SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪૯ વિવેચન –ઈશ્ચરાવતારરૂચ આત્મજ્ઞાનિમુનીન્ને ખરેખર આ વિશ્વમાં અધર્મના નાશાથે અને ધર્મસંસ્થાપનાર્થે અવતરે છે. તેઓએ પૂર્વભવમાં ધર્મની અપૂર્વશક્તિને મેળવેલી હોય છે અને અત્ર પૂર્વભવધર્મકર્માનુરાગે ધર્મરક્ષણાર્થે ધર્મસ્થાપનાર્થે અને અધર્મના સાથે તેઓને અવતાર થાય છે. તેનામાં બાલ્યાવસ્થાથી અપૂર્વગુણની ઝાંખી પ્રગટે છે. આ વિશ્વમાં નાસ્તિક, અધમ, જડવાદી દુષ્ટ લેકેનું પ્રાબલ્ય થાય છે અને જ્યારે તેઓ ધમમનુષ્યને સતાવે છે ત્યારે તેવા આત્મજ્ઞાનિમુનિવરેના અવતારે થાય છે. જ્યારે વિશ્વમાં રાત્રીની પેઠે અજ્ઞાન, વહેમ, અધર્મ, હિંસા, મારામારી આદિઅધર્મને ઘેર અંધકાર વ્યાપી જાય છે અને ધર્મીમનુષ્યને અનેક વિપત્તિ પડે છે ત્યારે તેઓ ધર્મોદ્ધારક મહાત્માઓના પ્રાકટ્ય માટે પ્રાર્થના કરે છે ત્યારે તેઓના પુણ્યાનુસારે અનેક મહાત્માઓ સ્વકીય પુણ્યબલાનુસારે દેવલેજ વગેરેમાંથી આપી અત્ર કેઈના ત્યાં જન્મ ધારણ કરે છે. અધર્મના અંધકારને નાશ કરવા માટે દેશકાલાનુસારે જેજે યોગ્ય કર્તવ્યક હોય છે તેઓને તેઓ કરે છે અને અધમ મનુષ્યોનું બલ ઘટાડી અધર્મને નાશ કરે છે. તેમાં દેશકાલ પર મનુઑને ધર્મમાર્ગમાં દરવવાના અપૂર્વગુણે હેાય છે. તેઓ જે કાલમાં જેજે સગુણેની ન્યૂનતા હોય છે તેને પ્રકાશ કરે છે અને અધર્મપ્રવર્તકવિચારેને અને આચારને નાશ કરે છે. તેઓ પંચ પરમેષ્ઠિમાં અમુક અમુક પદથી વિભૂષિત હોય છે. ધર્મકારક મુનીન્દ્ર જેજે દેશકાળે જેજે ધર્માચારની અને ધર્મવિચારેની ખામી હોય છે તેને પૂર્ણકરે છે અને ધર્માચારમાં અને વિચારેમાં જે જે તે સમયે અશુદ્ધતા પ્રવેશેલી હોય છે તેને નાશ કરે છે. આત્મજ્ઞાનીમહાત્માઓના ઉપદેશથી ધર્માચારમાં અને ધર્મવિચારમાં અનેક પ્રકારના સમ્યગ સુધારા થાય છે અને તેથી ધમમનુષ્ય ધર્મની સછવનતાથી જીવવા સમર્થ થાય છે. અધમ અજ્ઞાની મનુષ્ય તરફથી ધર્મેદ્રારક મહાત્માઓને અનેક ઉપસર્ગો, વિપત્તિ સહેવી પડે છે. આસુરી શક્તિના ધારકેને અને સુરીશક્તિની ધારકેને પરસ્પર અનેક પ્રકારનાં ઘેર યુદ્ધ કરવા પડે છે તેમાં અ૫હાનિ અને મહાલાભની પ્રષ્ટિએ સુરીશક્તિના પ્રવર્તક મહાત્માઓ અપૂર્વશક્તિને ફૈરવી ૧૦૭ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy