SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 骗 કમ ચૈાગ ગ્રંથ રચવાને હેતુ. ( ૭ ) વાળવા અધિકારી બને છે. સ્વશક્તિયાનું દાન દેવુ એ સ્વક્જ છે. દાની સ્વશક્તિયાનું દાન કરીને ખરેખરા ત્યાગી અને છે. જે ખરેખરા નિષ્કામભાવે ત્યાગી છે તે વસ્તુતઃ ત્યાગી છે એમ અવધવું. સદ્ગુરુ સુખસાગરજીમાં આત્મજ્ઞાન દાન દેવારૂપ ગુણુ ખીલ્યા હતા અને તેથી તે અન્યાત્માઓને આનન્દી—નિર્ભય બનાવવાને શક્તિમાન થયા હતા. શ્રી સદ્ગુરુ પ'ચાચારપાલક હતા. જેનામાં દાનગુણ ખીલ્યા હાય છે તે શીલાંગભૂત પંચાચાર પાલવાને શિતમાન થાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચાર એ પાંચધાચારપાલક શ્રી સદ્ગુરુજી છે. જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારા પાળવાથી સ્વપરના આત્માની ઉન્નતિ થાય છે. પંચધાઆચારા પાળવાથી અને પળાવવાથી વિશ્વમાં સદાચારાનો વિસ્તાર થાય છે. આચાર: વસ્તુ પ્રથમો ધર્મ: આચાર એ પ્રથમ ધર્મ છે. મનુષ્ય સદાચારવડે યુક્ત રહેવાથી પ્રાપ્ત દશાથી પતનત્વ પામી શકતે નથી. જ્ઞાનાચારથી જ્ઞાનની વૃદ્ધિ થવી જોઇએ, એવુ સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખીને જ્ઞાનાચારનું પિરપાલન કરવું જોઇએ. દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચારને પાળતાં, પળાવતાં અને પાલકજનોની અનુમોદના કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ થાય છે. એ પંચ પ્રકારના આચારના પાલક શ્રી સદ્ગુરુ હતા એમ પશ્ચાત્તાપ્રવાહ એ વિશેષણદ્વારા જણાવવામાં આવ્યુ છે. વસ્ત્ર એ વિશેષણથી સ યતિચેામાં ઈન્દ્ર સમાન શ્રેષ્ઠતા છે એમ દર્શાવ્યું છે. મહાવ્રતાના પાલનમાં શ્રી સદ્ગુરુ શ્રેષ્ઠ હતા. વર્તમાનકાળમાં વિદ્યમાન ગુણાનુરાગી પ્રતિષ્ઠિત સર્વ સાધુએ મુક્ત કઠે સદ્ગુરુ સુખસાગરજી મહારાજના સાધુપણાની પ્રશંસા કરે છે અને તેમનું સર્વ સાધુઓમાં શ્રેષ્ઠત્વ તેમનાં પાસાં સેવી અનુભવ્યું છે; અતએવ ચીન્ત્ર એ વિશેષણ યથાયોગ્ય તેમને ઘટે છે. પૂછ્ય એ વિશેષણ વિશિષ્ટ સદ્ગુરુ મહારાજ છે. આત્મજ્ઞાનપ્રદાતાર, પંચાચારપ્રપાલક, યતીન્દ્રાદિ ગુણાવડે જે યુક્ત હોય છે તે પૂજ્ય હાય છે. શ્રી સદ્ગુરુજી ઉપરના વિશેષણદ્વારા યુક્ત હાવાથી તેઓની ગુણાવડે સ્વયમેવ વિશ્વમાં પૂજ્યતા સિદ્ધ ડરે છે. ગુનાઃ મુનિવુ જૂન્યસ્તે. વિશ્વમાં સર્વત્ર સદ્ગુણાની પૂજા થાય છે. જ્યાં ગુણા હોય છે ત્યાં પૂજ્જતા સ્વયમેવ આવે છે. ઉપર્યુંક્ત વિશેષણ વાંચ્યા પછી ગુણવિશિષ્ટ શ્રી સદ્ગુરુજી હાવાથી તેઓ વિશ્વમાં પૂજ્ય છે એમ દર્શાવી તેમને નમસ્કાર કરીને કચેોગ ( ક્રિયાયોગ ) નામનો ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. ક્રિયાયાગ, ( કર્મયોગ ) ગ્રન્થ રચવાનું પ્રયોજન ગ્રન્થમાં “ मनुष्याणां विशेषतः સ્વસ્વધર્માસ્થિત સથયિાયોગપ્રવૃત્તથી ક્રિયાયોગં મળશ્યરૂં. ” એ વડે સ્પષ્ટ દર્શાવ્યુ છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજની ક્રિયાયેાગમાં સમ્યક પ્રવૃત્તિ હતી. ક્રિયાયેાગમાં તેમની ઘણી રુચિ હતી. સાધુધર્મની ક્રિયાએ કરવામાં તેમની સ્વશક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી હતી. પ્રતિલેખના, પ્રતિક્રમણ અને ગોચરી વગેરે ક્રિયાઓ કરવામાં તેમની રુચિ ઘણી હતી. તેમની એવી ક્રિયાયોગની પ્રવૃત્તિથી તે ક્રિયાયેાગી એ ખ્યાતિને પામ્યા હતા. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy