SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨ આ વિચાર કરી તેણે શેઠને પુત્રને નદીમાં તણુવા દીધે પરંતુ તેને નદીની બહાર કાઢ નહિ. નદીના તીરપર ઉપવિષ્ટ શેઠ વગુરૂ પાસે ગયે અને શેઠના પુત્રને નદીના પ્રવાહમાં તણાતાં છતાં ન કાઢવાને વિવેક દર્શાવ્યું. ગુરૂએ તેના કુવિવેકની અવગણના કરીને કહ્યું કે અરે મૂર્ખ! તું દોષ વા ધર્મમાં હજી કંઈ સમજતું નથી. સર્વ જીવોમાં મનુષ્ય માટે છે તેની રક્ષા કરવામાં અન્ય જીવોને હાનિ થતી હોય તે પણ હૃદયમાં હાનિ કરવાને પરિણામ ન હોવાથી હિંસાદિ દોષનું કર્મ લાગતું નથી અને મહાન પુણ્ય તથા નિર્જરા થાય છે. મહાપુણ્ય તથા નિરાકારક પોપકારી કૃત્ય કરતાં અલ્પકર્મબંધ થાય એવા દોષ થાય તો પણ તેવાં પરોપકારી કાર્યો કરવાં જોઈએ. મનુષ્યને બચાવવાથી મનુષ્ય જીવીને જે પરોપકારાદિકાર્યો કરી શકે છે તે અન્ય પ્રાણીઓ કરવાને શક્તિમાન નથી. આત્મજ્ઞાનિમનુષ્યને સર્વ જી પર સ્વાત્મવત્ સમાનભાવ છે તે પણ તેઓના પોપકારાદિકાર્યોમાં તેઓ વિવેકદ્રષ્ટિને અગ્રસ્થાન આપી પરોપકાર કૃત્યમાં પ્રવૃત્તિ કરે છે. મૂઢદષ્ટિથી જેઓ પરેપકારપ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ થાય છે તેઓ પુણ્યને બદલે પાપની પ્રાપ્તિ કરી શકે છે. રોગી સાધુઓને ઓષધપ્રગથી સાજા કરવામાં આવે છે, તે અનન્તગુણ પુણ્યબંધ થાય છે અને અનન્તગુણ કર્મની નિર્જરા થાય છે; એ એક વણિકે ગુરૂપાસે ઉપદેશ શ્રવણ કર્યો અને ગુરૂ પાસે પ્રતિજ્ઞા કરી કે મારા ગામમાં માંદા પડેલા સાધુએની દવા કરીને મારે જમવું અન્યથા જમવું નહિ. કેટલાક માસપર્યન્ત તે માંદા સાધુઓની દવા કરીને જમવા લાગ્યું. એક દિવસ તે ગામમાં કઈ રેગી સાધુ હતા નહિ તેથી તે મૂઢતાથી પ્રતિજ્ઞાભગશંકાએ શકિત થયે અને પ્રભુને બે હાથ જોડી વિનવવા લાગે કે હે પ્રભે ! આજ મારી પ્રતિજ્ઞાન ભંગ થાય છે માટે ગામમાં રહેલા એક બે સાધુને ઝટ રેગી બનાવ કે જેથી તેની દવા કરીને હું જમુ. આ પ્રમાણે ઉચ્ચ સ્વરે તે પ્રભુને વિજ્ઞપ્તિ કરતા હતા તત્સમયે તેના ગુરૂજી આવ્યા અને કથવા લાગ્યા કે હે ભદ્ર ! તું સાધુઓને રેગી બનાવવાની ભાવનાવડે પાપ બાંધે છે. હવે એવી પ્રતિજ્ઞા અપી છે કે રાગી સાધુ હોય તે તેની દવા કરીને ખાવું, પરંતુ કઈ રેગી ન For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy