SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૯ થિને આજ્ઞા કરી અને જાનના મિષે રાજીમતીને પૂર્વભવને સંકેત કરી મુક્તિની પ્રાપ્તિ માટે દીક્ષા અંગીકાર કરી. સૂક્ષ્માપયેગી થવા સૂક્ષ્માપયોગી સત્પુરૂષોના સમાગમમાં આવી તેમનાં પાસાં સેવવાની જરૂર સ્વીકારવી જોઇએ. સૂમે પયાગઢષ્ટિવાળા સત્પુરૂષોની પ્રત્યેક વિચારમાં અને પ્રત્યેક કર્તવ્યમાં સમ્મતિ લેવાથી સૂમે પયોગષ્ટિના અનુભવ ખીલે છે અને પ્રત્યેક વિચાર અને આચારમાં જે જે સુધારા કરવાના હોય છે તેના અનુભવ આવે છે. ચન્દ્રગુપ્ત પ્રત્યેક કાર્યમાં ચાણાક્યની સન્મતિ લેતા હતા અને ચાણાક્યની સમ્મતિપ્રમાણે તેણે રાજ્યપ્રવૃત્તિ કરી તેથી તે રાજ્યને સારી રીતે ખીલવી શક્યા. અનેક સત્પુરૂષોની સમ્મતિ લેવી, પરંતુ સ્વકર્તવ્યકાર્ટીમાં અનેક મતથી સંદુિગ્ધ ન થવું જોઇએ. કાન્સા, જાહેરખાતાંઓ વગેરેના ઉપરી કર્મયોગીએ અનેક સાક્ષરના અમુક અમુક માખતામાં સુધારા વધારા કરવા માટે અભિપ્રાય પૂછે છે તે સર્વેના અભિપ્રાયાનું મનન કરી એક માખતના નિશ્ચય કરી સ્વકાર્યપ્રવૃત્તિ આચરે છે, પણ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થતા નથી. અનેક સત્પુરૂષાની સમ્મતિથી એક નિશ્ચય ઉપર આવીને જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં વિજય મળે છે. જર્મનીમાં પ્રીન્સસ્પ્રિન્સમાર્ક પ્રધાનની બુદ્ધિ વખણાય છે, તેના રાજા તેની સમ્મતિપૂર્વક સર્વકાર્યો કરતા હતા, તેથી તે જર્મનીનાં સર્વ નાનાં રાજ્યાનું એક મોટું રાજ્ય કરી શક્યા . અને તેથી જર્મનીની પ્રગતિ દિનપ્રતિદિન વધવા લાગી. સ્પ્રીન્સમાર્કે હાલના કૈઝરિવલીયમને ટ્રાન્સ અગર રૂશિયાની સાથે મૈત્રી રાખવી એવી સમ્મતિ આપી હતી, પરંતુ તે પ્રમાણે કૈઝરથી પ્રવર્તી શકાયું નથી, તેથી જર્મનીને હાલમાં પ્રવર્તતી મહા લડાઇમાં થ્રીન્સમાર્કની સમ્મતિની અપૂર્વતાને ખ્યાલ કરવો પડે છે. જો તે પ્રીન્સમા ર્કની સલાહ પ્રમાણે પ્રવર્ત્યો હોત તે અમૂલ મનુષ્યરત્નાના ભાગ આપ્યા વિનાસ્વરાજ્યાન્નતિમાં આગલ વધી શકત. કર્તવ્યકાાના ગુ'ચવાડામાંથી પસાર થવાને મહાબુદ્ધિશાળી સત્પુરૂષોની સલાહ લેવાથી અનેક પ્રકારના લાભા થાય છે એમ ખાસ લક્ષ્ય રાખવું જોઇએ, સિદ્ધરાજ જયસિંહ પ્રત્યેક યુદ્ધમાં વિજય પામ્યા હતા તેનુ કારણ ખરેખર તેના જૈનવણિક પ્રધાન હતા. જૈનવણિક પ્રધાનોની સ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy