SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય કરે છે તેમ શુભકાર્યો કરવાથી પર્વતની ગુફામાં સંતાઈ જવામાં આવે તે પણ શુભકાર્યો કરીને આદર્શપુરૂષ બનવાથી આત્માનું અનુકરણ અન્ય મનુષ્ય કરે છે. સ્વયં શુભ કાર્યો કરીને અન્યને શુભકાર્યોમાં પ્રવૃત્ત થવાને પ્રેરણા કરવામાં આવે છે તે તેની અસર તુરત અન્ય લોકો પર થાય છે. સંવત્ ૧૯૪૮ ની સાલમાં વિજાપુરના તલાવને ખોદાવવાને પ્રસંગ ત્યાંના વહીવટદારે વિચાર્યો અને સર્વ લોકેને ભેગા કર્યા. તલાવ દવા માટે વહીવટદારે પ્રથમ પ્રવૃત્તિ કરી અને માટી ખોદી ટપલી ભરીને પિતાના મસ્તક પર ઉપાડી તેથી અન્ય ગૃહસ્થોએ અને સામાન્ય લેકેના ઉપર ઘણી અસર થઈ અને સર્વ લેકે તલાવ ખદવા દાવવાના કાર્યમાં પ્રવૃત્ત થયા અને તેમાંથી એક જૂના વખતને પત્થરને કુંડ મળી આવ્યું. નદિષણમુનિએ શ્રીવરપ્રભુની પાસે ચારિત્ર અંગીકાર કર્યું પરંતુ ભેગાવલી કર્મના મહેદયથી તેમને વેશ્યાના ઘેર વસવું પડ્યું તેમ છતાં તેઓ દરરોજ દશ મનુષ્યને વૈરાગ્યને બોધ આપી દીક્ષા અંગીકાર કરાવતા હતા. એક વખતે એક સેનીને ઉપદેશ આપતાં સોનીએ નદિષેણને કહ્યું કે મને જ્યારે તમે દીક્ષા લેવાને ઉપદેશ આપે છે ત્યારે તમે કેમ દીક્ષા અંગીકાર કરતા નથી? શ્રીનંદિષેણે પશ્ચાત્ દીક્ષા અંગીકાર કરી. આ ઉપરથી અવધવું કે મનુષ્ય જ્યારે પ્રથમ શુભકાર્યો કરે છે ત્યારે તેની અસર અન્ય મનુષ્યપર થાય છે અને તેથી તે આદર્શપુરૂષ બનીને અન્ય મનુષ્યને શુભકાર્યમાં પ્રવર્તાવી શકે છે. શુભકાર્યોની કથની કરવા કરતાં શુભકાર્યોને કરી બતાવવાં એ અનન્તગુણ ઉત્તમ કાર્ય છે. કેઈ પુરૂષના કથન કરતાં જનસમાજને તેના વર્તનની અનન્તગણી અસર થાય છે. પ્રોફેસર રામમૂતિ સેન્ડે શરીરે મહા બલવાનું અને હાલના જમાનામાં ભીમને ભાઈ છે, તેના બેલવા કરતાં, કથની કરતાં, અંગકસરત બલના તે મહાઆશ્ચર્યકારી ખેલે કરી બતાવે છે તેની લેકેપર ઘણી અસર થાય છે. શરીર વ્યાયામકારક એવો એક આદર્શપુરૂષ અને સ્વકાર્યમાં સહેજે પ્રવર્તાવી શકે છે. જે જે મહાપુરૂષે ભૂતકાલમાં થઈ ગયા છે તેઓનાં જીવનચરિતે આપણું હૃદય ઉપર વિઘુત્ કરતાં અત્યંત અસર કરીને સત્કાર્યમાં જોડે છે તેનું કારણ એ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy