________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૭ વૃદ્ધિ કરવા પ્રયત્ન કરતા નથી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્મા પોતે સ્વગુણ પર્યાને કર્તા છે. આત્મા સ્વયે કર્મકારક છે. તે સ્વયંકરણ સંપ્રદાન, અપાદાન, અને અધિકરણકારકરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશે છે. પ્રતિદેશે અનન્તજ્ઞાન, અનન્તદર્શન અનન્તચારિત્ર, અનન્તવીર્ય આદિ અનન્તગુણે અને અનન્તપર્યાઓ રહ્યા છે. આત્માના પ્રતિપ્રદેશમાં અનન્તગુણેને અને પર્યાને સમયે સમયે ઉત્પાદવ્યય થુવરૂપ બ્રહ્મા, હર અને વિષ્ણુવત્રયી વ્યાપી રહી છે. આત્મામાં અનાદિકાલથી અનન્ત શક્તિ છે તેથી આત્મસ્વયં અનન્ત શક્તિરૂપ છે. આત્માની અનન્ત શક્તિને કેટલાક દેવીઓનાં રૂપકે આપીને પૂજે છે, ધ્યાવે છે. આત્માના જ્ઞાનાદિ ગુણેને કેચિત્ મનુષ્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ગણપતિ વગેરે દેવનાં રૂપકે આપીને પૂજે છે અને ધ્યાવે છે. જેનદષ્ટિએ ઉત્પાદવ્યય ધ્રુવતા એ આત્માનું લક્ષણ છે. આત્મારૂપ પરમાત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણેને વા ઉત્પાદખ્યય. ધ્રુવતાને બ્રહ્મા, હર અને વિષ્ણુના અવતારનાં રૂપ આપીને વેદાનતીઓ તેઓને ધર્મવ્યવહારમાં પૂજે છે અને માને છે. આત્માની સાથે લાગેલા કોધાધિકને મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુનાં રૂપકે રૂપ અવતારે માની લેકે તેઓને પૂજે છે, ધ્યાવે છે. અન્તરાત્મજ્ઞાનીએ આત્મારૂપ પરમાત્માની રૂપકેદ્વારા થતી કલ્પનાઓને સમ્યગ વિવેક કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે. આત્માની શક્તિથી અન્તરાત્માએ અનેક પ્રકારના ચમત્કાર દર્શાવી શકે છે. ભૂતકાળમાં આત્માએ ચમત્કાર દર્શાવ્યા છે. વર્તમાનમાં તે દર્શાવે છે અને ભવિષ્યમાં તે દર્શાવશે, અન્તરાત્માઓ, અનેક પ્રકારના ત્યાગીએના વેષે અને ગૃહસ્થોના વેષે હેય છે. તેઓનાં બાસૂમ અનેક લક્ષણે પ્રતિપાદન કરવામાં આવે તે પણ તેનું પરિપૂર્ણ સ્વરૂપ કઈ કથી શકે તેમ નથી. બહિરાત્માઓ બાહા રાજ્યસત્તા ભેગોથી જે સુખ ભેગવે છે તેના કરતાં અન્તરાત્માઓ શાશ્વત અનન્ત સુખને અનન્તગુણ સાક્ષાત્કાર કરી શકે છે. બહિરાત્મીયમનુષ્ય જગન્ના સ્થલ પદાર્થો પર સત્તા ચલાવી શકે છે. પરંતુ તેઓ સ્થલ પદાર્થોની સાથે બંધાઈને તેના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ વિશ્વપર સૂક્ષમ
૧૦૩
For Private And Personal Use Only