________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૦
ઘટે છે આત્મશક્તિ, અદાના ફર્જ નિજ થાતી; ચુકાતું ધર્મથી જાણી, કદાપિ કાર્ય ના ત્યજવું. થત હડધૂત લોકમાં, બની કાયર પડે પાછો; સ્વધર્મોની પ્રવૃત્તિનું, કદાપિ કાર્ય ના ત્યજવું. દબાઈ અન્યની હેમાં, દબાઈ અન્ય સત્તામાં વિચારી શર્મ કર સારું, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૦ અશક્તને નથી કયારે, ખરી સ્વાભેન્નતિ જગમાં; ખરી સ્વાભેન્નતિકારક, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૧ હઠી જાતે ખરી વેળા, કરેલા કેલ ત્યાગીને, નથી માનવ વિચારી એ, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૨ સદા તે જીવતા જગમાં, રહ્યા છે કાર્ય કરનારા;. ધરી મન ટેક નેકીને, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૩ સદાત્મા છે અમર એવે, કરી નિશ્ચય હૃદય સાથે, વિદેહી બ્રહ્મ માનીને, કદાપિ કાર્ય ના ત્યજવું.
- ૧૪ શુભંકર કર્મ ગીઓ, સદા વિનતિ કરતા, બુદ્ધ બ્ધિ સગુરૂશિક્ષા, ગ્રહી કાર્યો કર્યા કરવાં. ૧૫
ઉપર્યુક્ત નવ્યહાર્દ અવબોધીને સ્વપર કલ્યાણકારક કર્તવ્ય કાર્યો પ્રારંભીને આત્મશૌર્યે સમાપ્ત કરવા માટે સદા લક્ષ્ય દેવું અને આત્મશક્તિ વધે એ નામ રૂપની આસક્તિ ટાળીને પ્રયત્ન સેવ્યા કરે કે જેથી પશ્ચાત્ પડવું ન પડે. કર્તવ્ય પ્રારંભિત કાને ત્યાગ કરવાને પ્રસંગોપાત્ત ઉપદેશ કર્યા પશ્ચાત્ મૂલ વિષયની સાથે સંબંધિત વિવેચન કરવાનું કે પ્રારંભિત કાર્યોને ત્યાગ ન કરે. કારણ કે તેનાથી આત્મશક્તિ ઘટે છે ત્યારે હવે શું કરવું ? તેને ઉત્તરાર્ધમાં પ્રત્યુત્તર દેવામાં આવે છે કે સંકલ્પની દઢતાવડે પ્રયુક્તિ વડે પ્રારં. ભિત કાર્ય કરવું. સંકલ્પની દઢતાવડે પ્રારંભિત કાર્યો કરવામાં આત્મશક્તિની વિવૃદ્ધિ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય એવા ઉપાયે પ્રાપ્ત કરી શકાય છે. કાર્ય કરવામાં સંક૯પની દઢતા એ અગ્નિ ગાડીના એજીન જેવી છે. તેનાથી સર્વ કાર્ય સિદ્ધકર સામગ્રીઓ પ્રાપ્ત કરી શકાય છે. સંકલ્પની દઢતા કરવાથી કર્તવ્ય પ્રવૃત્તિમાં મેરૂ પર્વતવત્ સ્થિર
For Private And Personal Use Only