SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૧ નાથી સહી શકતું નથી, તેના પ્રેમાલાપનું મૂલ્ય એક કેડીનું પણ હોઈ શકે, એમ તમને જણાય છે. ખડું કે? તમને અનિષ્ટ દેખાતા માર્ગને જ તમારા માથા પર લાદવાની ચેષ્ટા કરવી, એજ જે પ્રેમનું ચિ હેય, તે પછી Àષની વ્યાખ્યા શી કરવી? એક મહાકઠિન અને ભયંકર પ્રશ્ન થઈ પડે છે. કેઈ ખ્રીસ્તની આગળ મસ્તક નમાવતે હેય, કેઈ બુદ્ધની પૂજા કરતું હોય અથવા તે કઈ મહંમદ પયગંબરને અનુયાયી હોય છતાં આપણા માટે એમને કઈ પણ દ્વેષ કરવાયેગ્ય નથી. તે સર્વને આપણે બંધુભાવથી ભેટવાને તૈયાર છીએ. જે આપણાથી બની શકે, તે તેમના માર્ગમાં આપણે તેમને કાંઈક સહાયતા પણ આપીશું અને તે જ પ્રમાણે આપણને તેમણે આપણા માર્ગમાં જવા દેવા જોઈએ, એજ આપણી ઈચ્છા છે. તેમના માર્ગો તેમના માટે અત્યંત સરળ અને સગવડ ભરેલા છે, એ વાર્તાને આપણે સ્વીકારીએ છીએ, પરંતુ તેજ માર્ગો આપણા માટે ભયંકર થઈ પડવાને સંભવ છે, એ તવને તેમણે પણ સ્વીકાર કરવાને છે. મારા માટે કયા પ્રકારનું અન્નઈષ્ટ થાય તેમ છે, એ મને કેવળ મારે પિતાને અનુભવજ જણાવી શકે છે; પંદર વૈદ્ય આવીને એકઠા થઈ જાય, તે પણ તેમનાથી એને નિર્ણય કરી શકાય તેમ છેજ નહિ. જો કોઈ એક દેવાલયના યોગે, અમુક એક મંત્રોચ્ચારના ગે કિંવા અમુકએક મૂર્તિના દર્શનના ગે તમારામાંને સાત્વિક અંશ ઉદીપિત થતું હોય, તે પછી તે માર્ગમાં જવાને તમને સંપૂર્ણ અધિકાર છે. એક તે શું? પણ જે શતાવધિ મૂત્તિઓના પૂજા પ્રપંચમાં તમે પોતાને નાખી, તે પણ તે તમારું કૃત્ય ધર્મને માન્ય છે. કર્મમાર્ગના અવલંબનથી તમારામાંનું ઈશ્વરત્વ જાગ્રત થતું હોય, તે અત્યંત આનંદથી કર્મમાર્ગનું અવલંબન કરે. ઈચ્છા હોય તેટલાં દેવાલય બાંધે, ગમે તેટલા વિધિ કરે અને અન્ય પણ ગમે તેટલા બાહ્યાચાર કરતા રહે; પરંતુ મુાની વાત એટલી જ છે કે, ઈશ્વરને નિકટમાં લાવે અને એ કાર્ય કરતાં કેઇની સાથે કશે પણ ફ્લેશ કે કલહ ન કરે; કારણકે, જ્યાં કલહના બીજને તમારા હૃદયમાં સંચાર થયે એટલે જાણી લેજો કે, પરમેશ્વર તમારાથી દૂર ચાલ્યા જ ગ. “કામધપર્વત બે આડા, અનંત તેની પાછળ છે!” ૧૧ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy