________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમંગની પ્રવૃત્તિ કયારે થાય?
(૧૫ )
નિશ્ચયિક ધર્મની અપેક્ષાએ કર્મયોગના અવધવા. કર્મવેગનું સાધ્યબિંદ ચિત્તની શુદ્ધિ માટે છે એવું અવબોધીને કર્મવેગની પ્રવૃત્તિને નિમિત્ત અને ઉપાદાનથી આદરવી જોઈએ.
વ્યાવહારિક આજીવિકા હેતુઓની પ્રવૃત્તિને આદર્યા વિના અને તેનું સંરક્ષણ ર્યા વિના વ્યાવહારિકસ્વકીય સ્વાતંત્ર્ય જીવન કદાપિ સંરક્ષી શકાતું નથી અને વ્યાવહારિકાજીવિકાના ઉપાયથી ભ્રષ્ટ થવાથી અન્ય મનુષ્યનું દાસત્વ કરવાને પ્રસંગે પ્રાપ્ત થતાં વ્યાવહારિક પારd બેડીમાં સપડાવાની સાથે ધાર્મિકજ્ઞાનાદિ જીવનપ્રવૃત્તિમાં પરતંત્ર્ય વેઠવું પડે છે અને તેથી પરિણામે વ્યાવહારિક સામ્રાજ્ય સ્વાતંત્ર્ય અને ધાર્મિક સામ્રાજ્યસ્વાતંત્ર્યની જાહોજલાલીને ભાનુ અસ્ત થાય એ પ્રસંગ પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાર્ગમાં આર્યદેશીઓનું વર્તમાન સમયમાં માન્ય પ્રવર્તતાં પાશ્ચાત્ય દેશીઓએ સ્વજીવન વ્યાવહારિકવ્યાપારિપ્રવૃત્તિયોથી આર્યોના બાહ્ય વ્યાવહારિક જીવનસૂત્રનો મુખ્ય ભાગ સ્વહસ્તગત કર્યો છે તેથી આર્યજન પ્રવૃત્તિમાર્ગથી પશ્ચાતુ પડી પરતંત્રતા વેઠે છે અને સ્વજીવન હેતુભૂત વ્યાવહારિક ઉપાયોથી ભ્રષ્ટ થઈ ચિંતા શેક વગેરેથી આકુલમના થઈ ધાર્મિકનિવૃત્તિ જીવનમાં પણ મન્દ પરિણામવાળા થઈ ઉભયબ્રણ દશાસ્થિતિમાન અનુભવેને કરે છે તે ક્યાં અનુભવીઓથી અવિજ્ઞાત છે ! બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રવર્ગીય જને સ્વજીવિકા હેતુભૂત જીવનપ્રવૃત્તિઓની સંરક્ષા કરીને તેઓ ધાર્મિક પ્રવૃત્તિ અને ધાર્મિક નિવૃત્તિમાં અવ્યાકુલમના રહી શકે છે. પ્રત્યેક પ્રગતિની બાબતમાં જીવન હેતુઓ જે જે અધાતા હોય અને સ્વસ્વાધિકાર જે આદરણીય જણાતા હોય અને જે આદર્યા વિના સ્વને પરને સમાજને દેશને અને વિશ્વને હાનિ થતી હોય તે ખરેખર તે તે આદરવા જોઈએ કે જેથી અનેક જાતની ચિંતા, શોક અને ભય વગેરે પરિણામો સેવવાને પ્રસંગ ન પ્રાપ્ત થાય, અત્યંત ક્ષુધા અને પિપાસા લાગી હોય તે તેના નિવારણાર્થે અનુકૂળ ઉપાયોને વિવેકથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી લેવા પડે છે અને જે ઉપાયો ન લેવામાં આવે તો ચિત્તની શુદ્ધિ રહેતી નથી; તદ્દત અનેક આવશ્યકીય બાબતમાં અવધવું. ધર્મસમાજ દેશાદિની સંરક્ષાર્થે કોઈ પણ ઘટતી પ્રવૃત્તિરૂપ કર્મયોગને ન સેવવામાં આવે તો ધર્માદિની હાનિની સાથે ચિત્તની શુદ્ધિ પણ રહેતી નથી; પરન્તુ ઊલટી ચિત્તની મલિનતા વૃદ્ધિ પામે છે. જે શરીર દ્વારા ધર્માદિની આરાધના કરવામાં આવે છે તે જે શરીરની આરોગ્યતા સંરક્ષપ્રવત્તિકપકર્મને ન આચરવામાં આવે તે શારીરિક અનારોગ્યવૃદ્ધિ પામે છે અને તેની સાથે ધર્મમાર્ગ પ્રવૃત્તિને પણ નાશ થાય છે, અતએવ શરીરાદિ સંરક્ષાપ્રગતિભૂત જે જે ઉપાયો-હેતુઓ હોય તેની જે જે પ્રવૃત્તિયો હોય તે તે પ્રવૃત્તિરૂપ કર્મયોગને વિવેકબુદ્ધિથી આદરવાની જરૂર છે.
અવતરણ-કર્મયોગની નૈસર્ગિક અને નૈમિત્તિક પ્રવૃતિ અને સ્વસ્વજ્ઞાનાનુસાર થયા કરે છે તેની વિશેષ પુષ્ટિ માટે કંઈક કહેવામાં આવે છે.
For Private And Personal Use Only