SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૨ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, કાલ, દશા, સંયોગે અને શિક્ષણને ધ્યાનમાં લઈ એક પદાર્થના અનુભવજ્ઞાનમાં કરેડે મનુષ્યમાં કોટિ ભેદ પડે તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, જ્ઞાન, કર્માવરણ, ક્ષયેપશમ અને શિક્ષણીય સંગોને આભારી માની સાપેક્ષટષ્ટિને આગળ કરી કદાગ્રહ ન કરતાં અનુભવની પ્રાપ્તિમાં આગળ વધવું જોઈએ કે જેથી ન્નતિકર્મસાધકપ્રવૃત્તિમાં પ્રગતિમાનું આત્મા બની શકે. અનેક પ્રકારના વિશ્વશાલાના પદાર્થોના અનુભવને અનન્ત સાગર છે તેમાંથી એક બિસમાન અનુભવ પ્રાપ્ત કરી કદી સ્વાભાભિમાની બની સ્વાત્મઘાતક ન થવું જોઈએ. અનન્દાનુભવસાગરમાં સામાન્ય મનુષ્યને અનુભવ, એક બિન્દુસમાન છે તેથી તેણે સર્વ પ્રકારના અનુભવે કે જે કાળે કાળે અવસ્થાભેદે, ક્ષયે પશમભાવે ઉદ્ભવે છે તેઓનો પિતાની પ્રાપ્તિ ન થવાથી તેઓ અસત્ય છે અથવા તે સર્વને હું જાણું છું એ અભિમાન ધારણ કર્યા વિના પ્રવર્તીને ન્નતિકર્મસાધક બનવું જોઈએ. ન્નતિકર્મસાધકાવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવર્તતાં અનેક વિદને દ્વારા પણ સ્વાત્માને અનેક પ્રકારને અનુભવ પ્રાપ્ત થાય છે અને પ્રમાદેને પરિહરવાનું શિક્ષણ મેળવી શકાય છે. બ્રિતિસાધક કર્મયોગી બન્યા વિના વિશ્વશાલાના સકલાનુભવોને પ્રાપ્ત કરી શકાતા નથી. અએવ પ્રત્યેક મનુષ્ય અનુભવે પ્રાપ્ત કરવાને નૈતિસાધક કમગી બનવું જોઈએ. આ વિશ્વશાલાના સંપૂર્ણ પદાર્થોના સાક્ષાત્ દૃષ્ટા મુનિવરે સર્વ મનુષ્ય વિદ્યાર્થિના ગુરૂઓ છે અને તેઓના અનુભવેને ગ્રહણ કરીને સાક્ષાત્ તે તે અનુભવેને સાક્ષાત્ અનુભવ કરનાર સ્વાત્મા જ સ્વકર્તવ્ય કાર્યોને નિશ્ચયિકદષ્ટિએ ગુરૂ અવધે. ન્નતિકર્મસાધક ચેતનજીની અનન્ત વિશ્વશાલા છે અને તેઓ અનન્ત અનુભવને પ્રાપ્ત કરી શકે છે. રજોગુણ તમોગુણ અને સત્ત્વગુણનું સ્વરૂપ અવધીને અન્તમાં સ્વાભાવિક જ્ઞાનની કુરણુ જે પ્રકટાવે છે તે આમેન્નતિસાધક બની શકે છે. વિશ્વવતિસવંયસંબંધી અનેક ગ્રન્થને અભ્યાસ કર્યા પશ્ચાત્ આત્મજ્ઞાનવડે સત્યાનુભવ પ્રાપ્ત કરે અને સ્વયં આ ન્નતિના અનુભવ પ્રદર્શકમાર્ગોમાં પ્રવર્તવું. આ વિશ્વશાલામાં જે જે અવસ્થાઓ અને જે જે દુઃખ સુખની સ્થિતિ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy