SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન. જે દેવું તે મનુઘવાર અવધવું. સ્વસ્વાધિકાર પ્રમાણે દેશકાલ–કુલાદિકને ઉચિત જે જે દાન દેવું પડે તે રતવાર અવધવું. ગૃહસ્થને સ્વાધિકારપેક્ષાએ ઉચિતદાન સેવ્યા વિના છૂટકો થતો નથી. યાચક કીર્તિકાર પ્રમુખને જે દાન દેવું તે શાર્તિાન અવબોધવું. એ પંચ દાને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સ્વસ્વાધિકાર પ્રમાણે સેવનીય છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે ગૃહસ્થાવાસમાં યાચકોને દાન આપ્યું હતું. ચમચાન સેવીને અનેક પ્રાણીઓના પ્રાણનું સંરક્ષણ કર્યું હતું. પરજીના દુઃખ વિનાશાથે તન, મન, ધનાદિકનું જે દાન કરવું તેમાં મમતા વગેરેના ત્યાગની ખાસ જરૂર પડે છે. દ્રવ્ય-ધન એ અગિયારમે પ્રાણ છે, તેનું મમત્વ ટળ્યા વિના ધનનું દાન થઈ શકતું નથી. પરજીના ઉપકારાર્થે જે જે અંશે તન, મન અને ધનનું દાન થાય છે તે તે અંગે અન્તરથી ત્યાગ ભાવ પ્રકટે છે. શ્રી તીર્થકરે દીક્ષાની પૂર્વ સાંવત્સરિક દાન દે છે. અએવ સર્વ ધર્મોમાં પ્રથમ દાન ધર્મની મુખ્યતા સિદ્ધ થાય છે. દાનધર્મની સિદ્ધિ થયા પશ્ચાત્ તદનન્તર શીલ ધર્મ આરાધવાને તીર્થકરે દીક્ષા અંગીકાર કરે છે, પશ્ચાત્ તેઓ દ્રવ્ય અને ભાવતઃ તપ કરે છે અને ભાવ તપગે ઉપશમાદિ ભાવ બલપૂર્વક આત્માની શુદ્ધ ભાવના ભાવીને તીર્થકરે કેવલજ્ઞાન પ્રકટાવે છે; તેથી દાન, શીલ, તપ અને ભાવ એ ચારનો કથંચિત્ સ્વાતુ અપેક્ષાએ અનુક્રમ સિદ્ધ કરે છે. શ્રી ગુરુ મહારાજે દ્રવ્ય અભયદાનને ગૃહાવાસમાં સેવ્યું હતું અને ત્યાગાવસ્થામાં ભાવઅભયદાન દેવાની પ્રવૃત્તિ કરીને અનેક જીને મોક્ષ સન્મુખ કર્યા હતા. આત્મજ્ઞાનનું દાન તે ભાવઅભયદાન છે અને તેના દાતાર શ્રીગર હતા. અતઃ સામજ્ઞાનપ્રવાતા એ વિશેષણ દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી છે. તરવાથસૂત્રમાં “વારોપત્રો ઝીવાનામ્ ” જીવોને અને અને પરસ્પર ઉપગ્રહ અર્થાત્ ઉપકાર છે. પ્રજાપગ્રહો વાનામ્ એ સૂત્ર પ્રમાણે અન્ય જીવોને સમ્યકત્વદાનાદિવડે ઉપગ્રહ કરીને સ્વાદર્શજીવનને શ્રી સદ્ગુરુ વ્યતીત કરતા હતા. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે આત્મજ્ઞાનરૂપ ભાવ અભયદાન દઈને guagો જીવાનામ્ એ સૂત્ર પ્રમાણે સ્વાધિકારે નિષ્કામભાવે સ્વફરજને પરિપૂર્ણ અદા કરી હતી. જે મનુષ્ય સ્વાધિકાર સ્વશક્તિનું અન્ય જીવોના ઉપકારાર્થે દાન નથી કરતો તે મનુષ્ય આ વિશ્વમાં પર જીવોના ઉપકાર નીચે સદા દબાયેલું રહે છે અને તે વિશ્વમાં ઊંચું મુખ કરીને કંઈ પણ કરવા સમર્થ થઈ શકતો નથી. દાન દેતાં દેનારને હસ્ત ઊંચે રહે છે અને લેનારનો હસ્ત નીચે રહે છે તેથી જ દાન દાતારની કેટલી બધી વિશ્વમાં ઉત્તમતા છે તે સ્વયમેવ સિદ્ધ થાય છે. એક મનુષ્ય અનન્ત કાળથી અનન્ત જેના અનન્ત ઉપગ્રહોને અનન્તી વાર અનન્ત ભાવમાં ભમતાં પૂર્વે ગ્રહ્યા છે તે ઉપગ્રહોમાંથી મુક્ત થવા માટે દ્રવ્ય અને ભાવથી દાન દેવું જોઈએ. જે મનુષ્ય નિષ્કામભાવે દ્રવ્ય અભયદાન અને ભાવ અભયદાનમાં યથાયોગ્ય સ્વાધિકાર સ્વશક્તિપૂર્વક પ્રવૃત્ત થાય છે તે વિશ્વકૃત ઉપગ્રહને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy