SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧૫ જ્યારે બાહ્ય પદાર્થોને ભેગવીને થાકી જાય છે અને તેણે સુખ માટે જે જે ભેગેની કલ્પના કરી હોય છે તેમાંથી જ્યારે તેને આત્મસુખ મળતું નથી ત્યારે તેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. આ વિશ્વવતિ પદાર્થોને ભેગા કરીને બહિરાત્મા સુખ લેવા ઈચ્છે છે તે ગૃહમાં રહે છે. સ્ત્રી પુત્ર વગેરેથી સુખ લેવા ઈચ્છે છે પરંતુ જ્યારે તેને સત્ય સુખ મળતું નથી ત્યારે તે બાહ્ય વસ્તુઓમાં આસક્તિ ધારતે નથી અને બાહ્ય વસ્તુઓમાંથી અહંતા મમતાને ત્યાગ કરે છે. બાહ્ય વસ્તુઓમાં જ્યાં સુધી સુખબુદ્ધિ છે ત્યાં સુધી તેને સદુપદેશ લાગતે નથી પરંતુ પિતાને અનુભવ આવે છે અને તે બાહ્ય શરીરાદિકર્મોમાંથી અહંતા મમતા ધ્યાસને ત્યાગ કરે છે અને આત્મામાં સુખ શોધે છે. સ્વાનુભવ વિના કઈ પણ આત્માને નિશ્ચય થતો નથી. બાહ્ય વસ્તુઓમાં સુખ છે એ અનુભવ અસત્ય ન ભાસે ત્યાં સુધી પરમા ત્મા પિતે આવે તે પણ મનુષ્ય, આત્મામાં એકદમ સુખને નિશ્ચય કરી શકતું નથી. બહિરાત્મભાવમાંથી અન્તરાત્મદશામાં શનૈઃ શનૈઃ પ્રવેશ કરી શકાય છે. કે પૂર્વભવો અધ્યાસી આત્મા હોય છે તે એકદમ બહિરાત્મદશામાંથી અન્તરાત્મા દશામાં જાય છે અને અન્તરાત્મદશામાંથી ત્વરિત પરમાત્મદશામાં પ્રવેશ કરે છે. પાપકર્મોને પરિહાર કરતાં અને પુણ્ય કર્મોને કરતાં કરતાં તથા સાધુઓની સેવાઓ કરતાં અન્તરાત્મદશાની પ્રાપ્તિ થાય છે અને બહિરાત્મભાવને નાશ થાય છે. શ્રી સર્વજ્ઞવરપ્રભુએ કેવલ જ્ઞાનથી પ્રબોધ્યું છે કે ગુરૂઓની સેવા ભક્તિથી અને પરમાત્માની સેવા ભક્તિધ્યાનથી અત્તરાત્મપદ પ્રાપ્ત થાય છે. જે અન્તરાત્માએ સર્વ વિરતિ સાધુ ધર્મને અંગીકાર કરે છે તેઓ વેગે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગી સાધુધર્મની અનન્તગુણ ઉત્તમતા છે. સર્વ પાપક્રિયાથી મન વચન અને કાયાથી નિવૃત્ત થતાં ત્યાગી દશાની પ્રાપ્તિ થાય છે. પંચમહાવ્રત અને પંચાચારરૂપ સદ્ધર્મ કર્મને સેવીને સાધુએ આત્માને લાગેલી અનન્ત કર્મ પ્રકૃતિને નાશ કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ગનાં અષ્ટાંગને સેવી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy