________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૬
ત્મશક્તિને પરિપૂર્ણ કેળવીને પ્રગતિમાનું બની શકાય. પ્રત્યેક માનુષ્ય સ્વાત્મ કર્તવ્ય કાર્યોની વ્યવસ્થિતતા માટે વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર કાર્ય કરવાની કેળવણીને પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે જે કાર્યો કરીએ છીએ તેમાં જે જે ભૂલે દે થાય છે તેને પરિહાર થાય એવી રીતે દરરોજ આ વિશ્વ પાઠશાલામાં વ્યવસ્થિત કર્તવ્ય કાર્યનું શિક્ષણ પ્રહવું જોઈએ. કે મનુષ્ય સર્વજ્ઞ નથી. પ્રત્યેક મનુવ્યના કાર્યમાં તેના કરતાં ઉત્તમ વ્યવસ્થિત કાર્ય મનુષ્યની દૃષ્ટિએ કંઈક અવ્યવસ્થિતપણું, અસ્વસ્થપણું અને અસુંદરપણું ભાસે છે માટે કઈ પણ કર્તવ્યકાર્યમાં સંતોષ માની ન લેતાં દરરોજ વ્યવસ્થિત બુદ્ધિએ વ્યવસ્થિત કાર્યો કરવા જોઈએ. સર્વ કાર્યની વ્યવસ્થાની કેળવણીથી પ્રથમ સ્વાત્માને વાણી અને કાયાને કેળવે એટલે બાહ્ય કર્તવ્ય કાર્યો જે જે હસ્ત ધરવામાં આવશે તેમાં વ્યવસ્થિતતા-સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠશે. અ૫ કાર્ય પણ વ્યવસ્થિત સ્વ૨૭ અને સુન્દર કરવું અને તેવી કેળવણી પૂર્વક સદા પ્રવૃત્ત થવું. અવતરણ–પ્રવૃત્તિ વિના કથન માત્રથી હિત થતું નથી તે જણાવે છે. प्रवृत्तिमन्तरेणोक्ति, हितार्थ नैवजायते ।। क्रिया सुवर्णवबोध्या, रुप्पवत्कथनं शुभम् ।।७३।। | શબ્દાર્થ–પ્રવૃત્તિ વિના ઉક્તિ માત્ર હિતાર્થ થતી નથી. ક્રિયા સુવર્ણવત્ અવધવી અને શુભકથન રૂપાના જેવું અવધવું. કથની માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી.
વિવેચન –લાલાલાખ તે સવાલાખની પેઠે કથનીથી આત્મહિત કેઈનું થયું નથી અને થવાનું નથી. પ્રવૃત્તિવિના કાર્યની સિદ્ધિ થવાની નથી. લાડુ લાડુ માત્ર બેસવાથી ઉદરની પૂતિ થતી નથી. વિશ્વમાં બેલવા કરતાં કરી બતાવનારાની અનન્તગુણી જરૂર છે. કર્મ
ગીઓ કર્તવ્ય કાર્યોને પૂર્ણ કરવામાં સ્વજીવનની મહત્તા અવધે છે. કર્મયેગીઓ કહે છે કે તમે આવશ્યક કર્તવ્ય કાર્યો કર્યા કરો તમે શું કરે છે તેને કર્તવ્ય કાર્યો દ્વારા અખિલ વિશ્વને ગુપ્ત અવાજ સંભળાય છે, અને તમારા કાર્યની અખિલ વિશ્વને મહત્તા અવબેધાય છે. કથની
For Private And Personal Use Only