SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણે પ્રકટે એવાં કર્તવ્ય કર્મો કર્યા વિના કંઈ કરી શકાતું નથી. ગમે તે મનુષ્ય સદ્ગણવડે ધાર્મિક બની શકે છે. પરમાર્થબુદ્ધિથી ધાર્મિકત્વ પ્રાપ્ત થાય છે. ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે જેટલી ઉપયોગિતા દર્શાવવી હોય તેટલી જૂન છે. અધમ મનુષ્યોને પણ સુધારી પ્રભુમયજીવન બનાવનારા ધાર્મિક મનુષ્ય છે અને મનુષ્યનાં સર્વગુણે પ્રકટાવવાના હેતુભૂત ધાર્મિક મનુષ્યો છે. અતએ ધાર્મિક મનુષ્યનું વ્યવહારમાં અસ્તિત્વ રહે એવા સર્વઉપાયે આદરવાની ખાસ જરૂર છે વર્તમાનકાલદેશાદિ અનુસાર તેઓના અસ્તિત્વ માટે જે જે કર્તવ્ય કર્મો જણાય તે કરવાની જરૂર છે. તેઓના અસ્તિત્વના વિચારોને આચારમાં મૂક્યાવિના આ બાબતમાં કંઈપણ કરી શકાતું નથી. વ્યવહારનયને અનુસર્યા વિના ધાર્મિકમનુષ્યની વૃદ્ધિ કરી શકાતી નથી તથા તેઓનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી. ધાર્મિક મનુષ્ય આસ્તિક હોય છે તેઓ સત્વગુણી પ્રવૃત્તિ સેવે છે અને દુર્ગુણોને નાશ કરવા પ્રયત્ન કરે છે. સર્વ જીવેને સુખશાંતિ મળે એવી પ્રવૃત્તિ ને તેઓ સેવે છે. અએવ ધાર્મિક મનુષ્ય જે દુનિયામાં જીવતા રહે અને તેઓની પરંપરા વહેતે તેથી વિશ્વવતિજીને અત્યંત લાભ થાય છે. ધાર્મિક મનુષ્યની અસ્તિતામાટે અ૫હાનિ અને મહાલાભ થાય એવી દષ્ટિએ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. આધ્યાત્મિકનિવૃત્તિ જીવન ગાળીને જેઓ ધ્યાન સમાધિમાં લીન થયા છે, એવા ધાર્મિક મનુષ્યની અસ્તિતાથી વિશ્વજનોને અનેક લાભ થાય છે. વ્યવહારનયને અનુસરી વર્તમાન દેશકાલાનુસારે ગ્ય કર્મ કરવા તેમ કથવાનું કારણ એ છે કે ભૂતકાલ અને તસમયના દેશની પરિસ્થિતિ અને વર્તમાન કાલદેશની પરિસ્થિતિ બદલાયા કરે છે. ભૂતકાળના અસ્તિત્વનાં ગ્ય કર્મોમાં અને વર્તમાન દેશકાલમાં ધામિકના અસ્તિત્વનાં ચગ્ય કર્મોમાં કઈક ફેરફાર હોય છે. તેથી ભૂતકાળના અસ્તિત્વના કર્મોને આગ્રહ કરીને વર્તમાન કાળમાં જે ગ્ય કર્મો ભાસે તેને ત્યાગ કરવો નહીં, ભૂતકાલના ધાર્મિક મનુ ના આચારમાં વિચારોમાં અને વર્તમાનકાલીન ધાર્મિક મનુષ્યના ધર્મના આચારમાં વિચારમાં મૂલસાધ્ય એક હેવા છતાં નિમિત્ત For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy