________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
યોગરૂપ વ્યવહાર માર્ગનું અવલંબન કર્યા વિના વ્યવહારજીવનવડે અને નિશ્ચય જ્ઞાન ભાવપ્રાણજીવનવડે જીવી શકાતું નથી. કારણ વિના કદાપિ કાર્યની સિદ્ધિ થતી નથી, ક્રિયાયોગ વિના કાર્ય ગની દ્રવ્યથી અને ભાવથી, વ્યવહારથી અને નિશ્ચયથી કદાપિ સિદ્ધિ થતી નથી. ક્રિયાયોગના આદર વિના કેઈપણ મનુષ્ય સ્વફરજને વ્યવહારથી અને નિશ્ચયથી અદા કરી શકતા નથી.
મનુષ્યોને આવશ્યક છે જે આહારાદિ ક્રિયાઓ કરવી ઘટે છે તે કદાપિ કર્યા વિના રહેતા નથી. પ્રત્યેક જીવને લોકિક અને લેકોત્તર વ્યવહારતઃ દ્રવ્યત્રકાલભાવ મર્યાદાએ આવશ્યક ક્રિયાઓ કર્યા વિના છૂટકો થતો નથી. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે બાહ્ય જીવનાસ્તિત્વ સંરક્ષકત્વાર્થે અને આન્તરજીવન સંરક્ષકત્વાસ્તિત્વાર્થે તથા સ્વવિચારસ્તિત્વાર્થે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે તે ક્રિયાઓ યદિ ન કરવામાં આવે તે બાહ્યતઃ નિષ્કિય જેવું જીવન જણાયા છતાં અન્તરમાં આર્તધ્યાનાદિ વિકલ્પસંકલ્પ થયા કરે છે અને અનેક પ્રકારની સ્વવ્યક્તિને તથા સમષ્ટિને હાનિ થાય છે. અએવ લૌકિક આવશ્યક ક્રિયાયોગો અને લોકોત્તર આવશ્યકક્રિયાયોગોના અવલંબનની તે તે દશાના અધિકાર પરત્વે આવશ્યકતા સહેજે સિદ્ધ થાય છે. સ્વજીવન સંરક્ષણાર્થે નિમિત્તકિયાગ અને ઉપાદાનજ્યિાગની પ્રવૃત્તિમાં દ્રવ્ય અને ભાવતઃ સર્વ જીવો પ્રવૃત્ત થએલા અવેલેકાય છે. પ્રારબ્ધકર્માનુસારે જીવન્મુક્ત જેવી અન્તરાત્મદશા ધારણ કરનારા અને ભવસ્થકેવલીઓ પણ વ્યવહાર કિયાગને સ્વાધિકાર પ્રમાણે બાહ્યતઃ આદરે છે એથી એમ સ્વાભાવિક રીત્યા સિદ્ધ થાય છે કે ક્રિયાયોગ વિના બાહ્ય વા આન્તરજીવન જીવી શકાતું નથી. ક્લિાગ વિના કોઈ જીવ વિશ્વમાં બાહ્યપ્રાણાદિએ જીવતો અવલકાતો નથી. કિયાગનું અસ્તિત્વ તેના જીવનસૂત્રની દષ્ટિએ સ્વતઃ સિદ્ધ થાય છે. આવશ્યક કિયાગોના ભેદે અવધવા અને આવશ્યક કર્મયોગના અધિકારી બની સ્વફરજના અનુસારે મગજની સમતલતાએ નિલેષપણે આવશ્યક કર્મયોગના યેગી બનવું એ ધારવાના કરતાં અતિ દુર્ઘટ કાર્ય છે. સ્વાચિત આવશ્યક ક્રિયાયોગનો અનાદર કરીને જે મનુષ્ય અન્ય ક્રિયાયોગને સ્વીકાર કરે છે તે બાહ્ય અને આન્તર ધર્મથી ભ્રષ્ટ થાય છે. આજુબાજુના આવશ્યક સંગને અનુસરી સ્વશીર્ષ જે જે ક્રિયાયોગો કરવાની ફરજો આવી પડેલી હોય તેને રાગ દ્વેષના પરિણામના ત્યાગપૂર્વક નિષ્કામભાવે અદા કરવાથી ખરૂં કર્મગિત્વ સંપ્રાપ્ત થાય છે. અએવ કર્મયોગના અધિકારી જીવોએ નિષ્કામભાવની સાપેક્ષતાપૂર્વક આવશ્યક ક્રિયાગનો સ્વીકાર કરવા જોઈએ.
વ્યવહાર અને નિશ્ચયપૂર્વક આવશ્યક કર્મો કર્યાધી વ્યવહાર અને નિશ્ચયતઃ ચિત્તની શુદ્ધિ થાય છે એમ કારણ કાર્યભાવ શૈલિની અપેક્ષાએ કથન કરવામાં આવે છે. ક્રિયાયોગના આદરથી ભય, દ્વેષ, ખેદ, ધ, માન, માયા, લોભ અને નિન્દાદિક દેને નાશ થાય છે.
For Private And Personal Use Only