SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્સર્ગ અને અપવાદથી અમુક પ્રવૃત્તિ અમુક રીતિએ આદરવાયેગ્ય છે અને તે કર્તવ્ય કર્મધર્મ છે, એમ અવબોધીને તે ફર્જને વ્યવહાર અદા કરે છે તેથી તેઓ વ્યવહારથી તથા નિશ્ચયથી દેશ-સમાજસંઘ અને સ્વને પ્રગતિસંરક્ષકવ્યવસ્થાઓથી યુક્ત કરી શકે છે. જ્ઞાનીઓ સમાજની, દેશની અને સ્વપરની આધુનિક અને ભવિષ્ય સ્થિતિ અવલોકી શકે છે અને તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવતઃ કર્તવ્ય કર્મયોગને સ્વસ્વાધિકાર સર્વ મનુષ્યને સંબેધવા અધિકારી બની શકે છે અને સ્વયં સ્વાધિકારે જે જે કર્તવ્ય કર્મોગ્ય ધારે છે તે તે કરવા અધિકારી બની શકે છે. મગજની સમાનતા સંરક્ષી નિલેષપણે હારે મારા અધિકાર પ્રમાણે કર્તવ્યાવશ્યક કર્મને કરવાં જોઈએ એમ જે જ્ઞાની મનુષ્ય ધારી શકે છે તે પ્રવૃત્તિમાર્ગમાં પ્રગતિકારક ઉપાયને સંયે પ્રવૃત્ત થઈ શકે છે. ઉત્સાહ, ખંત, વૈર્ય, સહનશીલતા, વિશેષતઃ નિર્દોષ કર્મ કરવાની વિવેકશક્તિ, દયા, સત્ય, પ્રામાણ્ય અને સ્વફર્જ બજાવવાની ચેગ્યતા ઈત્યાદિ ગુણેને જે પ્રાપ્ત કરીને સ્વકર્તવ્ય કર્મને ગમે તેવી સ્થિતિમાં તે તે કાલે જે જે રીતે કરી શકાય તેવી રીતે આચરે છે તે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મને અધિકારી બને છે અને તે આદર્શ કર્મયોગી બની અન્ય જિનેને સ્વાધિકાર કર્તવ્ય કર્મને અવધાવવા સમર્થ બને છે. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશામાં આજુબાજુના સંગને લેઈ લાભાલાભના વિવેકપૂર્વક કયું કર્તવ્ય કર્મ કેવી રીતે વ્યવસ્થા જનાઓપૂર્વક કર્તવ્ય છે અને તેમાં મારી કર્તવ્યગ્રતા શક્તિ કેટલી છે તેને નિર્ણય કરીને પ્રવૃત્તિ કરવી એ. કંઈ નાના બાળકોના ખેલ નથી. મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધ કરવામાં અર્જુનની મતિ અનિશ્ચિત બની હતી તેનું શું કારણ હતું તે ખાસ અનુભવવાયેગ્ય છે. સ્વાધિકારે વર્ણાદિકની અપેક્ષા આદિ અનેક અપેક્ષા સાગોને વિચાર કરી જે જે સ્થિતિમાં જે જે મનુષ્ય પ્રારખ્યાદિ કારણથી મૂકાયે હેય તે વખતે તેને સંસારદશામાં કર્યું કર્મ કરવું અને તેમાં સ્વાધિકાર છે કે નહિ તે નિર્ણય કરે એ આત્મજ્ઞાન અને વ્યવહાર જ્ઞાનથી સમ્યમ્ અનુભવ થયા વિના બની શકે તેમ નથી. For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy