SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SS કર્મયોગની દષ્ટિએ ફરજ. ( ૧૩ ) વિવેકદૃષ્ટિતરતમયેગે નિર્દોષત્વ અવબોધવું અને આવશ્યકત્વ અવબોધવું. જે જે કાર્યોને ઉદ્દેશી જે જે ક્રિયા કરવાની હોય તે તે યિાઓમાં લાભાલાભને અનેકષ્ટિએ વિવેક કરે જોઈએ. અમુક ક્રિયા કરવાનું પ્રયોજન શું છે ? તે ખાસ અનેક દષ્ટિએ સાપેક્ષત્વ વિચારવું જોઈએ. જે જે ક્રિયાઓ આવશ્યક તરીકે અવબેધાતી હોય તેઓનું ચારે તરફનું આજુબાજુથી સંગ તપાસી જ્ઞાન કરવું જોઈએ. કેટલીક વખત કર્તવ્યકર્મના અજ્ઞાનથી સ્વાવશ્યકકર્મયોગ પણ અનાવશ્યકકમંગ તરીકે જણાય છે અને અનાવશ્યક છે જે ક્રિયાઓ હોય તે આવશ્યક તરીકે અવબેધાય છે. જે જે આવશ્યક ક્રિયાઓનું સમ્યગ જ્ઞાન થાય છે તે તે ક્રિયાઓ કરવામાં જે જે હેતુઓની જરૂર હોય છે તે તે હેતુઓને અવલંબવામાં આવે છે. આવશ્યક ક્રિયાનું જ્ઞાન થવાથી આત્મા સ્વયં સાક્ષીભૂત થઈને તે તે ક્રિયાઓમાં બાહ્ય વ્યવહારતઃ પ્રવૃત્તિ કરે છે. જે જે કાર્યો કરવાનાં હોય તે તે કાર્યો કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે સ્વ અને સમાજને શું લાભ તથા હાનિ છે, તે જાણતાં સમ્યકપ્રવૃત્તિ થાય છે. જે જે ક્રિયાઓ કરવાની ધારી હોય તેના કરતાં અન્ય કઈ ક્રિયાઓ કરવાની ઉત્તમ છે કે નહિ તેનું પરિપૂર્ણ જ્ઞાન કરીને આત્મજ્ઞાની જે પ્રવૃત્તિ કરે છે તેથી સ્વફરજન જેવા ઉત્તમ ભાવે અદા કરે છે તેવા ભાવે કાર્ય કરવાને અજ્ઞાની જીવ તેવી આવશ્યક કર્મવેગની ફરજને અદા કરી શક્તો નથી. રાગ દ્વેષના સંકલ્પપૂર્વક જે જે ક્રિયાઓ કરવામાં આવે છે છે તેનાથી બંધન થાય છે, અતએ રાગદ્વેષના સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરીને હર્ષશોક વિના સ્વફરજને અનેકદૃષ્ટિએ અદા કરવી જોઈએ, એમ દઢનિશ્ચય કરીને અવસ્થા આદિના અધિકાર પ્રમાણે જે કર્મયોગને આચરે છે તે બાહ્યથી ક્રિયાઓ કરતાં છતાં અન્તરથી નિષ્ક્રિય રહી મહત્તમ કર્મયોગી બની શકે છે. કર્મચંગમાં ઉરચ નિર્વિકલ્પક દશાનું કર્મગિનું સાધ્ય લક્ષ્યબિંદુ કલ્પીને પશ્ચાત્ કર્મચંગ કરવામાં આવે તે બાહ્યથી ક્રિયાએમાં અજ્ઞાનીની દષ્ટિએ સલેપત્વ જણાતાં છતાં અન્તથી નિર્લેપ રહે છે. અન્તરથી નિલેષપણે સ્વપરના સમ્યગ ઉપગે રહીને બાહ્યથી કાણું પૂતળીની પેઠે વ્યાવહારિક ક્રિયાઓને સ્વાધિકારે ફરજ માની કરતાં જ્ઞાનદશાનું કર્મયોગિત્વ પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થકર મહારાજા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વ્યાવહારિક ધાર્મિક કાર્યોને ઉદયાગત સ્વફરજ માની કરે છે તેથી ઉત્તમોત્તમ લકત્તરિ, કર્મગિત્વ તેમને ઘટે છે. તેવી દશાનું લોકે રિક કર્મ નિત્વ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રી ચેડા મહારાજે કણિક નૃપતિની સાથે બાર વર્ષ પર્યત ક્ષાત્ર ધર્મકર્મગના અધિકારની ફરજ અદા કરવા યુદ્ધ કર્યું હતું. શ્રાવકત્વ છતાં ધર્મ કર્મપ્રવૃત્તિની આવશ્યકતા સ્વીકારીને વર્ણ ધર્મ કર્મ વ્યવસ્થાની મર્યાદાના પાલનમાં શરીરને ઉત્સર્ગ કર્યો હતો. ભરતરાજાએ અને બાહબલિએ કારણ પ્રસંગે પ્રાપ્ત આવશ્યક કર્મવેગે ક્ષાત્ર કર્માધિકારે બાર વર્ષ પર્યન્ત For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy