________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨
ઈચ્છા થાય છે અને કેટલા અંશે થાય છે તથા કેટલા અંશે થતાં નથી તેનું શું કારણ છે તેને દીર્ધદષ્ટિથી વિચાર કરે જોઈએ કે જેથી વર્તમાનમાં કર્તવ્ય કર્મોથી ન્નતિ કરી શકાય. વર્તમાનમાં ન્નતિની સાથે સમાજેન્નતિ, દેશોન્નતિ અને વિન્નતિ થાય એવા વિચારે અને કર્તવ્ય કાર્યો કરવાની જરૂર છે. ભૂતકાલની રીતે વર્તમાનમાં અમુક પ્રવૃત્તિ થાય એવી વિવાદગ્રસ્ત પરિસ્થિતિમાં ન પડતાં જે જે વિચારે અને કર્તવ્ય કાર્યો વડે વર્તમાન સ્થિતિ સુધરે એવા નિશ્ચય ઉપર આવવાની જરૂર છે. વર્તમાન વિચારો અને આચાર વડે સ્વાત્મોન્નતિ થાય એજ મુખ્ય લક્ષ્યબિન્દુ કદાપિ ન વિમરવું જોઈએ. જે મનુષ્ય વર્તમાન કાલ સુધાર્યો તેણે સર્વ સુધાર્યું એમ અવધવું. ભૂતકાલ ગમે તે ગયે. તે હવે ગમે તે હતું તે પણ પાછા આવનાર નથી. ભવિષ્યકાલ અદ્યાપિ પ્રાપ્ત થયું નથી તેથી ભૂત અને ભવિષ્ય એ એના કરતાં વર્તમાનમાં પ્રગતિ કરવા પ્રયત્ન કરવા માટે આત્માએ પિતાને હું શું શું કરું છું તેને પ્રશ્ન પૂછી ઉતર મેળવી યથાચ સમ્પ્રવૃત્તિ કરવી જોઈએ. ભૂતકાળમાં આપણે ગમે તેવા હેઈએ પણ વર્તમાનમાં જાપાન, અમેરિકા અને ઈગ્લાંડની પેઠે વ્યવહારમાં અને ધર્મમાં પ્રગતિમાન બનવું જોઈએ. જેણે વર્તમાનમાં સર્વ પ્રકારની ઉચ્ચ પ્રગતિ કરી તેણે સર્વ કાલમાં સ્વપ્રગતિ કરી એમ અવબોધવું. ભૂતકાલમાં મનુષ્ય ગમે તે હોય પરંતુ જે તે વર્તમાનમાં પ્રગતિ વિચારેએ પ્રગત થવા ધારે તે તે પ્રગત થઈ શકે છે એમાં શંકા નથી. ક્ષણમાં કરેલા વિચારોની અસર ખરેખર વર્તમાનમાં સ્વાત્માપર એક પ્રકારની થાય છે. વર્તમાનમાં થતાં પ્રત્યેકકાર્યોને સુધારવાં જોઈએ અને તેમાં કેઈ જાતની ભૂલ ન રહે એવા ઉપાયો લેવા જોઈએ. વર્તમાનમાં મન-વચન અને કાયાની શક્તિને તથા આત્માની શક્તિને કેળવવી જોઈએ. ભૂતકાળમાં ગમે તેવા અશુભ વિચારે અને પાપ કર્યા હોય તે સર્વને ભૂલી જાઓ અને હવે વર્તમાનમાં ઉચ્ચ–ઉદાર-શુભ ભાવનાઓ વડે સ્વાત્માને ઉચ્ચ કરે. કેલ, માન, માયા, લેભ, ઈર્ષા, કામબુદ્ધિ, દ્વેષ, વગેરે નીચ દેને વર્તમાનમાં હટાવી દેવા અને શુભ ગુણોને મનમાં ભરી દેવા. ઉચ્ચ થવાના જ વિચારે અને આચારવડે વર્તમાનમાં પ્રગતિ કરવી. શું
For Private And Personal Use Only