SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ). શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. પેઠે જ્ઞાનગ વિના ક્રિયાયોગમાં પ્રવૃત્તિ કરવાથી કર્મવેગના ઉચ્ચ હેતુઓનું ભાન રહેતું નથી. જ્ઞાનયેગથી ક્રિયાના ઉરચ શુદ્ધ હેતુઓને અવગમ કરીને ક્રિયાયોગ કરવાથી કાર્ચયોગની સિદ્ધિ થાય છે. જે જે મનુષ્યો જે જે કર્મવેગોને સ્વાધિકાર આચરે છે તે તે મનુષ્ય ન્નતિમાં પ્રતિદિન આગળ વધ્યા કરે છે. દેશ સંઘ અને સમાજ વગેરેની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિની સંરક્ષાર્થે કિયાગ કરવાને સ્વાધિકાર પ્રત્યેક જીવે પ્રયત્નશીલ થવું જોઈએ. આજુબાજુના સ્વજીવન રક્ષણાદિ સંયોગ દ્વારા પ્રાપ્ય જે જે ક્રિયાગ અવધાતા હોય અને ઉત્સર્ગ અને અપવાદથી ભિન્ન ક્ષેત્રકાલાદિગે ભિન્નપણે આચરવા ગ્ય જે જે ક્રિયાયોગો જે જે પ્રસંગે અધિકારે સ્વ માટે આદરવા ઘટે, સમાજ માટે આદરવા ઘટે. ધર્મ સંધ અને દેશાદિ માટે જે જે ક્રિયા આદરવા ઘટે તે તે કિયાગોને નિર્લેપ પણે સ્વફરજ માની અવશ્ય આદરવાથી સ્વાદિ પ્રગતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે, એમ નિશ્ચયતઃ જાણવું. ક્રિયાગ એ રક્ષક છે અને ધર્મગ એ રક્ષ્ય છે. ક્રિયાગ એ વાડ સમાન છે અને રાજગાદિ ક્ષેત્ર સમાન છે ઈત્યાદિ અધ્યાત્મ રહસ્યને અવધી ચિત્તશુદ્ધિ આદિ માટે ક્રિયાયોગ આદરવાની જરૂર છે. જે કર્મવેગથી વ્યાવહારિક અને નૈશ્ચયિક દષ્ટિએ આત્માની ઉન્નતિ થાય અને જે જે વ્યાવહારિક દષ્ટિએ ક્લિાઓ કર્યા વિના છૂટકો ન હોય અને જે જે ધાર્મિક દૃષ્ટિએ ક્રિયાઓ કર્યા વિના છૂટકે ન હોય એવી વ્યાવહારિક અને ધાર્મિક ક્રિયાઓ કરવાની આવશ્યક્તા જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે જણાતી હોય તેને કરવી જોઈએ. જે જે દૃષ્ટિએ જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા અવબોધાય તે તે કરવી જોઈએ. જેમ જેમ આત્મસાક્ષીપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ તેમ કિયાગ કરતાં સ્વફરજને નિલે પપણે બજાવી શકાય છે. આત્મા નિરંજન નિરાકાર વસ્તુતઃ સત્તાએ એ છે એમ અવબોધીને બાહ્યાવશ્યક ક્રિયા ફરજેને જે ત્યાગ કરવામાં આવે તે નિરાકારપરમાત્મપદની પ્રાપ્તિના હેતુઓનો નાશ થઈ જાય અને તેથી અતિભ્રષ્ટસ્તતભ્રષ્ટ જેવી સ્થિતિમાં આવી પડાય ; માટે અધ્યાત્મજ્ઞાનીઓએ આત્માની અનન્તશક્તિ ખીલવવાના જે ધાર્મિક કર્મયોગો જે જે કાલે જે જે ક્ષેત્રે ને અધિકાર ભેદે આદરવાના હેય તેઓનું સંરક્ષણ કરવું એજ સ્વાધિકારરક્ષક કર્મગની ફરજ સ્વમાટે અવબોધવી. પ્રત્યેક મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન ભિન્નાવસ્થાદિ સંગમાં યિાગ ભિન્ન ભિન્ન આદરવા યોગ્ય થાય છે. ગૃહસ્થાશ્રમમાં જે જે વ્યાવહારિક અને ધાર્મિક કર્મયોગ દ્રવ્ય ક્ષેત્ર કાલાદિક અપેક્ષાએ આદરવા યોગ્ય હોય છે તે જ રોગોને અનગારાવસ્થાને ગ્રહણ કરતાં ત્યાગ કરવો પડે છે અને અનગારદશાના વ્યાવહારિકધર્મકર્મયોગો અને જ્ઞાનાદિક નૈશ્ચયિક ધર્મ કર્મ આદરવાં યોગ્ય થાય છે. જે જે કર્મવેગે આદરવામાં લૌકિક અને લોકોત્તર દષ્ટિએ સ્વપરાર્થે વિશેષ લાભ અને અ૯પ હાનિ અવધાતી હોય તે તે કર્મવેગે આદરવામાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy