્મિક ધ્યાનરૂપ આન્તર પ્રવૃત્તિ તે વિદ્યમાન હતી. શ્રીવીરપ્રભુને જ્યારે કેવળજ્ઞાન થયું તે વખતે પણ તેમણે ધર્મતીર્થં પ્રવર્તન, ધર્મપ્રચારકપ્રવૃત્તિ, ઉપદેશપ્રવૃત્તિ અને વિહારપ્રવૃત્તિ આદિ પ્રવૃત્તિયાને સેવી હતી. કૃતકૃત્ય થએલ એવા શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં કર્મ-નિજરાર્થે મનોપ્રવૃત્તિને અનુત્તર વિમાનના દેવતાઓના પ્રશ્નોના ઉત્તર આપવા નિમિત્તે સેવી હતી. ત્રયોદશગુણસ્થાનવતિ શ્રી તીર્થંકર મહારાજને પણ ક્રિયારૂપ પ્રવૃત્તિયાગ વેદાતા હતા-કરાતા તે અન્ય મનુષ્યાનુ તા શું કહેવુ ? ખરેખર સંસારી જીવાને ત્રિકાલે પ્રવૃત્તિયોગ સેવવા પડે છે. પ્રારબ્ધ કર્મનું દેવું ચૂકવવામાં યોગીઓને ક્રિયાપ્રવૃત્તિ યોગ સેવવા પડે છે. ઉપર્યુક્ત કથ્યને સારાંશ એ છે કે પ્રત્યેક મનુષ્યને સ્વાધિકારે યથાયોગ્ય વ્યાવહારિક પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રત્યેક મનુષ્ય પ્રવૃત્તિ
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy